SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ SS S SS સત્સંગ-સંજીવની ) ( SSC ( બાત હૈ. ઈસી કે લીયે વીરમાતાના વર્ણન લીખા જાતા હૈ. ઓર ભી પ્રબલ કારણ યહી હૈ કિ ઐસે નરરત્નોંકી ઉત્પત્તિ મહાભાગ્યવંતકી રત્નકુખે હોતી હૈ, જિસ લીયે જન્મદાતાકા ઉત્તમ ગુણોકે ઈસ જગો પર દાખવતે હૈ. જીસ વ્યાખ્યાકે આધારસેં અવલોકન કરનેવાલેકું યહ પુરૂષકા આભાસ હોયગા ઈસ લીયે.. જે સમયે આ પરમપુરૂષ બાલ્યાવસ્થાએ હવા તે સમયમાં એટલે જ્યારે તેઓશ્રી સાત વર્ષની વયે હતા તે સમયે માતાપિતાદિકે સ્કુલમાં અભ્યાસ કરવા અર્થે દાખલ થવા યોગ્ય સમય જાણી દાખલ કર્યા. આ પુરૂષ ભવિષ્યકાળે ઊંચી શ્રેણીને પ્રાપ્ત થવાના લક્ષણો દર્શાવે છે, કે જે દિવસે પાઠશાળામાં અભ્યાસ અર્થે પ્રવેશ થયો તે જ દિવસે પોતાને વિષે ગુપ્તપણામાં રહેલ જે સામર્થ્ય તે ઉજાસમાં મૂકી તેઓશ્રીને શિક્ષણ દેનાર પાઠક પુરૂષને તથા પાઠક પુરૂષના આશ્રયે અભ્યાસ કરનારા સર્વે વિદ્યાર્થીઓને આશ્ચર્યચકીત બનાવી દીધા. અને તે ઐશ્વર્યપણાએ કરી સઘળાઓના મુખમાંહેથી જય વિજયના શબ્દો વારંવાર ઉચ્ચારિત થતા હતા. આ સંબંધી બનેલ વૃત્તાંત નીચે આલેખવામાં આવે છે. જે પરથી વાંચકોને ભાસ્યમાન થઈ શકશે કે આ આપ્તપુરૂષ પ્રથમથી જ એટલે જન્માંતરેથી જ કઈ જ્ઞાનસ્થિતિને પ્રાપ્ત થયેલ છે. લોક વ્યાખ્યા છે જે પુત્રના લક્ષણો પારણામાંથી જણાય. જ્યારે બાળક બાળવયનો હોય છે ત્યારે બાળવયની ચર્યાના આધારે કરી તથા અમુક અમુક લક્ષણોએ કરી તેનામાં ભવિષ્યકાળ ઉત્પન્ન થવા યોગ્ય ગુણોનું અનુમાન ડાહ્યા પુરૂષો કરે છે જે અનુમાન પ્રાયે યથાર્થ નિવડે છે. તેમ હે આર્યજનો ! આ આપ્તપુરૂષ જન્માંતરેથી જ સુલક્ષણોએ કરી સહીત હતા. નિર્દોષ ચર્યાએ કરી સર્વથા પ્રકારે જેનું વર્તણુંક અહોનીશ વર્તતું હતું એવો જે આ આખપુરૂષ તે પોતાના સામર્થ્ય બળે કરી સઘળાઓને વિસ્મય પમાડતો હતો, વા સઘળાઓને અતિ પ્રિયકર થઈ પડયો હતો. જે બાળવયની કૃતિ, ચર્યાના આધારે આ આપ્તપુરૂષ પ્રતિ સહજભાવે સર્વેને અહોભાવ પમાડ્યો છે. જે અહોભાવ વડે સઘળાઓના હૃદય હર્ષ રિત એકી અવાજે જય પામો, વિજય પામો એવા શબ્દોએ કરી વધાવી લેતા હવા. કિંવા આશિર્વાદના વચનો ઉચ્ચારતા હવા. તેઓશ્રી (પરમપુરૂષ) જે દિવસને વિષે પાઠશાળામાં પ્રવેશિત થયા તે જ દિવસ પાઠકપુરૂષે પોતાના ક્રમાનુસારે જેમ સઘળા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા તેમ આ બાળવીરને માટે પ્રયાસ યોજના શરૂઆત કરી. શરૂઆતમાં પાઠકપુરૂષે આ આપ્તપુરૂષે ધારણ કરેલ પાટી પર શબ્દ લખી સુચન કર્યું કે આ શબ્દ પર વારંવાર ઘુંટી આ શબ્દ સચોટપણે હૃદયને વિષે ધારણ કરી પછી આ શબ્દ રદ કરી સ્વયમેવ આલેખી થોડા વખતમાં અમારી સન્મુખે દર્શિત કરો. આ પ્રમાણે આણા ફરમાન થવાથી આ આખપુરૂષે પોતાને વિષે ગુપ્તપણે રાખેલ છે મહાસામર્થ્યપણું તે ઉજાસમાં મૂકી દીધું. આ મહાન્ પુરૂષને જન્માંતરેથી પૂર્વના મહાનુ સંસ્કારો વડે અદ્ભુત શક્તિઓ પ્રાપ્ત થયેલ છે. અતિ આશ્ચર્ય પમાડે છે કે આ પુરૂષ પોતે બાળવયની સ્થિતિએ હોવા છતાં પણ જેને વિષે અભુત શક્તિઓએ વાસ કરેલ છે. છતાં કોઈ પણ અંશે જેના મન વિષે કોઈ પણ પ્રકારે ગર્વોત્પત્તિ નહીં પામવામાં, કિંવા મહાગંભીરપણાથી શક્તિને ગોપવવામાં-વા-નિશદિન જેઓના પરિચયમાં રહેવા છતાં પણ પોતાને વિષે મહાનું શક્તિઓને કળીત નહીં થવા દેવામાં તેમણે અનુપમ લીલાએ કરી સામર્થ્યતા વાપરેલ છે. જેનો આભાસ વાચકોને સહેજે દૃષ્ટિગોચર થઈ શકશે. - આ મહાન્ પુરૂષ પ્રતિ પાઠકપુરૂષે જે આણા ફરમાન કરી તે સંબંધમાં આ પુરૂષે પંડિતજી પ્રત્યે દો હસ્તો વડે અંજલી જોડી વિજ્ઞાપના કરી કે જો કદાચ આપશ્રીની આજ્ઞા હોય તો સંપૂર્ણ શબ્દો આ પાટી માંહે આલેખીને આપશ્રીની સન્મુખે દર્શિત કરૂં. આ પ્રમાણેના ગર્ભિતસભ્ય શબ્દો સુણી પંડિતજી આશ્ચર્ય પામ્યા કે અહો ! આ બાળક કેવા નમ્રતા ભરેલ વાક્યોએ ઉદ્ગારો કહે છે. ખરેખર આ બાળક કોઈ એક દેવપુરૂષ હોવો જોઈએ, એમ ૧૮૧
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy