________________
-
-
-
- -
- - -
- -
(૧૪૪) અંગારક નામનો વિદ્યાઘર અમારા સારૂ અતિ ઉન્મત થશે. તેમાના કોઈને અમારા બાપે આપી નહી. કોઈએક દિવશે અમારા બાપે એક મુનિને પુછયું કે, આ મારી કન્યાઓને પતિ કોણ થશે ત્યારે તેણે કહ્યું કે, જે સા. હસગતિ વિદ્યાધરનો નાશ કરશે તે એ કન્યાઓને પતિ થશે. એવી રીતે તે મુનિના કહેવા ઉપરથી અમારા બાપે તેને ઘણે ધાધ કરે, પરંતુ તે જ્યાંય મળ્યો નહીં. તે મળવા સારૂ અમે આંઈ આવીને વિદ્યાની સાધના ક રવાને આરંભ કરો. તેને નાશ કરવા સારૂ અંગારક વિદ્યારે આજે દાવાનલ સલગાવ્યું હતું, તેનો તે નિષ્કારણ ભાઈએ નાશ કરો. તેથી મનો ગામીની વિદ્યા જે છ મહિને સિદ્ધ થનાર તે અમને લગારવારમાં સિદ્ધ થછે. એવું તેનું બોલવું સાંભળીને રામે સાહસગતિને મારવાનું ને હનુમાન ને કહ્યું. અને પોતાનું લકામાં જવાનું પણ કહ્યું એવું સાંભળીને તે કન્યા એ પોતાના પિતા પાસે જઈ તેને સર્વ વાત કહી. ત્યારે તે પોતાનું સેન્ય તૈયાર કરીને તત્કાલ રામની પાસે આવ્યો. તે - હનુમાન ત્યાંથી ઉડીને લંકા નગરીની પાસે આવ્યા, ત્યાં કાલરાત્રની પઠે આશાલિકા વિદ્યા જોઈ. તેની પાસે આવ્યો ત્યારે તે વિદ્યા હનુમાનને કહેવા લાગી કે, હે પી, તું ક્યાં ચાલ્યો આજ મને તું ભક્ષણ મળે. એમ કહીને તે વિદ્યાએ પિતાનું મોડુ પસારવું. ત્યારે હાથમાં ગદા ધારણ કરનારો હનુમાન તેમાં પેઠો. પછી જેમ સુર્ગ વાદળાને દુર કરીને નીકળે, તે મ તેના પિટને ફાડીને હનુમાન બાહાર નીકળ્યો, તે વિદ્યાએ કરેલા લંકાપુરીના કિલ્લાને હનુમાને પિતાની વિદ્યા વડે ઠીકરાને ફોડી નાંખવાની પઠે કટકે કટકા કરીને તોડી નાંખ્યો, તે કિલ્લાને રાખવા જે વજરમુખ નામ નો રાક્ષસ, તેની સાથે લડાઈ કરીને તેને મારો. ત્યારે તેની લંકા સુંદરી નામની કન્યા કેદમાં આવીને હનુમાનની સાથે લડવા તૈયાર થઈ, ને હનુ માનને બોલાવ્યો. પછી આકાશમાં વિજળીની પઠે. રણભૂમિમાં લંકા સુંદરી આ વીને પર્વતને મારવાની પઠે હનુમાનને મારવા લાગી, ત્યારે તેના સર્વે હથિ યારોને હનુમાને પોતાના હથિયારોથી લીલા માત્ર તોડી નાંખ્યાં, તેથી પાંદડાં વિનાની લતાની પડે તે હથિયાર વિનાની લંકા સુંદરી દેખાવા લાગી. પછી તે મનમાં વિચાર કરવા લાગી કે, તે કોણ છે? એવા આશ્ચર્યને પામીને હનુમાનની સામે જોવા લાગી, તેથી તેને કામવિકાર ઉપના, ત્યારે તેને કહેવા લાગી કે મારો બાપ મુવાથી હું રીસમાં આવીને વિચાર ન કરતાં
- -
-
-
-
-
-
-