SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪ સમુચ્છેદવાદ નિલવવાદ કરવાના નયનું નિરૂપણ ચાલતું હતું ત્યારે આવા પ્રકારનો પાઠનો એક આલાવો આવ્યો. તે પાઠ આ પ્રમાણે જાણવો. “પડુપ્પન્નસમયને ડ્વા સર્વે વોિિખ્રાંતિ, વં તાવ વેમાળિયન્તિ, વં વીયાસમક્ષુ વિ વત્તભ્રં" હવે તે પાઠની વિચારણા કરવામાં આવી. “પડુન્નસમયનારા: સર્વેપિ તાવવું વ્યવછેવું પ્રાન્તિ, અર્થ :- વર્તમાન સમયવર્તી સર્વે પણ નારકીના જીવો બીજા જ સમયે વિનાશને પામશે. એમ યાવત્ વૈમાનિક સુધીના સર્વેપણ દંડકવાળા જીવો પ્રતિસમયે વિનાશ પામે છે.” આ જ પ્રમાણે સર્વે પણ દંડકના જીવો દ્વિતીયાદિ સમયોમાં પણ પ્રતિસમયે વિનાશને પામે છે. આવા પ્રકારના પાઠનું અધ્યયન કરતા કરતા અશ્વમિત્ર મુનિને મનમાં શંકા ઉત્પન્ન થઇ. તે આ પ્રમાણે વર્તમાનકાલના સમયમાં વર્તતા સર્વે પણ નારકીના જીવો અવશ્ય વ્યવચ્છેદને (વિનાશને) પામશે જ. તેથી બીજા સમયે તે જીવ રહેવાના જ નથી. તો સુકૃત કે દુષ્કૃત એવા કર્મના ફલનું વેદન તે જીવ કેવી રીતે પામી શકે ? સર્વે પણ જીવો ક્ષણિકમાત્ર જ છે. ઉત્પન્ન થતાંની સાથે જ બીજા સમયે મૃત્યુ પામે જ છે. આ પ્રમાણે પોતાની સ્વયં બુદ્ધિથી કલ્પના માત્ર કરીને પ્રરૂપણા કરતા તે અશ્વમિત્ર મુનિ કામ્પિલ્યપુર નગરમાં કે જેનું બીજુ નામ રાજગૃહી નગરી છે ત્યાં ગયા ત્યાં ખંડરક્ષક નામના શ્રાવકો વસતા હતા. તેઓ રાજા તરફથી નક્કી કરાયેલા શૂલ્કને (ટેક્ષને) ઉધરાવનારા હતા. તેઓ દ્વારા જાણવામાં આવ્યું કે- “આપણા ગામમાં આવા નિર્હાવો (ભગવાનની વાતને ન માનનારા) આવ્યા છે. એટલે તેઓને પકડીને માર મારવાનો આરંભ કરાયો. તેથી ભયભીત થયેલા તે અશ્વમિત્ર આદિ નિર્ણવો વડે કહેવાયું કે “અમે એમ જાણીએ છીએ કે તમે બધા શ્રાવક છો. પરમાત્મા શ્રી મહાવીર પ્રભુના પરમ ઉપાસક છે. તો શા માટે અમને શ્રમણ લોકોને તમે મારો છો ? ત્યારે તે બલભદ્ર આદિ શ્રાવકો વડે કહેવાયું કે “જે દીક્ષિત થયેલા શ્રમણ હતા. તે તો તમારા સિદ્ધાન્ત પ્રમાણે દીક્ષા લેતાંની સાથે જ તે સમયે જ વિનાશ પામી ગયા.તમે તો તેની પછી ઉત્પન્ન થયેલા ચોર આદિ કોઈ અન્ય જાતિના લોકો છો. માટે અમે તમને મારીએ છીએ. તેથી તે રાજપુરુષો વડે મરાતાં ભયભીત થયેલા એવા તે અશ્વમિત્રાદિ મુનિઓ વડે પોતાનો દુરાગ્રહ તજાયો. અને આ શ્રાવકો વડે જ સમ્યગ્ બોધ પામ્યા. પોતાની માન્યતાની કરેલી ભૂલનું મિચ્છામિ દુક્કડં આપીને ગુરુજીના ચરણ કમલમાં ગયા. (અને આત્મશુદ્ધિને પામ્યા.) આ બન્ને ગાથાઓ નિર્યુક્તિની છે. તેના ઉપર હવે ભાષ્યકાર મહારાજા વિવેચન કરશે. ॥ ૨૩૯૦ ॥
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy