SearchBrowseAboutContactDonate
Page Preview
Page 276
Loading...
Download File
Download File
Page Text
________________ નહિ આ સત્સંગ-સંજીવની NR NR / કષાયાદિકને સેવવા. પોતાને એક પાઈ માત્રનો લાભ થતો હોય અને સામા માણસને અમુક કેટલું નુકસાન થતું હોય તે બાબતનો બિલકુલ વિચાર ન રાખે. દ્રવ્યનું વર્તન કરી લૌકિક દૃષ્ટિએ વત પછી લોકો સાથે વૈર બાંધે, તેનું કોઈ ભાન ન રાખે, તે કેવું આશ્ચર્ય ગણાય ! કી પત્ર-૧૨ | તમોએ લખાવેલા પત્ર મળ્યા છે, વાંચી સર્વ હકિકત જાણી છે. જીવનો અનાદિ સ્વભાવ જ એવો છે તો પણ તેના દોષ પર દૃષ્ટિ ન કરવી એ જ મુમુક્ષુઓનો પરમ ધર્મ છે. મોટા મોટા ઋષિવરો, મુનિશ્વરો અને યોગીશ્વરો પણ મહા વૈરાગ્યવાન હતા છતાં તે માયાદેવીની જાળ આગળ ફસાઈ ગયા છે. તો જેને હજુ વૈરાગ્યનો અંશ પ્રગટ્યો નથી તેવા જીવો તેમાં ભૂલાવો ખાય એમાં કાંઈ આશ્ચર્ય નથી, અને હજુ આ જીવને પણ તથારૂપ તેવા પ્રસંગો મળે પણ નિર્વિઘ રહી શકાય તેવી દશા નથી એમ વિચારી આ જીવને વિશેષ પ્રકારે બોધ થવો યોગ્ય છે કે એક તો ખોટા આગ્રહે જીવ અસત્ ગુર્નાદિકમાં મમત્વ કરી રહેલો, તેને આવી વાત પરથી વિશેષ દૃઢ થાય છે, અને તે દઢત્વ આત્મામાં એક નિષ્ઠાએ પ્રકાશે છે, વળી આ જીવને પણ તેવા તેવા પ્રસંગે ભૂલાવો ખાવાના રસ્તા ઘણા અને વિકટ છે, તેથી તે પ્રકાર ભાવી આત્માને દૃઢ કરવો જેથી તેવા તેવા પ્રસંગોએ જીવ પોતાનું સચેતનપણું જાગૃતિમાં રાખ્યા કરે. બાકી કોઈ જીવ પ્રત્યે દોષ દૃષ્ટિ કરવા યોગ્ય નથી. પોતાના દોષ પ્રત્યે વિશેષ તિરસ્કાર કર્તવ્ય છે. ખાવા પીવા ઓઢવા પાથરવાના પ્રસંગોમાં જે જે જીવને તાદાભ્યપણું વર્યા કરતું હોય તે તે વખતે તે તે પદાર્થોનું તુચ્છપણું ભાષ્યા જ કરવું અને જેમ સર્પને વિષે દૃઢ થયેલું ઝેર નિદ્રામાં પણ જાગૃત કરે છે તેમ પદાર્થાદિક પ્રત્યેનું અનિત્યપણું તુર૭પણું દૃઢ કરી રાખ્યું હોય તો જીવને તે તે પદાર્થો થયે ઘણું કરીને તેને તાદાભ્યપણું થવા દેતા નથી અને એટલા માટે મુખ્ય કરીને વૈરાગ્યને વિશેષ જાગૃત રાખવો જોઈએ. વૈરાગ્ય એ જ આત્મધર્મ પામવાને સીડીરૂપ ઉત્તમ પ્રકારનો સડકનો રસ્તો છે અને તે પણ સત્પરુષના ચરણ શરણ સહિત હોય તો, નહિ તો વખતે તેમાં પણ જીવને ભૂલાવો ખાવાના કારણો વિશેષ છે. સિદ્ધિશાસ્ત્ર વાંચવાની તમોને ઈચ્છા છે, તેથી પણ અધિક ઈચ્છા જો વૈરાગ્ય પ્રત્યે, ત્યાગ પ્રત્યે અને ઉદાસીન પ્રત્યે વર્તવાનો લક્ષ રખાય તો વગર વાંચે સિદ્ધિ શાસ્ત્રમાં બતાવેલો સાર આત્મામાં પરિણામ પામવા યોગ્ય છે. આ જીવને હજુ મોહ મુગરાદિક પુસ્તક માંહેનો એક સાર પણ પરિણામ પામ્યો હોય એમ કહેવું કઠણ છે. કારણ કે જીવને જો ત્યાગ વૈરાગ્યનો લક્ષ વિશેષ રહે તો ગમે તે શાસ્ત્ર પણ તેને ઉત્તમ પ્રકારનો હેતુ થવો જોઈએ. પત્ર-૧૩ સર્ણરૂની ભક્તિએ પુરૂષાર્થપૂર્વક શરીરથી માંડી સર્વ અર્પણ કરી આજ્ઞાએ ચાલવાનું નિશ્ચય નહિ થાય ત્યાં સુધી સમ્યકત્વની આશા રાખવી વૃથા છે. સમ્યકત્વ પામ્યા વિના જીવ સમય સમય નવા પાપો ગ્રહે છે, એટલે કર્મબંધ થયા કરે છે. તે શુભાશુભ બંધથી મુક્ત થાતો નથી. જ્યાં સુધી સમ્યકત્વ નહીં પામે ત્યાં સુધી આત્મા રાગ, દ્વેષ, મોહાદિ પ્રપંચમાં દોરાય ત્યાં સુધી મનમાં સમ્યકત્વ સમજવું નહિ. અને ત્યાં સુધી આગામિક કાળે શુભાશુભ ભોગવે છે, ત્યાં સુધી યથાર્થ રાગદ્વેષનો અભાવ નથી. સમ્યકત્વ ન થાય ત્યાં સુધી નિરાંત વાળીને ઊંઘવા યોગ્ય જાણશો નહિ. જ્યારે સમ્યકત્વ થાય તે દિવસ ધન્ય કરી માનજો, બીજા બધા દિવસ ધિક્કાર કરી ૨૦૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy