________________
3 SRSS સત્સંગ-સંજીવની SSAGES (9
સાહેબજીએ કહ્યું “આજ નહીં.”
વળતે દિવસે પેલો ભાઈ હાંફળો ફાંફળો પાછો આવ્યો અને તેણે કહ્યું, બાપજી ! પેલા મોતી ગીરો મૂકનાર છોડાવવા આવ્યો છે. અને મેં તો આપને વેચ્યાં. હવે મારે શું કરવું ? મારા પર દયા કરી મને તે પાછાં આપો.
સાહેબજીએ કહ્યું કે : “અમે તમને ગઇ કાલે કહેતા હતા. તમે કહ્યું કે ત્રણ ચાર વર્ષ થયાં હવે શું છોડાવશે ? અને આજે તે પાછો છોડાવવા આવ્યો. તમે તો અમને વેચેલ છે. અમને ઠીક હાંસલ મળે એમ છે. પણ હવે તમે લેવા આવ્યા છો તો તમને દુભવવા નથી. ખુશીથી લઈ જાઓ. આમ કહી વનમાળીને તે પાછાં આપી દેવા અને આપેલ કિંમત પાછી લેવા કહેલ અને દયાભાવે હાંસલ જતું કરેલ.’ - સાહેબજી ને હું મોડી રાત સુધી જાગતા. મને ઊંઘ આવતી તો સાહેબજીને પાંગઠે હું સૂઇ રહેતો. થોડા દિવસ રોકાઇ સાણંદ જવાનો હતો. તે દિવસે સાહેબજીએ પૂછયું કે “કેમ, તારે ફુટ મેવો લઇ જવાં છે ?”
મારા મનમાં એ ઇચ્છા હતી અને સાહેબજીએ પૂછયું, મેં હા પાડી. સાહેબજીએ બે કરંડીયા મંગાવ્યા. એક મારા માટે અને એક ભાઇ પોપટલાલભાઇ માટે.
સાહેબજી સ્ટેશન મૂકવા આવ્યા, ટિકિટ પોતે લાવ્યા. મારી પાસે સામાન વધારે હતો. સાહેબજીએ ‘મજુર કરવા કહેલ.’ પણ મેં શરમમાં ના પાડી. એટલે બધા પોટકાં મને ન લેવા દેતાં બે સાહેબજીએ લીધાં. ગાડીમાં બેસાડી સાહેબજી વિદાય થતાં મને પૂછવા લાગ્યા કે “કેમ તારે કંઇ પૂછવું છે ? કહેવું હોય તો કહી દે.” ,
મારે કહેવાનું હતું. પણ મેં કહ્યું ના કંઈ કહેવું નથી. સાહેબજી થોડે છેટે જઇ પાછા આવ્યા અને ફરી પૂછયું કહેવું હોય તો કહી દે. મેં કહેવાનું હતું તે કીધું.
એટલે સાહેબજીએ ઉત્તર આપ્યો કે, “એવો પ્રસંગ આવે ત્યારે બધું સમેટી દિવાસળી મૂકી ચાલ્યા જવું.”
તાત્પર્ય કે આ વિના ત્યાગ કરવો. હું સાણંદ ગયો. ૧૯૫૭માં અમદાવાદમાં આગાખાનના બંગલે મેળાપ થયેલ.
એક વખત ભાવસારની જ્ઞાતિનું જમણ હતું. તેમાંથી જમીને બાઇઓ, ભાઇઓ જતાં હતા. તેમને સાહેબજી આગાખાનને બંગલે છે એ ખબર હોવાથી દર્શન માટે મોટું ટોળું ત્યાં આવેલ. બંગલામાં હેઠે ઘણા ભેગા મળેલ. સાહેબજી ઉપર હતા. મેં કહ્યું - ઘણા ભાવસારો દર્શન માટે આવેલ છે.
સાહેબજીએ કહ્યું ‘ભલે'', પણ પોતે નીચે ઉતર્યા નહીં. - ઘણો વખત થયો ફરી મેં કહ્યું તો પણ પ્રથમ માફક ઉતર્યા નહીં. છેવટે ઘણો વખત થયો એટલે ભાવસારોએ જવા માંડ્યું. થોડા બાકી રહ્યા. મેં ફરી કહ્યું આ વખતે પણ ઉતર્યા નહીં. પછી ચાર સિવાય બાકી બધા ગયા એટલે સાહેબજીએ મને કહ્યું “જાઓ, જુઓ ચાર બાકી રહ્યા છે, અને તે ચાર અહીં સૂવાના છે. માટે તેમના બિછાના અહીં કરાવજો.” મેં હેઠે જઈ જોયું તો ચાર બાકી હતા. | પછી નરોડે દર્શન સમાગમ થયેલ. મને કંઇ જ્ઞાન કે તત્વજ્ઞાન નથી. એટલે બીજી તો મને શું ખબર પડે ? પણ ઉપલી બધી અજાયબી ભરેલી વાતોથી મને સાહેબજીના શક્તિશાનની ખાતરી થયેલ છે. તે
સાણંદ બાજુએથી પધારવાના હોય તે ખબર મને મળેલ એટલે સ્ટેશને દૂધ લઇને જઉં. એક વખત છારોડી સુધી ગયેલ.
૧૩૧