________________
OR RECR સત્સંગ-સંજીવની SKERS RSS
(૨) ચરમ નયણ કરી મારગ જોવતાં રે, ભૂલ્યો સયલ સંસાર;
જેણે નયણે કરી મારગ જોઈએ રે, નયણ તે દિવ્ય વિચાર. .....પંથડો // ૨ / અર્થ : હે પરમેશ્વર ! બાહ્ય દૃષ્ટિએ કરી તમારું જે આત્મિક સ્વરૂપ... વીતરાગભાવને પામેલો પરમાત્મ ધર્મ, જોતાં થકાં આ સમસ્ત સંસાર ભૂલી ગયો છે, એટલે ધર્મનો માર્ગ અન્ય પ્રકારે કલ્પીને અન્ય પ્રકારે માને છે તથા વળી કેટલાક તો તમારો જે યથાર્થ શુદ્ધ જૈન ધર્મ તેને નામથી જૈન માર્ગની રીતે અન્યથા પ્રકારે પ્રવર્તાવે છે એટલે કોઈક તો બાહ્ય ક્રિયામાં રાચી રહ્યા છે. કોઈક તો એકાંત વ્યવહારને સિદ્ધ કરે છે, કોઈક કુળ ધર્મના આગ્રહી થઈ રહ્યા છે. એવી રીતની વિપરીતતા પ્રતિકૂળતા તમારા માર્ગથી થઈ રહી છે, કે જે નયણે કરી એટલે જ્ઞાનદૃષ્ટિએ કરી તમારો માર્ગ જોઈએ તે જ્ઞાનરૂપી નયનનો વિરહ પડયો છે. તમારા શુદ્ધ ધર્મને દિવ્ય વિચારથી કરી જાણવું એ જ તમારો માર્ગ છે અને તે તમારો માર્ગ જ્ઞાનરૂપ ચક્ષુથી જોવાય છે, ચર્મચક્ષુથી નહીં. (૩) પુરૂષ પરંપરા અનુભવ જોવતાં રે, અંધો અંધ પલાય;
વસ્તુ વિચારે રે જો આગમે કરી રે, ચરણ ધરણ નહીં થાય. ...પંથડો / ૩ //. અર્થ : વળી હે પરમેશ્વર ! જે જે જ્ઞાની પુરૂષો પરમસ્વરૂપ એવા નિર્વાણ પદને પામ્યા તે શ્રેણિને અનુભવે કરી જોતાં તો સર્વ એક જ દ્વારે કરી પામ્યા છે કે જે માર્ગમાં મતભેદ, અસરળતા, ઉન્મત્તતા, ભેદાદિક એવું કાંઈ નથી અને જગતના જીવો તે તે દોષોમાં એટલે મતાભિગ્રહમાં, કુળ ધર્માચારમાં, સહજ સહજ બાબતમાં અન્યોન્ય વાદ વિવાદની પરંપરામાં પડી રહ્યા છે. તે વિચારી જોતાં તો સઘળુએ જગત આંધળે આંધળુ કુટાય છે તે વિષે
સૂયગડાંગ” સૂત્રના પહેલા શ્રુત-સ્કંધના બીજા અધ્યયનમાં કહ્યું છે કે :- “ગંધો ગંધ પુનિતા પુરમા II 7 Tછ' એટલે જેમ આંધળો આંધળાને ગ્રામાંતરે લઈ જવા વાંછે પણ તે પોંચી શકે નહીં તેવી રીતે જ્ઞાન રહિત, સત્યા સત્યના વિવેક વિના શાસ્ત્રના પરમાર્થથી અજાણ એવા અસગુરૂ કે જે પોતે સદ્ગુરૂની માન્યતા મનાવી રહ્યા હોય છે, તે તથા તે પોંચી શકે નહીં તેવી રીતે સરૂની માન્યતા મનાવી રહ્યા છે, તે તથા તેના આશ્રયે વર્તતા એવા બાળ, અજ્ઞાની, અભણ જીવો તમારા માર્ગને પામી શકે નહીં. કારણકે તત્ત્વ વિચાર કરીને તથા અંતર્મુખ દૃષ્ટિએ નિજસ્વરૂપનો વિચાર કરતાં તે જ સ્વરૂપ સ્થિતિએ જે પ્રવર્તવું તે તો પગ મુકવાને પણ ઠામ ઠેકાણું પડવું કઠણ છે એટલે પગલું માત્ર પ્રવર્તવું કઠણ છે.... . (૪) તર્ક વિચારે રે વાદ પરંપરા રે, પાર ન પહોંચે કોઈ;
અભિમત વસ્તુ જે વસ્તુ ગતે કહે રે, તે વિરલા જગ જોય. ....પંથડો || ૪ || અર્થ : વળી હે ભગવાન ! વિચારના તર્કથી કરીને વાદની પરંપરાએ અને વિવિધ પ્રકારના કથનની પરંપરાએ જુદા જુદા મતની સ્થાપનાઓ જોતાં તો હું તો શું ? પણ કોઈએ પાર પહોંચી શકે નહીં. અભિમત કહેતાં હે પ્રભુ ! પામવા યોગ્ય જે વસ્તુ નિજસ્વરૂપ તે નિજસ્વરૂપના ઉપયોગપૂર્વક પરમાર્થપણે યથાર્થ રીતે, સાવા શૈલી યુક્ત, નિષ્પક્ષપાતપણે માર્ગ જણાવે તેવા પુરૂષ તો આ જગતને વિષે વિરલા જ છે એટલે ક્વચિત્ જ છે અને મહત્વ તથા બલિહારી પણ તેવા જ પુરૂષની છે. (૫) વસ્તુ વિચારે રે દિવ્ય નયણ તણો રે, વિરહ પડયો નિરધાર;
તરતમ જોગે રે તરતમ વાસના રે, વાસિત બોધ આધાર. ....પંથડો / ૫ // અર્થ : હે પ્રભુ ! યથાર્થ સ્વરૂપનું વિચારવું એવું જે જ્ઞાનરૂપી નેત્ર તે પામવાનું જે સાધન તેનો તો વિરહ પડ્યો કહેતાં - તેવા સત્પુરૂષો કે જે યથાર્થ સ્વરૂપને પામેલા, આત્મ સમાધિએ યુક્ત તેવા જ્ઞાનાવતાર પુરૂષોની
૨૨૮