________________
૨૬૦ ] શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસંદેહ-બીજો ભાગ લુ એક ધર્મને લેભિ, ઉગ્ર તપી અવધૂત રે; લોહી ને માંસ ઘટી ગયાં, કરુણાવંત કડકડી ભૂત રે. મ૦ ૧૪ કાઉસગ્ગ કરી કાયા કરે, ક્ષમાવંત ને તનુ ક્ષીણ રે; માસોપવાસી મહાયતિ, કષાયે કરી જે હીણ રે. મ. ૧૫ આતમને અરથ તે ઓળખી, પાળે છે સૂધ પંથ રે; વ્યવહારથકી જે વેગળો, નિશ્ચય મારગી નિગ્રંથ રે. મ. ૧૬ દરશન દીઠે દુરગતિ ટળે, સેવાથી લહિયે શિવલાસ રે; એહવે ઉત્તમ અણગાર તે, કૃતકર્મ તો કરે નાશ . મ૦ ૧૭. ગગનમણિ કિરણથકી ગળે, માખણ પરે જેહનું શરીર રે; ચિહું દિશે પરસેવો વળે, જિમ નિઝરણે ઝરે નીર રે. મ. ૧૮ તન મલિન અને તાપે કરી, વાધ્યો તેણે દુરવાસ રે; તે પણ મુનિવર છાયા તજી, આતપ લિયે ઉલ્લાસ રે. મ. ૧૯ રાજા રાણું તે સાધુના, પ્રેમશું પ્રણમે પાય રે; ઉદયરત્ન કહે સાંભળો, એ સાતમી ઢાળ ઉચ્છહિ રે. મ. ૨૦
ઢાળ આઠમી
સુવિધે સંયમવંતના, પ્રણમી પદ અરવિંદ શુભમતિ કહે કંતને, મોટે એહ મુણીંદ. ૧ ધન્ય ધન્ય એહના ધર્માને, ધન્ય ધન્ય સાધુ સધીર; ક્ષમાવંત મુનિવર ખરે, ગુણસાગર ગંભીર. ૨ પણ પ્રભુજી એ સાધુમાં, અવગુણ મોટે એક; મહામલિન નહાય નહિ, ગુણ તેણે ગળિયા છેક. ૩ ગુણ સઘળા જાયે ગળી, સ્નાન વિના મૂણો સ્વામ! જે નહાયે પ્રાસુક જળે, તે પે ગુણગ્રામ. ૪ રાજા કહે રાણું પ્રત્યે, ઉત્તમ એહ સુપાત્ર; નાહ્યા વિણ નિર્મલ અછે, મુનિવર મેલે ગાત્ર. ૫
૧ ઉત્કૃષ્ટ; પાઠાન્તર
; , , ,