________________
૧૯૨ ]
શ્રી જિનેન્દ્ર સ્તવનાદિ કાવ્યસદેહ–બીજો ભાગ ૧૮, શ્રી મુનિસુવ્રતસ્વામી જિન સ્તુતિ મુનિસુવ્રત મહિમા, કહેતાં ન આવે પાર, હરિવંશ વિભૂષણ, નિર્દૂષણ, સુખકાર; જગમાંહીં જેહને, નહીં કે મિત્ર અમિત્ર, જેહ મિત્ર ભુવનને, જેહને તાત સુમિત્ર.
૧૯. શ્રી નેમિનાથ જિન સ્તુતિ નમિ જિનવર નમીએ, વમીએ દુરિત અશેષ, જેહથી નિતુ લહીએ, આતમગુણ સુવિશેષ; ઉપશમીએ અંગે, શમીએ કર્મને કાટ, અન્ડર રિપુ દમીએ, એ શિવપુરની વાટ.
૨૦. શ્રી વીસ વિહરમાન જિન સ્તુતિ સીમંધર, યુગમંધર સ્વામી, બાહુ, સુબાહુ, સુજાત, નમામિ,
શ્રી સ્વયંપ્રભ ગુણધામી, ઋષભાનના-નંતવીય ઉદાર, સુરપ્રભ, વિશાલ, વજધર સાર,
ચંદ્રાનન મહાર; ચંદ્રબાહુ, ભુજંગ, જિનેશ, ઈશ્વર, નેમિપ્રભ, જગદીશ,
વીરસેન મહાભદ્ર ઈશ; ચંદ્રજસા, જિતવીર્ય ભદંત, વીસે વિચરતા અરિહંત,
હું પ્રણમું ધરી ખંત.