________________
~
-
~
~
-
-
(૧૩) કળવાથી અતિ દુઃખને પામી. ત્યારે ધાતકીખંડથી નારદ ત્યાં આવ્યો. તે છે તેમને પુછ્યું કે, તમે દુખી શા સારૂ છે? ત્યારે કેશલ્યા કહેવા લાગી કે, સીતા સહિત રામ તથા લક્ષમણ પિતાની આજ્ઞાથી વનમાં ગયા. ત્યાં સીતાનું હરણ થયાથી લંકામાં ગયા, પછી રાવણ સાથે યુદ્ધ થયું. તેમાં રાવણે લક્ષમણ ઉપર શકિત નાખી. તેનું શલ્ય કાહાડવા સારૂ વિશલ્યાને લઈ ગયા ત્યાર પછી શું થયું તેની ખબર નથી, અમારે પુત્ર લક્ષમણ જીવતો છે કે નહી? એમ કહીને હે વત્સ, હે વત્સ, એવા કરૂણાસ્વર વડે સુમિત્રા સહિત રડવા લાગી. ત્યારે ત્યોને નારદ કહેવા લાગ્યો કે, તમે ધીર ધરો. ત મારા પુત્રને હું જોઈને તેમને આઇ લાવું છું. એવી પ્રતિજ્ઞા કરીને નારદ આકાશ માર્ગ ઉડયો. લોકોના મુખ થકી સાંભળેલો સર્વ વતાંત પિતાના મ નમાં રાખ્યું. પછી રામની પાસે આવ્યાથી રામે તેનુ આદર સત્કાર કર્યું અને યોગ્ય આસન ઉપર બેસાડીને તેને પુછવા લાગ્યો કે, અહી આવવા નું કારણ શું છે? એવું પુછયાથી નારદે રામની માતાનું દુઃખ કહી સં ભળાવ્યું ત્યારે રામ બિભીષણને કહેવા લાગ્યો કે, હું મારી માતાનું દુઃ ખ ભૂલી જઈને તારી ભકિતથી ઘણા રિવશ આંહી રહ્યા. અમારા વિરહના દુઃખથી ત્યાં જ્યાં લગણ મરી ગયાં નથી ત્યાં લગણ અમને ત્યાં જવું જોઈએ માટે હવે અમને રજા આપ. ત્યારે બિભીષણ નમસ્કાર કરીને કહે છે કે, અયોધ્યા નગરીને શિલ્પિઓ પાસેથી સુધારવાને આજથી હું લાગુ છું. તેને દિન સોળ લાગશે. તે કામ થઈ રહ્યા પછી તમે સુખે પધારજે. ત્યારે રામે કહ્યું કે ઠીક છે, પછી બિભીષણે કારીગર પાસેથી સોળ દીવસમાં આ પોધ્યા નગરી લંકાના જેવી કરાવી. ત્યારે નારદ રામની પાસેથી આદર સત્કાર પામીને ત્યાંથી ગયા. તે અયોધ્યામાં આવીને રામની માતાઓને તેમના પુત્ર આવવાન મહોત્સવ નિવેદન કરો. સોળમા દિવશે બ્રિયો સહિત ઇશાન ઈદ્રની પઠે રામ લક્ષમણ ઘણું વિમાનમાં બેસીને નીકળ્યા. સાથે બિભીષણ, સુગ્રીવ, ભામંડલ, તથા રાજાદિક લઈને ક્ષણ માત્રમાં અયોધ્યા નગરીમાં રામ લક્ષમણ આવ્યા. તેમને દુરથી પુછપક વિમાનમાં બેસીને આવે છે. એમ જોઈને શતરૂઘન સહિત ભારત હાથી ઉપર બેસીને તેમની સામે આવ્યું. તેને જોઈને જેમ ઇદ્રની આજ્ઞાથી પાલક વિમાન નીચે ઉ. તારે તેમ રામની આજ્ઞાથી પુષ્પક વિમાન મથ્વી ઉપર ઉતરયું. ત્યારે પ્રથમ બઇ સહિત સાત હાથી પર . પછી આનંદ સહિત રામ તથા