________________
સપ્તમ નિદ્ધવ ગોષ્ઠામાહિલ મુનિ
૧૯૫ વિવેચન :- કોઈ પચ્ચક્કાણ કરનારા જીવે તિવિહારનું પચ્ચક્માણ કરવાનો મનમાં વિચાર કર્યો અને પચ્ચક્કાણ આપનારા ગુરુજી આદિ વડીલ પાસે પચ્ચશ્માણ માગ્યું.
ત્યાં પચ્ચખાણ આપનાર વડીલ અધિકતર સંયમ પાળવામાં જ આકર્ષાયેલા એવા ચિત્તવાલા હોવાથી “ચઉવિહારનું” પચ્ચશ્માણ બોલાઈ ગયું અને પચ્ચક્કાણ લેનારે પણ પચ્ચખામિ આમ કહી દીધું. આવા પ્રકારના વ્યંજનો (શબ્દો) બોલાઈ ગયા.
આ પ્રમાણે માનસિક ભાવના અનુસરણ કરતાં ભિન્ન પ્રકારનાં (તિવિહારને બદલે ચોવિહારના) વ્યંજનો શબ્દોનું ઉચ્ચારણ થવા છતાં ચોવિહારના વિષયવાળા શબ્દોનું સમુચ્ચારણ થવા છતાં પણ પચ્ચક્કાણના વિષયની અનેક પ્રકારની સૂક્ષ્મ વિવક્ષા કર્યા વિના પચ્ચખ્ખાણ કરનારાના આત્માનો જે મનોગત ભાવ છે તે જ પચ્ચખ્ખાણ પ્રમાણ ગણાય છે. સારાંશ કે પચ્ચખ્ખાણ કરનારા આત્માનો વિવક્ષિત પચ્ચખ્ખાણના વિષયવાળો મનોગત જે ભાવ છે તે જ પ્રમાણ જણાય છે.
પરંતુ ઉચ્ચારણ કરાયેલા વ્યંજનો = શબ્દો તે પ્રમાણ ગણાતા નથી. કોઈ કદાચ પ્રશ્ન કરે કે પચ્ચકખાણ આપનારાના બોલાયેલા શબ્દોને કેમ પ્રમાણ ગણાતા નથી? તો શાસ્ત્રકાર ભગવંત કહે છે કે જે કારણથી અલના એટલેકે તે વ્યંજનો જે ભિન્ન બોલાયા છે. તે છલમાત્ર (ભૂલ માત્ર) થઈ છે. તેથી તે પ્રમાણ ગણાતું નથી. કારણ કે આ વ્યંજનો પચ્ચક્માણ કરનારાના હાર્દિક ભાવને અનુસાર પ્રવર્તેલા નથી. માટે વ્યંજનો તે અપ્રમાણ છે.
આ પ્રમાણે આગમશાસ્ત્રોમાં પણ વચનની અપ્રમાણના જણાવેલી હોવાથી જ પચ્ચક્માણ કરનારા એવા તારો માનસિક ભાવ વાવજીવની અવધિવાળો જ હોય તો વચનો પણ તેવાં જ પાવજીવનું મારે પદ્માણ આમ જ બોલવું જોઈએ.
ખાલી ખાલી મિથ્યા આગ્રહવડે શું લાભ ? | ૨૪૪૫ /
અવતરણ - આ પ્રમાણે ઘણી ઘણી યુક્તિઓ વડે સમજાવવા છતાં પણ આ ગોઝમાહિલ જ્યારે કેમે કરી સાચી વાત સ્વીકારતા નથી. ત્યારે ત્યાં શું થયું? તે હવે કહે છે :
इय पण्णविओ वि, न सो जाहे सद्दहइ पूसमित्तेणं । अन्नगणत्थेरेहि य काउं तो संघसमवायं ॥ २५४६ ॥ आहूय देवयं वेइ, जाणमाणोवि पच्चयनिमित्तं । वच्च जिणिदं पुच्छसु गयाऽऽगया सा परिकहेइ ॥ २५४७ ॥ ગાથાર્થ - આ પ્રમાણે સમજાવવા છતાં પણ જ્યારે તે ગોઠામાહિલ આ વચનની