________________
૨૦૦ દિગમ્બર અવસ્થા
નિતવવાદ ત્યારબાદ ગુરુજીની તે કંબલરત્ન રાખવામાં સમ્મતિ ન હોવા છતાં પણ સંતાડીને મૂર્છાથી તે કંબલ ધારણ કરાઈ. ગોચરી ચર્યામાંથી આવીને દરરોજ તે કંબલરત્નને આ જીવ તપાસી લે છે. પરંતુ ક્યારેય તે કાંબળ રત્નનો ઉપયોગ આ શિવભૂતિ કરતા નથી.
આ કારણથી આ શિવભૂતિ આ કાંબલરત્નમાં મોહિત થયો છે. એમ જાણીને ગુરુજી વડે તેને પુછડ્યા વિના જ તે બહાર ગયો હતો ત્યારે તે કાંબળરત્નને ફાડીને તેના ટુકડા ટુકડા કરીને પગ લુંછવાના રૂમાલ રૂપે બધા જ સાધુઓને તે ટુકડા અપાયા. ત્યારબાદ જાણી છે બધી હકિકત જેણે એવો તે શિવભૂતિ કષાયયુક્ત વિપરીત પરિણામવાળો થયો.
એક દિવસ સૂરિ મહારાજ જિનકાલ્પિક મુનિઓનું વર્ણન કરતા હતા. તે આ પ્રમાણે :जिणकप्पिया य दुविहा, पाणिपाया पडिग्गह धरा य । पाउरणमपाउरणा, इक्किक्का ते भवे दुविहा ॥ १ ॥ दुग-तिग चउक्क पणगं नव दस एक्कारसेव बारसगं । एए अट्ठ विगप्पा, जिणकप्पे होंति उवहिस्स ॥ २ ॥
અર્થ - જિનકલ્પી જીવો બે પ્રકારના હોય છે પાણિપાત્રવાળા (હાથમાં જ ભોજન કરનારા) અને પાત્રધારી. આ બન્ને પણ બે પ્રકારના હોય છે. વસ્ત્રવાળા અને વસ્ત્રવિનાના I/૧ / બે, ત્રણ, ચાર, પાંચ, નવ, દશ, અગિયાર અને બાર વસ્તુઓ રાખનારા એમ કુલ આઠ પ્રકારના મુનિઓ જિનકલ્પમાં હોય છે. રા/
ભાવાર્થ આ પ્રમાણે છે. કેટલાક જિનકલ્પિક મુનિઓને રજોહરણ અને મુહપત્તિ એમ બે જ વસ્તુ હોય છે. અન્ય કોઈને વસ્ત્રની સાથે ત્રણ વસ્તુ હોય છે કોઈ-કોઈ જિનકલ્પિક મુનિઓને બે વસ્ત્ર સાથે ચાર વસ્તુ પણ હોય છે કોઈ જિનકલ્પિક મુનિને ત્રણ વસ્ત્ર સાથે પાંચ વસ્તુ પણ હોય છે.
તે કેટલાક જિનકલ્પિક મુનિઓને રજોહરણ અને મુહપત્તિની સાથે :पत्तं पत्ताबंधो, पायट्ठवणं च पायकेसरिया । पडलाइं रयत्ताणं च, गोच्छओ पायनिज्जोओ ॥ १ ॥
આ શ્લોકમાં કહ્યા પ્રમાણે સાત પ્રકારનાં પાત્રોનો સંબંધ હોય છે. તેમાં રજોહરણ અને મુહપત્તિ ઉમેરતા એમ કુલ નવ પ્રકારની વસ્તુઓના યોગવાળા પણ જિનકલ્પિક મુનિઓ હોય છે. તેની સાથે સાથે એકવર્સ રાખનારા મુનિઓ દશ વસ્તુવાળા, બે વસ્ત્ર રાખનારા મુનિઓ અગિયાર વસ્તુવાળા, અને ત્રણ વસ્ત્ર રાખનારા મુનિઓ બાર વસ્તુઓ રાખનારા મુનિઓ એમ કુલ આઠ પ્રકારના જિનકલ્પિક મુનિઓ હોય છે.