________________
@ ER. RETRIE) સત્સંગ-સંજીવની હERERS SMS ()
( પત્ર-પ૧
શ્રાવણ વદ ૧૩, ૧૯૫૫ શ્રી સદગુરૂ ચરણાય નમઃ પરમ પૂજ્યશ્રી અંબાલાલભાઈની સેવામાં,
આપ કપાળનો પત્ર નથી તે લખવા મહેરબાની કરશો. કૃપાનાથ હાલ ક્યાં બિરાજે છે તે લખશો. થોડા દિવસ પછી આપના દર્શન કરવા આવવા વૃત્તિ થયા કરે છે. કૃપાનાથનું આવવું આ તરફ ક્યારે થશે ? આપને દસ દિવસ પછી અનુકૂળતા હોય તો થોડા દિવસ આપનો અમૃતમય ઉપદેશનો લાભ મળે, કૃપા કરી અહીં આપ પધારશો. મીલ આશરે આઠ દિવસ પછી પ્રસંગને લઈને બંધ રહેશે. તે વખતે મારે અનુકૂળ છે. તો અનુકૂળતા થશે તો આપ જેવા સંતપુરુષના ચરણ ઉપાસવામાં ગાળવા વિચાર છે. ધર્મબંધુને દંડવત્. જ લિ. દીન છોરૂ સુખલાલના દંડવત્ પ્રણામ.
પત્ર-પર
શ્રાવણ સુદ ૧૨, ૧૯૫૫ શ્રી વીતરાગદેવ પ્રત્યે મારો ત્રિકાળ ત્રિકરણ યોગથી સમયે સમયે નમસ્કાર. ડી
આપનું પવિત્ર પત્ર બાળકને મળવા ઈચ્છું છું. ચિ. પોપટને હવેથી સુવાણ થયું હશે. અમદાવાદ આપના. પત્ર પૂ. ભાઈ પોપટલાલને પ્રાપ્ત થયેલ તેમાં જે સમાચાર સાહેબજી પધારવાના જણાવેલ તે વાંચી ઘણો જ હર્ષ ઉત્પન્ન થયો છે. વાત બાહિર કરી નથી. આત્માર્થી ભાઈ પોપટલાલ મારફતે દોહરા (દીનતાના) પ્રાપ્ત થવા આપની આજ્ઞા મંગાવેલ તે યોગ્ય લાગે તો કૃપા કરશો. હાલમાં વૈરાગ્યપ્રકરણ વાંચું છું. આ બાળની ઘણી જાડી બુદ્ધિથી વિશેષ વિચાર આગળ ચાલી શકતો નથી. અટકી જવાય છે. તો જાગૃતિ રહે તેવા સાધનો વચનામૃતરૂપ ચાબખા. મારવા કપા કરશો. હાલ એ જ કામસેવા ફરમાવવા દયા કરશો.
લિ. સેવકનો સેવક વનમાળીના હર્ષપૂર્વક નમસ્કાર. મુમુક્ષભાઈઓને મારા નમસ્કાર કહેશો. પાછો પ્રત્યુત્તર ઈચ્છું છું.
પત્ર-પ૩
જેઠ સુદ ૧૩, ૧૯૫૫ સુજ્ઞ આત્માર્થી ભાઈ અંબાલાલ લાલચંદ, મું. ખંભાત બંદર
આપનો કૃપાપાત્ર એક ઈડર પ્રાપ્ત થયો હતો પણ તેનો પ્રત્યુત્તર લખી શકવાનું બની શક્યું નહોતું. તે માટે ક્ષમા ઈચ્છું છું.
ચિત્રપટનાં સંબંધમાં આપે અભિપ્રાય પૂછાવ્યો છે. ચિત્રપટમાં મુખાકૃતિ જેવી જોઈએ તેવી નથી આવી શકી તેમ લાગે છે. એ ચિત્રપટ ફ્રેઈમની અંદર દાખલ કરાવું છું. પરમ કૃપાળુશ્રીનાથનો અભિપ્રાય તે સંબંધમાં શાંત હતો. અર્થાત્ કંઈપણ અભિપ્રાય તેઓશ્રીએ પ્રદર્શિત કર્યો નહોતો. બીજી પ્રતિ વિશેષ ઉત્તમ થઈ હશે તેમ
I
૨૬૬