________________
રી
( ૩૦ ] ભલે વરસાત કરવા લાગ્યા. - ત્યાર પછી રાવણ વાલી મુનિને વદના તથા નમસ્કાર કરીને ત્યાંથી ચાલ્યો અષ્ટાપદ પર્વત ઉપર ભરતે સ્થાપેલા ચિત્યની વંદના કરવા સારૂ આ
વ્યા. ત્યાં પોતાના ખડગાદિક સર્વ હથિયારો મુકીને, પિતાની સીઓ સહિત, રૂષામદિક ચિત્યેની આઠ પ્રકારે પુજા કરીને તેમની સામે અતિ આનંદ વડે વિણા વગાડવા લાગ્યા, ખુબ રંગમાં આવતી વખતે તેની તાર તુટી પડી, તે જોઈને રાવણે પિતાની ભુજામાંથી એક જાડી નાડી, કહાડી, તેમાં જોડીને પ્રથમની પેઠે વગાડવા લાગ્યો. મુછના સહિત, શુદ્ધ ગ્રામમાં આણને એવી મધુરતાથી રાગ ગાવા લાગ્યો કે, સહજ ત્યાંના સી લોકોને આનંદ થયો, તેમજ તેની સીઓ પણ નૃત્ય કરતી થકી અતિ મનોહર સ્વર સહિત ગાથન કરવા લાગી.
તે વખતે એક ઘરૌંદ્ર નામને નાગોનો રાજા ચિત્યવંદન કરવા સારૂ ત્યાં આવ્યા હતા તે રાવણની ભક્તિ જોઈને તેને કહેવા લાગ્યો; હે દશકંધર, તે એવું મધુર ગાયન કરયું કે તેને ઉપમા જ ન દેવાય. વળી તેમાં શ્રી ભગવાનના ગુણોનું વર્ણન છે, તેથી વિશેશ શોભા થઈ. એથી જણાય છે કે તારી શ્રીઅહં વિશે ઘણી ભક્તિ છે તેથી હું તને પ્રસન થયો છું. અપી આ જે તે ભગવંતના ગુણનું સ્તવન કરયું, તેનું મુખ્ય ફળ તે મેક્ષ જ છે, તથાપી હજી તારી વાસના ગઈ નથી, માટે તું કાંઈ પણ મારી પાસે માંગ, હું તારા ઉપર અતિ પ્રસન થયો છું. એમ સાંભળીને તેને રાવણ કહે છે – હે નાગૅદ્ર, આ દેવાધિ દેવના ગુણોનું વર્ણન કરયાથી તું રાજી થયા માટે તું ધન્ય છે. ને શ્રી અરિહંત વિશે એવો ભાવ રાખવો તે યોગ્ય જ છે. હે નાગે, મને દેનારો જે તું, તેની સ્વામીને વિશે પુર્ણ ભક્તિ છે. તેમજ લેનારાની પણ તેવી જ ભક્તિ હોવાથી વિશેષ આનંદ થયો છે તે જ બસ છે. એવાં રાવણનાં યુક્તિનાં વાકો સાંભળીને તેને નાગૅદ્ર કહે છે, હે રાવણ ઘણું સારૂ કહ્યું. તું ઇચ્છા રહિત હોવાથી હું રાજી થયો છું. તે પણ મારૂ વચન વ્યર્થ ન થાય, એમ કહીને અમેઘવિજયા નામની વિદ્યા શક્તિ તેણે રાવણને દીધી, પછી ધરણંદ્ર પોતાના સ્થાનકે ગયે. રાવણ પણ ત્યવંદન કરીને ત્યાંથી જતાં નિત્યલોક નામના નગરમાં જઈને ત્યાં રતનાલળી નામની કન્યાની સાથે લગ્ન કરીને લંકામાં ગયે વાલી મુનિ પણ કાળે કરો
.............ચના ક