________________
૩૪ બહુરતમત
નિહ્નવવાદ જ વર્તે છે તેને બળાયાં છે આમ કેમ નથી કહેવાતું ? દાહની ક્રિયાનો અભાવ તો બન્ને સ્થાને તુલ્ય જ છે જેમ સાડાને દાહની ક્રિયા પૂર્ણ થયા પછી દાહની ક્રિયાના અભાવમાં જ દગ્ધ કહો છો. તેમાં ત્રણે ભુવનને પણ દગ્ધ કહોને ! કેમ ત્રણ ભુવનને દગ્ધ માનતા નથી ? દગ્ગક્રિયાનો અભાવ તો બળી ગયેલા સાડામાં અને ત્રણે ભુવનમાં સમાન જ છે. માટે હે પ્રિયદર્શનાજી ! તમે કંઈક સમજો. તમારો આ સિદ્ધાન્ત બરાબર નથી. આ સમજાવવા માટે જ મેં આ અંગારો નાખવાનો પ્રયાસ કર્યો છે. || ૨૩૨૮ |
અવતરણ - ઢક નામના શ્રાવકે આ પ્રયત્ન કર્યો ત્યારબાદ તે પ્રયત્નથી શું થયું? તે કહે છેउज्जुसुयनयमयाओ, वीरजिणिंदवयणावलंबीणं ॥ जुज्जेज्ज डज्जमाणं दहूं, वोत्तुं न तुझं ति ॥ २३२९ ॥
ગાથાર્થ - બળતું હોય તેને બળ્યું છે આમ કહેવાય આ જાસૂત્રનયનો મત હોવાથી વીર પરમાત્માના વચનોનું અવલંબન લેનારાને આ નયની દષ્ટિએ “બળાતું હોય તેને બળાયું છે” આમ કહેવાય અને તે કહી પણ શકે. પરંતુ તે પ્રિયદર્શનાજી ! તમારે તો આમ ન જ કહેવાય ? || ૨૩૨૯ ||
વિવેચન :- ટંકશ્રાવકે અવસર જાણીને પ્રિયદર્શનાજીને સમજાવવાનો વધારે વધારે પ્રયત્ન કર્યો કે સાતે નયોને માનનારા અને યથાસ્થાને જોડનારા એવા શ્રી મહાવીરપ્રભુનો આ સિધ્ધાન્ત છે. તેનું જ અવલંબન (આધાર) લેનારા જે આત્માઓ હોય તે જ આમ બોલી શકે અને માની શકે કે “બળાતું હોય તે બળ્યુ” કહેવાય. કારણ કે સાતે નય માનનારા આત્માઓ જ યથાસ્થાને તેનું મુંજન કરે. તેમાં આ ઋજુસૂત્રનયનો મત છે અર્થાત્ આ નયની દષ્ટિએ “બળતું હોય તેને બળ્યું કહેવાય”. તેથી અમારા જેવા મહાવીર પ્રભુને અનુસરનારા આમ બોલી શકે કે બળાતો સાડો બળાયો આમ બોલી શકે, પરંતુ તમે તો જમાલિજીના મતને અનુસારના છો તેમના મત પ્રમાણે તો બળાતું હોય તેને બળાતું જ કહેવાય. બળાયું છે આમ ન કહેવાય. માટે હે પ્રિયદર્શનાજી ! તમે સાચી વાતને કંઈક સમજો.
કાં તો આખો સાડો બળી રહે એક પણ તંતુ બાકી ન રહે ત્યારે “મારો સાડો કેમ બળાયો” આમ બોલો અથવા આ સિધ્ધાન્તને જતો કરીને કહો કે “બળાતું હોય તેને બળાયું પણ કહેવાય. આમ મહાવીર પ્રભુનો મત સ્વીકારો.
આ પ્રમાણે ઢંકશ્રાવકે પ્રિયદર્શનાજીને સમજાવવાનો ખુલ્લે ખુલ્લો ઘણો ઘણો પ્રયત્ન કયો. || ૨૩૨૯ ||