________________
૧પ૬ ઐરાશિકમત
નિતવવાદ | વિવેચન - આમ સામાન્યથી “તું ઘટ લાવ.” આવું જ કહેવામાં આવે તો શબ્દાર્થ પ્રમાણે તો કોઈ વિશિષ્ટ ઘટ લાવવાનો ઉલ્લેખ કર્યો નથી. તેથી જગદ્વર્તી સર્વ ઘટ લાવવા જોઈએ. પરંતુ તે સર્વ ઘટનું આનયન શક્ય નથી પરંતુ પર એવા શબ્દથી વાચ્ય એવા સકલ ઘટનું આનયન શક્ય ન હોવાથી તેવું કહેનારને સર્વઘટ લાવવાનું પ્રાય: પ્રયોજન પણ ન સંભવતું હોવાથી અર્થના વશથી સામર્થ્યથી જ નિયત દેશ અને નિયત કાલાદિથી અવચ્છિન્ન એવો કોઈ વિશિષ્ટ એવો એક ઘટ જ સમજાય છે તેને જ લાવીને કહેનારને સમપિત કરાય છે.
તેવી જ રીતે અહીં “પૃથ્વી દિ' આમ કહે છતે સમસ્ત એવી પૃથ્વી માગવી અને લાવવી શક્ય ન હોવાથી તથા પ્રાયઃ તેવું પ્રયોજન પણ વક્તાને ન હોવાથી પૃથ્વીનો એક ટુકડો જેમ કે લેખું, તેને જ પૃથ્વી છે આમ માનીને કોઈ પણ વિશિષ્ટ એવો લેણું જ લાવવાનો અભિપ્રાય તે દેવના મનમાં થાય છે એટલે કે લેણું સમર્પણ કરવાની બુદ્ધિ તે દેવને થાય છે કારણ કે દેવને મનમાં આવો વિચાર પ્રકરણના વશથી અવશ્ય સૂઝે છે કે :
પૃથ્વી મંગાવનાર આ જીવને સમસ્ત ત્રણ ભુવનાત્મક પૃથ્વીની જરૂર નથી તથા લાવી પણ ન શકાય. પરંતુ તેના એકદેશભૂત એવા લેણુનું જ પ્રયોજન છે તે જ મારે લાવીને આપવું જોઈએ. આમ પ્રકરણના વશથી આપોઆપ સમજાય જ છે.
હવે મૂલ પ્રસ્તુત વાત સમજાવે છે કે “પૃથ્વી દિ' આમ કહે છત ઉપર કહેલા ન્યાય પ્રમાણે સમસ્ત બ્રહ્માંડ રૂપ પૃથ્વી આપવા-લેવાની નથી. પરંતુ તેના એકદશભૂત લેણું જ મારે આપવાનું છે અને તે જ વસ્તુ આ સામેનો જીવ માગે છે.આવી બુદ્ધિ જેમ થાય છે તે જ પ્રકારે “નોપૃથ્વી દિ' આમ કહે ત્યારે તે જ પૃથ્વીના એક ખંડરૂપ તેના એક-દેશને જ આપવા-લેવાની બુદ્ધિ થાય છે. આમ જ સમજવું જોઈએ ર૪૯૯૨૫૦૦ગા.
અવતરણ - “આ પુતિદિના જે ભારિ” ૨૪૯૭ ગાથામાં તમારા વડે પહેલાં તેનો જે એકદેશ હોય તે પૃથ્વી છે. એમ કહેવાયું હતું અને હવે નોવૃથિવી છે. આમ કેમ કહેવાય છે ! તેવી શંકા કરીને ઉત્તર આપતાં કહે છે કે :
लेहुदव्वावेक्खाए, तह वि तद्देसभावओ तम्मि । उवयारो नोपुढवी, पुढविच्चिय जाइलक्खणओ ॥ २५०१ ॥ ગાથાર્થ - લેણુ એ એક દ્રવ્યવિશેષ જ છે આમ માનીને તેના એક દેશભાગમાં