________________
0 ઉMERS - સત્સંગ-સંજીવની GKS EVER )
પત્ર-પર
ખંભાત - વૈશાખ સુદ ૬, ભોમ, ૧૯૫૧ સત્ પરમાત્માશ્રી ત્રિકાળ નમસ્કાર.
તરણતારણ, સ્વયંબુધ્ધાણં, જગદ્ગુરૂ, શ્રી-આપનો પવિત્ર પત્ર એક મળ્યો, વાંચી અત્યાનંદ થયો. પૂજ્યશ્રી સૌભાગ્યભાઇ સાહેબની ઇચ્છા પાંચ દસ દિવસ પછી શ્રી મુંબાઇ આવવાનો વિચાર છે અને તે વખત પર નિવૃત્તિ જેવું હશે તો આ બાળકને તેડાવવા જણાવવા દયા કરવા લખ્યું તેમજ પૂ. સૌભાગ્યભાઇના આંવી જવા પછી આપ સાહેબને થોડા વખતની નિવૃત્તિનો વિચાર થઇ શક્યું તે જાણ્યું છે. પૂ. શ્રી સૌભાગ્યભાઇ સાહેબ પધાર્યેથી કૃપા કરી આ અલ્પજ્ઞ પામરને તેડાવવા કૃપા કરશો. આ પ્રથમના આપના પત્રની મતબલની સમજણફેર થયેલા દોષની પુનઃ પુનઃ ક્ષમાપના ઇચ્છું છું. શ્રી સૌભાગ્યભાઇના પધાર્યા પછી વિચાર થયેથી આ પામરને તેડાવવાની ઇચ્છા હશે તો તેમ કરવા પણ ખુશી છે, વિશેષ કૃપા કરી હે નાથ! આ અલ્પજ્ઞ પામરને આપના પવિત્ર ચરણ સમીપમાં રાખવા હે દીન દયાળ! અનંત કૃપા કરી જણાવવા દયા કરશો. આ કિરિય વંદિય મહિયા-હે પ્રભુ! આપણો કોઇ પણ પ્રકારે અવિનય આશાતના અભક્તિ કે અપરાધ કોઇ પણ મન વચન કાયા કે આત્માના યોગાધ્યવસાયથી થયો હોય તો હે વોહિયા દીનદયાળ પુનઃ પુનઃ નમસ્કાર કરી ખમાવું છું. વારંવાર સ્તુતિ કરી મસ્તક નમાવી ક્ષમાવું છું. દયાળુ નાથ શ્રી આ દીન યોગ્ય કામ સેવા ફરમાવશોજી, અલ્પજ્ઞ છોરૂના પુનઃ નમસ્કાર /તિરતો ગાયfહi vયાદિનું વંfમ નર્મલાની સવનિ सम्माणेमि कल्लाणं मंगलं देवयं चेइयं पज्जुवासामि ॥
પત્ર-પ૩
ખંભાત ..જેઠ સુદ ૧૨, રવિ, ૧૯૫૨ મહાત્મા શ્રીમાન પ્રભુશ્રી રાજચંદ્રજીદેવને ત્રિકાળ નમસ્કાર.
સ્વસ્વરૂપ વિલાસી, સદાનંદી, પૂર્ણ બ્રહ્મસ્વરૂપી, અનાથના નાથ, અશરણના શરણ, જીવનમુક્તનાથ, પરમ પુરૂષોત્તમ શ્રીમદ્ પ્રભુજીની સેવામાં, આપ સાહેબના પવિત્રચરણમાં મસ્તક મૂકી નમસ્કાર કરનાર અલ્પજ્ઞ પામરના વિધિપૂર્વક નમસ્કાર સ્વીકારશો.
પરમકૃપાના અનુગ્રહથી ભરેલા બે પત્ર મળ્યા તે વાંચી આનંદ થયો છે, તેવી જ રીતે બાળક ઇચ્છે છે.
આરંભના વિષે સંકલ્પ વિકલ્પના વિષે પ્રવર્તતું મન નિવર્તે, અર્થાત્ યત્નાથી ઉપયોગમાં વર્તી પાછું વાળે, એમજ એ સાથે વચનને પાછું વાળે; કાયાને પણ પાછી વાળે, અર્થાત્ અટકાવે એ પ્રકારે કહ્યું છે. ઉત્તરાધ્યયન ગાથા ૨૧. | મોક્ષમાર્ગના વિષે જેણે આત્મા સમર્મો છે એવા મુમુક્ષુ પુરૂષો એમ વર્તે એમ શ્રીમાનું મોટા પુરૂષો કહી ગયા છે તે વાત સત્ય છે. પ્રમાણ છે પણ તેમ નથી થઈ શક્ત એજ આ જીવનો મોટો દોષ છે, અને એમ થવાને માટેજ આ અંતરંગ અને બાહ્ય ઉપાધિનો ત્યાગ જ્ઞાનીપુરૂષોએ ઉપદેશ્યો છે. મોક્ષમાર્ગને વિષે જે પરાયણ છે એવા મુમુક્ષુ પુરૂષો પણ કહી ગયા છે કે હે ભગવાન, તલવારની ધાર પર ચાલવું સુગમ છે પણ તમારા માર્ગને
૫૮