________________
0 GિREEN SMS સત્સંગ-સંજીવની EASE )
હોય તો તે પદાર્થનું તુચ્છપણું, અનિત્યપણું, યથાર્થ ભાસી, તે પદાર્થો પ્રત્યે જતી મારી તે ભાવના નિવૃત્ત થાય. જેથી કરી તે પદાર્થોનો યથાર્થ રીતે, ખરા ભાવથી ત્યાગ થાય, તે તો મને કંઈ જણાતું નથી. આવા પ્રકારની મારી જે અવ્યક્ત ભાવના, હે પ્રભુ, દીનદયાળ આપ પરમોપકારી સદ્ગુરુદેવ-વિના મને કોણ બતાવે ? આવી અનંત પ્રકારની રહેલી જે મારી અનંત ભૂલો આપ દીનાનાથ વિના કોણ નિવૃતાવી શકે ? મારું જે દીનપણું તે યથાર્થ દીનપણું જ છે. ફક્ત આપ કૃપાળુદેવની કૃપાની દયા થયા વિના, મારા અનંત દોષો મટે, એમ મને લાગતું નથી. હવે તો હે પ્રભુ ! ઘણીજ થઇ છે. હવે તો સાથે રાખવાની પ્રભુ દયા કરો, તો આ અલ્પજ્ઞ કાંઇ સુધરે - નહીં તો આ જગતમાં મારા જેવો દુષ્ટ બીજો કોઇ નહીં હોય એમ મને તો લાગે છે. પ્રભુકૃપાથી મારું કલ્યાણ થાઓ. એજ.
અલ્પજ્ઞ દીનદાસ અંબાલાલના સવિનય નમસ્કાર પ્રતિસમય પવિત્ર ચરણસેવામાં પ્રાપ્ત થાઓ. (જવાબ વ. ૭૭૮)
પત્ર-૩૩
ખંભાત
જેઠ વદ ૨, ગુરુ, ૧૯૫૩ શ્રીમદ્ શ્રી ગુરૂદેવ પરમાત્મા, શ્રી ચરણાય નમઃ
પરમકૃપાળુ પરમ દયાળુ, શ્રીમદ્ પરમાત્મસ્વરૂપ શ્રી સદ્ગુરુદેવ શ્રી સહજાત્મસ્વરૂપ સ્વામીશ્રીજીની પરમ પવિત્ર શુભ ચરણસેવામાં – મુંબઈ - પૂજ્ય મનસુખભાઇના પવિત્ર હસ્તથી લખેલ પત્ર પ્રાપ્ત થયો છે. પરમ પૂજ્ય મહાભાગ્ય શ્રી સોભાગ્યચંદ સાહેબની પવિત્ર સેવામાં મને જવા માટે પરમ પવિત્ર આજ્ઞા થઇ, તેથી પરમાનંદ થયો છે. તે પ્રમાણે વર્તવા પરમ કલ્યાણકારી લાભ પ્રાપ્ત થશે. જેથી હાલ તુરતમાં મારે સાયલે જવાની ઇચ્છા છે. પણ મારા અંતરાયના ઉદયે બે દિવસનો વિલંબ થવાનું કારણ થયું છે. કારણ કે મારા પરમ પૂજ્ય પિતાજીને ત્યાં ૫,૬ એટલે શનિ રવિના દિવસે જ્ઞાતિ જમવાનો પ્રસંગ છે. જેથી મારા પિતાશ્રી મગનલાલ મને સાયલા જવામાં રોકે તેમ નથી. પણ બે દિવસના આંતરામાં કુટુંબાદિના મનમાં વિશેષ ખેદ રહે તેથી હું તથા કીલાભાઈ અત્રેથી વદ ૭ સોમવારે નીકળવાનું ધારીએ છીએ. અથવા બની શકે તો છઠને રવિવારે રાતના નીકળવાનું કરીશું એમ મારી ઇચ્છા રહે છે. છતાં ઉપરના કારણોથી આપ પરમ કૃપાળુશ્રીને યોગ્ય લાગે તેમ કરવા તૈયાર છું. એટલે આ પત્ર પહોંચે મને જલદી જવાની જરૂર વિશેષ હોય તો શુક્રવારે સાંજ સુધીમાં મને તારથી ખબર મળવાની કૃપા થશે, તો તે જ વખતે હું સાયલા તરફ જવાને રવાના થઇશ.
મને જવાનો બે દિવસનો વિલંબ થયો છે તેથી શ્રી કીલાભાઇ અગાઉથી સાયલા જવાનું કરત. તેમને પણ શુક્રવારે અત્રે રોકાવાનો તેવો પ્રસંગ છે. જેથી આપ પરમકૃપાળુદેવ પ્રભુ પાસે વારંવાર નમ્રતાપૂર્વક અતિ દીન ભાવે નમસ્કાર કરી પવિત્ર આજ્ઞાનુસાર વર્તવામાં થયેલા વિલંબની વારંવાર ક્ષમાપના ઇચ્છું છું. અને હું દુષ્ટ અવિનયીને મારી અયોગ્યતાની લજામણી વર્તનાને વારંવાર ધિક્કારું છું. પરમ પૂજવાલાયક, શ્રવણ કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય, ભક્તિ કરવા યોગ્ય, પરમ પ્રેમે ઉપાસવા યોગ્ય, એવા મહાભાગ્ય સન્દુરુષ શ્રી સોભાગ્યકારી શ્રી સોભાગ્યચંદ્રશ્રીની પવિત્ર સેવામાં - ચરણ સમીપ રહેવામાં મારા પુણ્યોદય અને ધન્યભાગ્ય સમજુ છું. પણ આવા નજીવા કારણે મારે બે દિવસ રોકાવાનું બન્યું છે, જેથી મારા લજ્જામણા મુખે આપ
૩૮