SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૮ એક પ્રદેશવાદ નિતવવાદ તીય નિહાળી હવે બીજ નિતવનું વર્ણન ગ્રંથકારશ્રી કરે છેसोलस वासाणि तया, जिणेण उप्पाडियस्स नाणस्स । जीव पएसियादिट्ठी, तो उसभपूरे समुप्पन्ना ॥ २३३३ ॥ रायगिहे गुणसिलए, वसु चउदसपूव्वि तीसगुत्ते य ।। आमलकप्पा नयरी, मित्तसिरी कूरपिउडाई ॥ २३३४ ॥ ગાથાર્થ :- શ્રી મહાવીર પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાંને (૧૬) સોળ વર્ષો વીત્યાં હતાં ત્યારે (રાજગૃહી છે બીજુ નામ જેનું એવા) શ્રી ઋષભપુર નામના નગરમાં જીવપ્રાદેશિક દૃષ્ટિ ઉત્પન્ન થઈ. રાજગૃહી નામની નગરીમાં ગુણશિલ નામના દૈત્યને વિષે ચૌદપૂર્વધારી એવા વસુ નામના આચાર્ય થયા. તેમના શિષ્ય તિષ્યગુપ્ત છે નામ જેનું એવા સાધુ બીજા નિહ્નવ થયા. તેઓશ્રી વિહાર કરતા કરતા આમલકકલ્પા નામની નગરીમાં પધાર્યા. ત્યાં મિત્રશ્રી નામના શ્રાવકવડે કૂર અને ભાતના દાણા આદિના દાન વડે પ્રતિબોધિત કરાયા. || ૨૩૩૩-૨૩૩૪ || વિવેચન - પરમાત્મા શ્રી મહાવીર સ્વામી પ્રભુને કેવલજ્ઞાન પ્રગટ થયાંને (૧૬) સોળ વર્ષ પસાર થયાં હતાં ત્યારે રાજગૃહી છે બીજાનામ જેનું એવા ઋષભપૂર નામના નગરમાં વસુ નામના આચાર્યના શિષ્ય એવા તિષ્યગુપ્ત નામના બીજા નિકૂવ થયા. જેઓની જીવપ્રાદેશિકદષ્ટિ હતી (અન્તિમ એક પ્રદેશમાં જ જીવ છે આવી દષ્ટિવાળા બીજા નિદ્ભવ થયા. કોઈ પણ વસ્તુઓ અન્તિમ પ્રદેશ આવે ત્યારે જ તે વસ્તુ સમાપ્ત થઈ કહેવાય છે. માટે અત્તિમ પ્રદેશમાં જ વસ્તુ છે આવી માન્યતાવાળા બીજા તિષ્યગુપ્ત નામના નિદ્વવ થયા. જેમકે સેંકડો તજુઓને તાણાવાણા રૂપે ગોઠવવામાં આવે ત્યારે જ એક ધોતી બને છે તેમાં અન્તિમ તનુ જોડવામાં આવે ત્યારે જ સંપૂર્ણ ધોતી બની કહેવાય છે માટે તે અન્તિમતનું એ જ સંપૂર્ણ ધોતી છે. આવી માન્યતા આ બીજા તિષ્યગુપ્ત નિદ્વવની હતી.
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy