SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ BRS SMS) સત્સંગ-સંજીવની હSS SS SS SS () છે તેમ હે પ્રભુ ! તમારી સેવાના વખતે, તમારું અમૂલ્ય અને અપૂર્વ જ્ઞાન પામવાની વખતે મારા ઓછાપણાને લીધે હું તે લાભને અવગણી પાછો ફર્યો છું. હે નાથ ! તે પુનઃ પુનઃ પશ્ચાતાપ કરવા યોગ્ય છું. હે ભગવાન ! સિધ્ધિશાસ્ત્રની તો મારા જેવા નિર્ભાગી પુરૂષને પ્રાપ્તિ ક્યાંથી થાય ? પણ હે દયાળ ! હવે ઘણા મુમુક્ષજીવોને તે પરમ પવિત્ર કરનાર શાસ્ત્રની પ્રાપ્તિ થઇ છે એમ જાણી તેની પણ ઇચ્છા કરું છું. હે નાથ ! તે ઇચ્છા પાર પડયેથી હું મને ધન્ય માનીશ. આપની પાસેથી આજ્ઞા થવામાં વિલંબ થાય તો પણ આ દીન કંગાળ દાસને કંઇ વિકલ્પો કરવા યોગ્ય નથી. કારણ હે દયાળ ! આપ જે શાસન વર્તાવો છો તે સરળજ છે. યોગ્યતાવાળા ભવ્ય જીવોનાં હિતને માટે બતાવો છો, તો હે ભગવાન ! આ દીનને એમજ ધારવું છે તે દયાળુનાથ જેમ તારૂં હિત દેખશે તેમજ કરવા પરમ કૃપાદૃષ્ટિથી વર્તે છે. એવા ગુણ તે દયાળમાં સહજપણે રહ્યા છે. હે નાથ ! પછી તે વિષે સ્વચ્છંદપણાએ વિકલ્પો કરી આપની અનંત કૃપાનો ચોર થઇ અધોગતી શા માટે સેવું ? હે નાથ ! અનહદ ઉપકારી એવા આપની આજ્ઞાથી આત્માનુશાસન ગ્રંથ અવલોકન કર્યો પણ હે નાથ ! ચિત્ત વિક્ષેપ પણાથી અહર્નીશ તે જ્ઞાનનો વિચાર રહેતો નથી. લી. મગન કાળુના પુનઃ પુનઃ નમસ્કાર પત્ર-૯૯ વઢવાણ મહા વદ ૧૦, બુધ, ૧૯૫૪ પરમકૃપાળુદેવ રાજચંદ્ર પરભુજીના ચરણકમળમાં નમસ્કાર ત્રિકાળ અત્યંત ભક્તિથી પવિત્ર સેવામાં અંગીકાર કરશો. વીતરાગ દેવ ! આપના દર્શન કરવા ઘણી અભિલાષા થઇ છે. વળી વિયોગ પડ્યો છે તેથી મન ઘણું દીલગીર છે, માટે પ્રભુજી દર્શન ક્યારે થાય ? મારે દર્શન કરવા માટે મુંબઇ આવવા વિચાર છે તો આપ આજ્ઞા આપો તો આવું. હે ભગવાન ! કૃપા કરશો. દેવાધિદેવ, મન શાંત થાતું નથી. વળી મને મૂઢતા ઘણીજ છે. વિચારદશા જાગતી નથી. માટે ભગવાન મરજી મુજબ લખાવશો. વચનામૃત વાંચવાની મરજી થાય છે. મલિનવૃત્તિ મારી ઘણીજ છે. મોળી પડતી નથી. હવે ભગવાન ! હું શું કરું ? દશા સારી થાતી નથી. વાંચતા પણ વીતર્ક ઘણા ઊઠે છે. માટે યોગ મુજબ આજ્ઞા ફરમાવશો. હે તરણ તારણ ? દયાના સિંધુ ! અમને અનંત કર્મથી મુકાવનાર સહુરૂષનો યોગ મળ્યો ને હવે અમે જેટલી કચાશ રાખીએ તે અમારી ખામી છે. જેમ નિર્ધનિયાને ધન મળે તેમ અમારે રત્નચિંતામણી પારસમણી મળ્યું છે. તો હવે તમારો કેડો મૂકનાર નથી. અનંતા પુદ્ગલ-પરાવર્તનથી આપનો આવો યોગ મળ્યો છે. તો હે શાંતિનાથ પ્રભુજી ? તમારી હવે અમને ભક્તિ જોઇએ છે ને તમારા સત્ય વાક્યથી અમને શાંતિ થાશે. આપના દરશનથી પછી અમને ઘણોજ લાભ તથા ઘણી મલિનતા ઓછી થઇ છે. એ તમારો મોટો ઉપકાર છે. જેમ સૂર્ય પ્રકાશિત થઇ અંધારાનો અભાવ થાય તેમ તમારા પ્રકાશથી અમને તમ અંધકારનો અભાવ થીઓ છે. યોગવાસીષ્ટ ગ્રંથ વારંવાર વાંચવાથી ઘણોજ લાભ થયો છે. તત્વજ્ઞાનીની આજ્ઞાથી વાંચ્યું છે તો ઘણોજ ફાયદો થયો છે. હવે તો તમારા નામની માળા ફેરવીએ છીએ. આપ અનંત કૃપાનાથનો અતિ અમૂલ્ય આશ્રય મળ્યો છે છતાં આ જીવની દશા મહા માંડી છે. જેથી જીવની સ્થિરતા રહી શકતી નથી. મન સ્થિર રહે એવા છંદ વિગેરે આપને યોગ લાગે તેમ મુખપાઠ કરવા આજ્ઞા ફરમાવશો. હે ભગવાન ? હવે હઠીલીને પહોંચ્યાતું નથી, તે છટક છીંનાળ લાગે છે. તેવી જે કલ્પનાને શું કરું? હાલતાં, બોલતાં, ભણતાં, વ્રતાદિક કરતાં જીવને અહંપણ બહુ આવે છે. તથા સંજ્ઞા પણ ઓછી થતી ૧OO
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy