SearchBrowseAboutContactDonate
Page Preview
Page 44
Loading...
Download File
Download File
Page Text
________________ RSS સત્સંગ-સંજીવની (SR SER S જાગી. નાત તરફથી વિક્ષેપો ને સના અવર્ણવાદ થવા લાગ્યા. જેથી ભવિષ્યકાળે વિક્ષેપ વિના, નિવૃત્તિપણે આત્મહિતના કાર્યમાં મુમુક્ષજીવો સ્થિર રહી શકે, દૃઢ રહી શકે એવી તે દયાળુની દીર્ધજ્ઞાનદષ્ટિએ જોયું અને તેથી શ્રી સુબોધક પુસ્તકાલયની પ્રેરણા પોતે કરી અને તેની સાથે તેના ફંડ માટે ખંભાતના મુમુક્ષુઓને જ્ઞાનાવરણીય કર્મ ટળવાનું સાધન શ્રુતભક્તિ છે, તે અર્થે ટીપ કરાવી. જે ટીપમાં આશરે હજારેક રૂપિયાની રકમ થયાનું કંઇક અનુમાન થાય છે. અને તે વખતે શ્રી ગાંડાભાઇને વિશેષ રકમ દેવા સૂચના થઇ તેથી તેમણે રૂ.૨૦૧ ભરાવ્યા હતા. વળી શાળા માટે જગ્યા ભાડે લઇ ત્વરાથી સ્થાપના વિધિ કરો એવી આજ્ઞા પોપટભાઇ ગુલાબચંદને કરી હતી કારણકે પોતાના આયુષ્યની ગવેષણામાં હાથ નોંધ-૨/૧૮, માં નોંધ્યું છે કે “તેટલું આયુષ્ય બળ છે? શું લખવું? શું કહેવું? અંતર્મુખ ઉપયોગ કરીને જો” આમ સમય-આયુષ્ય બળ ઓછું જાણી તેમજ આ મહાન કાર્યની અગત્યતા હોવાથી પ.કૃ.દેવની વિદ્યમાનતામાં જ સં. ૧૯૫૭, મહા સુદ પાંચમના પવિત્ર દિવસે આ શાળા તેમના યોગબળથી અસ્તિત્વમાં આવી છે. જેને આજે આ વર્ષે ૯૪ વર્ષ પૂરાં થાય છે. - તે શાળાનો નકશો કેવો હોવો જોઇએ તેનું પણ દીર્ઘદૃષ્ટિથી પરમાર્થને અનુકૂળ રહે એ રીતે પ્રભુએ દિગ્દર્શન કરાવ્યું હતું. જે હકીકત શ્રી ગાંડાભાઇ જણાવે છે કે ત્યાર બાદ સં. ૧૯૫૭માં અમદાવાદમાં સાંજના પાંચ વાગે સાહેબજીએ સર્વે ભાઇઓને જણાવ્યું હતું કે “ખંભાતમાં શ્રી સુબોધક પુસ્તકાલય ખોલવાનો વિચાર ધારેલ છે અને તે અર્થે ફંડ એકઠું કરવા વિચાર ધારેલ છે. ત્યાર બાદ સાહેબજીએ જણાવ્યું હતું કે શ્રી સુબોધક પુસ્તકાલયનું મકાન કેવા પ્રકારનું બંધાવવું તે વિષે ભલામણ કરેલી કે તે મકાન એવા સ્થાન પર જોઇએ કે બજારમાં નહીં તેમજ બજારમાં ગણી શકાય તથા મકાનની ચારે તરફ ખુલ્લું હોય તથા દિશા-પાણીની સગવડતા હોય તથા પુસ્તકોની ગોઠવણી માટે કબાટો રાખવાં તથા મૂળ રકમ કાયમ રહી શકે અને યોગ્ય વ્યવસ્થા થાય તેમ કરવું. વળી બીજી એક ભલામણ પૂ.શ્રી. મનસુખભાઇ કીરતચંદને કરેલ કે શ્રી ખંભાત સુબોધક પુસ્તકાલય માટે કમીશનમાંથી પુસ્તકો ખરીદી શકાય તે માટે ભીમસિંહ માણેકને ૨૨/ ને બદલે ૨૫% કમિશન આપે એવી બનતી પેરવી કરવા ફરમાવ્યું હતું. ' પુસ્તકની ખરીદીમાં તત્ત્વ, સાહિત્ય, વ્યવહાર અને પરમાર્થ ઉપયોગિતા જોવાં. તેમ બાહ્ય પુંઠાં, રંગ તથા બાંધણી, છાપ, કાગળ આદિ બાહ્ય સૌંદર્યની તેમની - કૃ.દેવની ચોકસાઈ બોધપ્રદ હતી. શ્રી પરમકૃપાળુ દેવ આશ્રિત આ શાળા-નવીન યોજનાની પેઠે શ્રુતજ્ઞાનની ઉન્નતિ અર્થે તેની યોજના કરી છે. તે દ્વારા તે શ્રુતના મૂળ ઉપદેષ્ટા સર્વશ વીતરાગ દેવનો મૂળમાર્ગ, તેને પ્રસિધ્ધિમાં આણવાનો કૃપાળુદેવનો હેતુ સમજાય છે. મોક્ષમાળા શિ.પાઠ-૯૯માં દર્શાવ્યું છે કે પવિત્ર સ્યાદ્વાદમતનું ઢંકાયેલું તત્ત્વ પ્રસિધ્ધિમાં આણવા જ્યાં સુધી પ્રયોજન નથી ત્યાં સુધી શાસનની ઉન્નતિ પણ નથી. તે હેતુ પાર પાડવા (આપણા સમાજના) મુમુક્ષુ જનની શુભ જિજ્ઞાસા અને પ્રયત્ન હોવો ઘટે. શ્રી શાળાના જ્ઞાન ભંડારમાં કયા કયા સશાસ્ત્રો અને સગ્રંથો જ્ઞાનાભ્યાસ માટે વસાવવા તે વિષે ભલામણ પોતેશ્રીએ કરી હતી અને અમદાવાદમાં ભીમસિંહ માણેકચંદને ત્યાંથી અંબાલાલભાઇની સાથે જઈ ખરીદી કરાવી હતી. તેમજ મુંબઇથી કેટલાંએક પુસ્તકો ખરીદ કરી શ્રી પોપટભાઇને ખંભાત જતી વેળા હાથમાં આપ્યા હતાં. જ્યારે ખંભાતમાં શાળા સ્થાપન કરવાનું નક્કી થયું ત્યારે સાહેબજીએ જણાવ્યું કે જે નામ આપવામાં
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy