________________
વિહાર કરો. તેમજ વિજયરથ પણ ખુશી થઈને પિતાના નંદ્યાવર્ત પુરમા ગયે.
પણે મહીધર રાજાની રજા લઈને રામ ત્યાંથી જવા નીકળ્યો, ત્યારે લક્ષમણે વનમાલા પાસેથી જવાની રજા માગી. ત્યારે તે મહાચિંતાતુર થઈ થકી કહેવા લાગી કે, હે સ્વામી પ્રાણત્યાગ વખતે તમે જે મારી રક્ષા કરી તે પરિશ્રમ ચર્ય થયું. હે પ્રાણવલભ, તારે જે હું મારી જાત તો આ વિરહનું દુઃખ દીઠું ન હોત. માટે એ સારાને બદલે નરસુ થયું. હે પ્રતિ, તારા વિયોગની સંધી જોઈને મને કોઈ બાજજ લઈ જશે. માટે હમણાં મા રી સાથે લગન કરીને મને પોતાની સાથે રાખ, તારે લક્ષમણ બોલ્યો કે, હું ભાઈનો સેવક છું. જે તું મારી સાથે ચાલીશ તો તેની સેવામાં વિઘન થશે. માટે આ વખતે તને જયાં રહેવાનું હોય, તાંહાં રેહે. હું તને એક ઘડી પણ ભુલનાર નથી. ફરી જ્યારે પાછો હું ફરીશ તારે અહીં આવીને તને મારી સાથે હું લઈ જઈશ, એને માટે જે તે સોગન આપે તે હું લેવા તઇયાર છું. હું જો ફરી પાછો અહીં ન આવું તો જેટલે રાત્રે ભોજન કરનારને પાપ લાગે છે, તે મને લાગે એમ કહી તેને રાજી કરીને તથા તે રાત્ર તાંહાં રહીને સવારના તાંહાંથી નીકળ્યા. ચાલતાં ચાલતાં તે વન વટાવીને એક ક્ષેમાંજલી નામની નગરી પાસે આવ્યા. તાંહાં બાહાર ભાગોળમાં રહ્યા. ભુખ લાગયાથી લક્ષમણ જઈને વનમાંથી ફળ લઇ આવ્યો. તેને તઇયાર કરીને જાનકીએ રામને આપ્યાં. તથા પછી પોતે પણ ખાધાં. એમ ક રતાં કેટલાએક દિવશ ગયા પછી રામની રજા લઈને લક્ષમણ તે નગરને જોવા સારૂ વસ્તીમાં ગયો. તાંહાં રસ્તામાં ચાલતાં એક થાળી પીટતી હતી તે તેણે જોઈ પાસે જઈ સાંભળવા લાગે, “જે કોઈ પુરૂષ આ રાજાનો શક્તિપ્રહાર સહન કરશે. તો તેને રાજા પોતાની કન્યા પરણાવશે.” એવું સાંભળીને કોઈ પાસે ઉભેલા પુરૂષને તેણે પુછ્યું કે, આ થાળી શાની પીટાઈ ? ત્યારે તે કહેવા લાગે કે, શતરૂદમન નામને અહીં રાજા છે. તેની સ્ત્રી કનકા વતીના પેટે જન્મેલી કવ્ય કમળ જેવાં જેનાં નેત્રે છે, અને જાણે લક્ષમીને જ રહેવાની જગા હાયની? એવી જન્મી. તેનું નામ છતપદમા છે. તે ઉપર થઇ છતાં તેને વર કરી આપવાની આગમજ તેનું સામર્થ્ય જેવા સારૂ રાજા નિત્ય આ પ્રમાણે થાળી પીટાવે છે, પરંતુ આજ સુધી કોઇ પણ એ પુરૂષ મળ્યો નથી. જે રાજાનો મુઠ્ઠી મહાર સહન કરે
એવું સાંભળીને લક્ષમણ તે જ વખતે રાજ સભામાં ગયો, ત્યારે તેને રા
~
નજર મારા
-