SearchBrowseAboutContactDonate
Page Preview
Page 239
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩૧ જે અસમવાયિકારણ છે તેને “વેગ” કહેવાય છે. * અહીં માત્ર ‘સમવાિર વે?' આટલું જ લક્ષણ કરીએ તો તંતુરૂપ પણ પટરૂપનું અસમનાયિકારણ હોવાથી તંતુરૂપાદિમાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ “દિતીયાદ્રિપતન' પદના નિવેશથી તંતુરૂપાદિમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે તંતુરૂપાદિ, દ્વિતીયાદિક્ષણમાં થનારી પતનક્રિયાના અસમવાયિકારણ નથી. “દિતીયદ્વિપતનાર વે?' આટલું જ કહીએ તો કાલાદિમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે “કાલ” તો જ માત્રની પ્રતિ કારણ છે જ. પરંતુ લક્ષણમાં ‘સમય’ પદના નિવેશથી કાલીમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે કાલ તો તાદશ પતનક્રિયાનું નિમિત્તકારણ છે. અસમવાધિકારણ નથી. માવનાં નક્ષતિ....... “અનુમવનન્યત્વે સતિ ગૃતિદેતુત્વમ્' * અહીં માત્ર “મૃતિદેતૃત્વમ્' આટલું જ કહીએ તો સ્મૃતિના સમવાયિકારણ આત્માદિમાં અતિવ્યાપ્તિ આવશે પરંતુ અનુમવનન્યત્વ” પદના નિવેશથી અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે આત્મા અનુભવથી જન્ય નથી. જો ‘અનુમવઝન્યત્વે’ આટલું જ ભાવનાનું લક્ષણ કરીએ તો અનુભવધ્વંસમાં અતિવ્યાપ્તિ આવશે કારણ કે અનુભવથી જન્ય અનુભવધ્વંસ પણ છે પરંતુ લક્ષણમાં મૃતિદેતુત્વઃ પદના નિવેશથી અનુભવધ્વંસમાં અતિવ્યાપ્તિ નહીં આવે કારણ કે “અનુભવધ્વંસ’ એ સ્કૃતિનું કારણ નથી. સ્થિતિસ્થાપી ... સ્થિતિસ્થાપકનું લક્ષણ કરે છે. - “પૃથિવીમાત્રમતસંરત્વવ્યાપ્યજ્ઞાતિમત્વે સ્થિતિસ્થાપર્વમ્' પૃથિવીમાત્રમાં જે સમત છે, તે સમવેતમાં સંસ્કારત્વની વ્યાપ્ય જાતિવાળું જે છે, તેને સ્થિતિસ્થાપકગુણ કહેવાય છે. (દા.ત. - પૃથિવી માત્રમાં સમાવેત જે સ્થિતિસ્થાપક ગુણ છે, એમાં રહેલી સંસ્કારત્વની વ્યાપ્ય જાતિ જે સ્થિતિસ્થાપકત્વ છે, તે જાતિવાળો સ્થિતિસ્થાપક ગુણ છે. આ રીતે લક્ષણ સમન્વય થયું.) * “પૃથિવીમાત્રસમવેતવૃત્તિનાતિમત્ત્વમ્' આટલું જ સ્થિતિસ્થાપકનું લક્ષણ કરીએ તો ગંધત્વ જાતિમાનું ગંધ પણ પૃથિવીમાત્રમાં સમવેત હોવાથી ગન્ધમાં અતિવ્યાપ્તિ આવશે. તેના વારણ માટે લક્ષણમાં “સંwારત્વવ્યાપ્ય” પદનો નિવેશ છે. “અન્યત્વ” જાતિ તો ગુણત્વની વ્યાપ્ય છે, સંસ્કારત્વની વ્યાપ્ય નથી. * જો માત્ર સંરત્વવ્યાણજ્ઞાતિમત્ત્વમ્' આટલું જ લક્ષણ કરીએ તો સંસ્કારત્વની વ્યાપ્ય જાતિ તો “ભાવનાત્વ” પણ છે, માટે ભાવનામાં અતિવ્યાપ્તિ આવશે. પરંતુ લક્ષણમાં “pfથવીમાત્રસમવેત' પદના નિવેશથી ભાવનામાં અતિવ્યાપ્તિ નહીં આવે, કારણ કે “ભાવના' પૃથિવીમાત્ર સમવેત નથી. આત્મામાં જ સમવેત છે. * અને જો “પૃથિવીમાત્રસમવેતસંરત્વવ્યાપ્યધર્મવલ્વે સ્થિતિસ્થાપર્વનું આવું ભાવનાનું લક્ષણ કરીએ અને “જ્ઞાતિ' પદનો નિવેશ ન કરીએ તો સ્થિતિસ્થાપક અને નીલરૂપ પૃથિવીમાત્રમાં સમવેત હોવાથી તાદશ સ્થિતિસ્થાપકનીલરૂપાન્યતરત્વને લઈને રૂપમાં
SR No.032148
Book TitleTarksangraha
Original Sutra AuthorN/A
AuthorSantoshanand Shastri, Shrutvarshashreeji, Paramvarshashreeji
PublisherUmra S M P Jain Sangh
Publication Year2016
Total Pages262
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size23 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy