________________
એક પ્રદેશવાદ
નિહ્નવવાદ
વિવેચન :- અન્તિમ તત્તુભાગ તે પટ નથી જ, (આ પ્રતિજ્ઞા સમજવી) કારણ કે તે પટનું શીતત્રાણાદિ જે જે કાર્ય છે તે કાર્ય ચરમ તન્તુ માત્ર કરતો નથી તેથી (આ હેતુ જાણવો). જેમ કે ઘટ (એટલે કે કુંભ-આ ઉદાહરણ જાણવું.)
૫૪
હવે કોઈ પણ એક તન્તુ પટનું કાર્ય (શરીર ઢાંકવું. ઠંડીને રોકવી વિગેરે કાર્ય) કરતું નથી. છતાં પણ જો એક -બે તત્તુને’આ પટ છે “આમ માનશો તો માટીનો ઘટ અથવા આકાશપુષ્પ પણ પટ કેમ ન કહેવાય ? પટનું કાર્ય ન કરવા પણું તો જેવું એક તત્ત્તમાં છે. તેવું જ ઘટમાં અને આકાશ પુષ્પમાં પણ છે જ, માટે અન્તિમ ચરમ અવયવમાં અવયવી માનવો તે વ્યાજબી નથી. || ૨૩૫૨ ||
અવતરણ:- તથા = તથા વળી બીજી યુક્તિ પણ સમજાવે છે. उवलंभ ववहाराभावाओ, नत्थि ते खपुष्पं व । અંતાવયવેવયવી, વિનંતા માવો વાવિ॥ ૨૧૩ ॥
ગાથાર્થ :- તે નસ્થિતમારો માનેલો અન્ય અવયવમાં અવયવી નથી. કારણ કે ઉપલંભ અને વ્યવહારનો અભાવ છે માટે, આકાશપુષ્પની જેમ અન્ય અવયવ માત્રમાં અવયવી માનવો તે વાત કોઈ અનુકુળ દૃષ્ટાન્ત ન હોવાથી ઉચિત નથી. ।।૨૩૫૩॥
વિવેચન :- અન્ય અવયવ માત્રમાં અવયવી છે ‘આવો તમારો માનેલો અવયવી આ સંસારમાં નથી. ઉપલબ્ધિની પ્રાપ્તિ ન હોવાથી.(એટલે કે તેવો કોઈ પણ વ્યવહાર થતો દેખાતો નથી) તથા તેવો વ્યવહાર પણ થતો નથી માટે, આકાશપુષ્પની જેમ, અથવા અન્ય અવયવમાત્ર જ અવયવી છે. કારણ કે અવયવિની સમાપ્તિનું કારણ તે માટે, “આવા પ્રકારના અનુમાનમાં સાધ્યની સિદ્ધિ કરી આપે તેવું કોઈ ઉદાહરણ મળતું નથી. માટે પણ સાધ્યની સિદ્ધિ થતી નથી. સારાંશ કે આ અનુમાન પણ ખોટું જ છે | ૨૩૫૩ ||
અવતરણ :- અન્ય અવયવ માત્રમાં અવયવી દેખાતો નથી. ત્યાં અવયવીનો વ્યવહાર પણ કરાતો નથી અને તેને અનુકુલ કોઈ દેષ્ટાન્ત ન હોવાથી અન્ય અવયવમાત્રમાં અવયવીનું અનુમાન પણ કરાતું નથી. તેથી શું સિદ્ધ થાય છે. તે ગ્રંથકારશ્રી સમજાવે છે કે
पच्चक्खओऽणुमाणादागमओ वा पसिद्धी अत्थाणं । सव्वप्पमाणविसयाईयं मिच्छत्तमेवं भे ॥ २३५४ ॥
ગાથાર્થ :- કોઈ પણ પદાર્થની સિદ્ધિ પ્રત્યક્ષથી, અનુમાનથી અથવા આગમથી થાય છે. પરંતુ અન્ય અવયવ માત્રમાં જ જે અવયવી માનવાનો તમારો મત છે. તે સર્વ પ્રમાણોના વિષયથી બહાર છે. તેના કારણે તે મિથ્યાત્વમાત્ર છે || ૨૩૫૪ ||