SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ સત્સંગ-સંજીવની SSS S () - પરમ દયાવંત, પરમોપકારી, અનાથના નાથ, અશરણના શરણ, પરમાત્મા, જગતગુરૂ, જગતદેવ, સર્વજ્ઞ પ્રભુશ્રી સરૂદેવ પરમાત્મા શ્રી સહજાત્મ સ્વરૂપ સ્વામિશ્રીની પરમ પવિત્ર સેવામાં, શુભ ચરણ સેવામાં, મુ. ઇડર શ્રી કેશવલાલભાઇ પત્રથી જણાવે છે કે શ્રી સિદ્ધિશાસ્ત્ર તથા બીજા ઉપદેશ પત્રો મેળવવા પ્રયત્ન કરજો એમ પરમદયાળ પ્રભુની પવિત્ર આજ્ઞાનુસાર લખ્યું છે. શ્રી સિધ્ધિશાસ્ત્ર શ્રી આત્મસિધ્ધિ શાસ્ત્ર શ્રી નડીયાદ ક્ષેત્રે આપ પ.કૃ. દેવના ચરમ સમીપમાં ચાર પુસ્તક ઉતાર્યા હતા તે સિદ્ધિ શાસ્ત્ર પવિત્ર આજ્ઞાનુસાર ૧માણેકલાલભાઇ પ્રત્યે. રંગુન. ૧ પૂજ્યશ્રી સોભાગભાઇ પ્રત્યે- શ્રી સાયલા. ૧ મુનીશ્રી લલ્લુજી પ્રત્યે- શ્રી ખંભાત એ રીતે મોકલી આપ્યા હતાં અને એક પુસ્તક આજ્ઞા થવાથી મેં મારી પાસે રાખ્યું હતું. તે પુસ્તક ઉપરથી બીજા પાંચ પુસ્તક અત્રે મારા હાથે મેં ઉતાર્યા છે તે મધ્યે બે સિદ્ધિશાસ્ત્ર શાસ્ત્રી લિપીમાં અને ૩ સિધ્ધિશાસ્ત્ર ગુજરાતી લિપીમાં છે તે પૈકી ૪ પુસ્તક પુંઠા સાથે બંધાવી તૈયાર કરેલ છે અને એક પુસ્તક હાલ વગર બંધાવ્ય રહેલ છે એ રીતે નવા ઉતારેલ શાસ્ત્ર પાંચ અને નડીયાદથી મને આપેલ સિદ્ધિશાસ્ત્ર ૧ એ રીતે છ સિધ્ધિશાસ્ત્ર તથા બીજા છૂટક વિશેષાર્થ શ્રી આ. સિ.ના પવિત્ર હસ્તથી લખાયેલા પત્રો એ સર્વ મારી પાસે હાલ છે તે મધ્યેનું કોઇપણ પુસ્તક હજા સુધી મેં કોઇને આપ્યું નથી. અત્રેના સમાગમવાસી મુમુક્ષુઓને પ્રથમના ૪૨ શ્લોક અને પાછળના ઉપસંહારના શ્લોકો વંચાવવાની આજ્ઞા થયેલ તે પ્રમાણે વંચાવવા અત્રેના મુમુક્ષુઓને કહેલ પણ તેમની તેવી દશા નહીં હોવાથી હાલ તો શ્રવણ કરવા કહેલ તેથી તે સિદ્ધિશાસ્ત્ર અત્રેના મુમુક્ષુઓને વંચાવેલ પણ નથી. ફક્ત તે મારી દ્રષ્ટિ દોષને લીધે કોઇ સ્થળે અશુધ્ધ લખાયું હોય તે તપાસી લાવવા શ્રી નગીનદાસને મારી સમક્ષ અન્યોઅન્ય ફેરવી વાળેલું એટલું એક નગીનના વાંચવામાં આવેલ છે, બાકી કોઇને પણ મેં વાંચવા આપેલું નથી. વળી તે સિધ્ધિશાસ્ત્ર મારાથી બીન સાવચેતથી મુકાયું હોય અને કોઇના હાથમાં ગયું હોય એમ પણ થયું નથી. કારણકે તે સઘળા સિદ્ધિશાસ્ત્રો ચોક્કસ રીતે સાવચેતીથી મેં સાચવીને રાખેલ છે. નડીયાદના પવિત્ર સમાગમમાં કા.શુ.૬ બંગલામાં ધોરીભાઇને તે સિદ્ધિશાસ્ત્ર આપવું કે નહીં એમ મેં આપ દયાળુ પ્રભુને જણાવી આજ્ઞા માગેલી તે વખતે આપ પ.કૃ. નાયશ્રીય વિચારીને જણાવીશ કહેલું જેથી બીજા દિવસે વવાણીયા ક્ષેત્રે પધારવાના પ્રસંગે નડીયાદના સ્ટેશન ઉપર આપ દયાસાગર નાથશ્રીએ આ સેવકને આજ્ઞા કરેલ કે હાલ બીજી આજ્ઞા થતાં સુધી સિદ્ધિશાસ્ત્ર કોઇને પણ આપતાં અટકવું જેથી શ્રી ધોરીભાઇ અત્રે પધારેલ અને તેમણે માગણી કરેલી મારી પાસે છતાં મેં સિ.શા. આપ્યું નથી ફક્ત ધોરીભાઇના સમાગમમાં મેં વાંચી સંભળાવેલ છે અને તે વિષે પ્રથમ આપ દયાળુનાથને પવિત્ર સેવામાં શ્રી વવાણીયા જણાવેલ છે. આ સિવાય બીજા કોઇને મેં સિ.શાસ્ત્ર વાંચવા આપેલ નથી અને વંચાવેલ પણ નથી અને ઉતારેલ સિધ્ધિશાસ્ત્રો આજે ફરીથી તપાસતાં મારી પાસે છે છતાં વખતે મારાથી કોઇપણ પ્રકારે અવિનયાદિ કે અસતકારાદિથી કોઇ પ્રકારનો દોષ થયો હોય તો હે પ્રભુ મારૂં મસ્તક નમાવી વારંવાર નમસ્કાર કરી હું ક્ષમાપના ઇચ્છું . શ્રી ઉપદેશ પત્રો સંબંધમાં જે જે મુમુક્ષુઓ આપ પરમદયાળુ પ્રભુની ચરણસેવામાં આવી પવિત્ર દર્શનનો કલ્યાણકારી લાભ લીધેલ તેને મારા કે અત્રેના મુમુક્ષુઓ તરફથી આપવામાં આવેલ હશે તો વીશ દોહરા, આઠ ત્રોટક છંદ કે ચૌદનિયમ એ સિવાય બીજા કાંઇ આપવામાં ઘણું કરીને આપ્યું હોય તેમ લાગતું નથી. કદાપિ તે પવિત્ર સરૂ બોધ પત્રોનો આશય વખતે મારાથી લખવાનું બન્યું હશે તોપણ સમાગમમાં આવ્યા વગરના બીજા જીવોને આપવામાં આવ્યું હોય તેમ લાગતું નથી. શ્રી ભાવનગરવાળા મુની હરખચંદજીને ફક્ત શ્રી ઉગરીબેનથી ઉપદેશ પત્રોનું પુસ્તક વાંચવા આપેલ તે ગુપ્ત રીતે તેમણે ઉતારી લીધેલ અને તે વાત શ્રી ઉગરીબેને રાળજના પવિત્ર સમાગમમાં આપ ૫.કુદેવના ચરણમાં નિવેદન કરી ક્ષમાપના ઇશ્કેલ છે. નિવેદન કરી વલમાપના ઈછલ છે.
SR No.032150
Book TitleRajratna Ambalalbhai Satsangi Sanjivani
Original Sutra AuthorN/A
AuthorMumukshu Gan
PublisherSubodhak Pustakshala
Publication Year1996
Total Pages408
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size88 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy