________________
નિઠવવાદ
ગાથાર્થ :- બોટિકો (દિગંબર મતાનુયાયીઓ) ભિન્ન મતવાળા છે, ભિન્નલિંગવાળા છે, અને ભિન્ન આચરણવાળા છે તેથી મિથ્યાષ્ટિ મનાયા છે. તેથી તેઓને ઉદ્દેશીને બનાવેલા આહારાદિ જે મુનિને યોગ્ય હોય (કંદમૂળાદિ ન હોય તો) શ્વેતાંબર મુનિઓને કલ્પ્ય બને છે. ॥ ૨૬૨૦ ||
૨૫૨
વિવેચન :- દિગંબર મુનિઓ અને શ્વેતાંબર મુનિઓ બન્ને જૈનમુનિ હોવા છતાં પણ ભિન્ન છે મત જેનો, ભિન્ન છે લિંગ જેનું અને ભિન્ન છે આચરણા જેની એવા દિગંબર મુનિઓ માટે જે આહારાદિ બનાવ્યા હોય તેમાંથી કંદમૂળ અથવા સચિત્તાદિ દોષ વિનાનો જે કલ્પ્ય આહાર હોય તે શ્વેતાંબર મુનિઓને લેવો કલ્પે છે.
સામાન્ય નિયમ એવો છે કે મુનિમહારાજાઓ માટે બનાવેલો આહાર આધાકર્માદિ દોષવાળો હોવાથી મુનિને લેવો કલ્પે નહીં. પરંતુ દિગંબર મુનિઓનો મત-લિંગ અને આચરણા ભિન્ન હોવાથી મિથ્યાદૃષ્ટિ છે. તે માટે તેઓ સાચા સાધુ જ નથી તે માટે જે આહાર તેઓ માટે બનાવાયો હોય તે યથાર્થ (સાચા) મુનિ માટે બનાવાયો નથી. મિથ્યાર્દષ્ટિ (મુનિઓ) માટે બનાવાયો છે તે કારણથી તે આહાર શ્વેતાંબર મુનિઓને કલ્પ્ય બને છે.
ફક્ત તેમાં જે આહાર બનાવાયો છે તે કલ્પ્ય હોવો જોઇએ જો સચિત હોય. અનંતકાય હોય. રીંગણ આદિ અથવા બટાકા આદિ કંદમૂળ હોય તો ન કલ્પે. પરંતુ કલ્પ્ય આહાર હોય તો જ કલ્પે. ‘અકલ્પ્ય આહાર લેવો જે ન કલ્પે” તે પણ અકલ્પ્યતાના કારણે સમજવું.
મત લિંગ અને ભિક્ષા લેવા વિગેરેના વિષયવાળી આચરણા- આ ત્રણે ભિન્ન છે જ્યાં તેવા (દિગમ્બરો) બોટિકો શાસ્ત્રમાં મિથ્યાર્દષ્ટિ કહેલા છે. ભિન્નમત કરેલ હોવા આદિના કારણોથી નિર્યુક્તિકાર શ્રી ભદ્રબાહુસ્વામી વડે મિથ્યાર્દષ્ટિ તરીકે તેઓને જણાવાયા છે. તીર્થંકર ભગવાન કથિત માર્ગ ઉપર ચાલનારા યથાર્થ સાધુ નથી.
તે કારણથી તે (ટિંગબર) બોટિકો માટે જ જે આહારાદિ કર્યા હોય. તે શ્વેતાંબર સાધુઓને કલ્પ્ય બને છે.
પ્રશ્ન :- બોટિકોને (દિગંબરોને) ઉદ્દેશીને બનાવેલા આહારમાં તો સચિત્ત આહાર, કાકડી અને દાડમ આદિ પણ કરાય છે તથા અનન્તકાય અને રીંગણ-વંતાક વિગેરેનાં શાક બનાવ્યા પછી અચિત્ત છે એમ માનીને સંસ્કારિત કરાય છે તો તે સર્વ સચિત્ત અને કંદમૂળ તથા રીંગણાદિનાં શાક શ્વેતાંબર સાધુને શું કલ્પે ?
ઉત્તર ઃ- ના, તે ન કલ્પે. પરંતુ નં = નનોમાં જે જે આહાર મુનિને માટે યોગ્ય