________________
GYAી સત્સંગ-સંજીવની SHGHER SEC)
ન્યાય નથી કરતું. અનાદિકાળનો અજ્ઞાનને વશ પડેલ અનેક ગતિમાં પરિભ્રમણ કરે છે. તે જ્યારે અજ્ઞાનને વશ પડ્યો તે વારે નીચ ગોત્ર મળ્યાં. ધર્મનું સુણવું, શ્રદ્ધવું, ફરસવું ન મલ્યું, પાંચ ઈન્દ્રિય પરિપૂર્ણ ન મળી. ને કદાપિ તે બધું મળતાં છતાં પણ ધર્મના મત ભેદને લઈ આત્મધર્મને ફરસતો નથી. તે બહુલ કરમીપણું કે પૂર્વ કર્મનો દોષ એમ સમજાય છે. માટે હવે તો આત્માને બળીયો કરી સન્દુરુષની સમીપમાં જઈ જીવના ભેદાનુભેટ સ્વરૂપને જાણી જે ગ્રહવા યોગ્ય ગ્રહવું, આદરવાયોગ્ય આદરવું, છાંડવા યોગ્ય છાંડવું, જાણવા યોગ્ય જાણવું. એમ કર્યા વિના આ આત્માની સિદ્ધિ નથી. નહિંતો અનંતકાળે મળેલો મનુષ્ય ભવ હારી જઈ પાછા ચોરાશીના ફેરામાં અનંત જન્મ મરણના દુઃખ સહન કરવા પડશે. પણ એટલું તો સિદ્ધ છે કે જો સટુરુષની કૃપાદૃષ્ટિ હશે તો ને તેમના કહેલા વચન શ્રવણ કરીને તેમની આજ્ઞા પ્રમાણે ચાલીશું તો થોડા વખતમાં આપણું શાશ્વત જે ઘર તેને વિષે પહોંચીશું.
અહો ! અહો !! જે આપણું અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ એ પૂર્વિત કર્મોદયે કરાવ્યો છે. તે કર્મને નિવારવા પ્રયત્ની થઈશું તો તે સર્વકર્મથી રહિત થઈશું. અને અવશ્ય આપણું તે ઘર - આનંદમય, અનંતસુખમય પ્રાપ્ત થશે. ધન્ય છે આપને કે તે સત્યરૂષની સમીપ થવા ઈચ્છા ધારેલી પણ બર આવવા આ પૂર્વિત કર્મના દોષે અટકાવ્યા છે પણ તેવી ઈચ્છા છે તો તે બર આવશે.
હું જે અલ્પજ્ઞ અષ્ટ કર્મે ભરેલ એવો હું પાપી, હું દુષ્ટ, મહાવિકારી, પરપુગલમાં રાચણહારો એવાને સરૂષનો જોગ ક્યાંથી મળે ? અને જો મળે તો ઘણા ભવનું કામ થોડામાં થઈ જાય પણ હવે તો તે દિવસ ક્યારે | આવશે કે તેમના સમીપ થવાય.
લી. જૂ.
પત્ર-૨૯ જે અપૂર્વભાવની પ્રાપ્તિ તે સત્સંગ છે તે વિના બીજું કાંઈ નથી. અને એજ સમાગમ પરમ કલ્યાણ આપે તેમ છે. બંધન - બંધન - બંધન, અબંધનયુક્ત એવા જે પવિત્ર મહાત્મા તે જયવાન વર્તો. અને તેમને ત્રિકાળ નમસ્કાર હો !
અહો જીવન મુક્ત નાથ ? શું આના જેવી બીજી દુઃખદાયી કઈ વસ્તુ જગતમાં છે કે જેનાથી અનુપમેય હિત થવાનું તેનો જ વિયોગ પૂર્વિતના કર્મોદયે કરાવ્યો ! શું એ નિવારવા આપ સમર્થ નથી ? છો. - પણ મારી પાત્રતા નથી.
જે બોધ લેવો છે તે તો તે પુરૂષ પાસેથી મળવો છે. ત્યાં આ... શું લખે ? માટે આપણે સર્વે બંધુઓ એમ ઈચ્છો કે થોડો કાળ તે કલ્પદ્રુમની છાયા નીચે – સત્યરૂષના ચરણમાં જઈને રહીએ એવો કોઈ વખત આપો એમ ઈચ્છા રાખ્યા રહો. બાકી જેમ જોગપણું પ્રાપ્ત થાય તેમ કરવા આપણે સર્વબંધુઓ પરાયણ રહીએ એ શ્રેયસ્કર છે.
માર્ગમાં વિશેષ મચ્યા રહેવું શ્રેયસ્કર છે, સર્વે કરી ચૂક્યા છીએ. એટલે હવે સંસારી સાધન કોઈ બાકી રહ્યા નથી. રહ્યા હોય તો કહો.
પ્રભુ પાર્શ્વનું એકાગ્ર મનથી લક્ષ રાખો.”
આત્મ હિતમાં એ(!) ચઢી આવતો વેગ વખતે નુકશાનકારક નિવડે. બાકી આ તમારો પવિત્ર આત્મા બંધનથી છૂટવા માગે છે, તેનો વેગ છે તો તેને બહાર કાં કાઢો છો ભાઈ ! જીવન જાળવવાથી પુરૂષાર્થનો ઉપયોગ
૨૫૧