________________
ષષ્ઠમ નિદ્ધવ રોહગુપ્ત મુનિ
૧૫૫ અવતરણ - લેખનો દેશ જરૂર છે. પરંતુ પૃથ્વી નથી. આમ જ માનો ને? આવો કોઈ પ્રશ્ન કરે તો તે અયુક્ત જ છે. કેવી રીતે તે અયુક્ત છે. આ વાત સમજાવતાં કહે છે કે :
देहि भुवं तो भणिए, सव्वाणेया न यावि सा सव्वा । सक्का, सक्केण वि याणेउं किमुयावसेसेणं ॥ २४९८ ॥
ગાથાર્થ :- “મને પૃથ્વી આપો” આમ માગણી કરે છતે ખરેખર તે દેવે સમસ્ત પૃથ્વીખંડ જ લાવીને આપવો જોઈએ. પરંતુ શક્તિશાળી એવા શક્રેન્દ્ર વડે પણ તે સમસ્ત પૃથ્વી લાવી શકાય તેમ નથી. તો બીજા સામાન્ય દેવ તો તે સકલ પૃથ્વી ક્યાંથી આપી જ શકે ? || ૨૪૯૮ || - વિવેચન :- જો લેછુ એ જ પૃથ્વી છે આમ ન જ માનીએ તો જ્યારે યાચકે દેવ પાસે “મૂર્વ દિ" આવી માગણી કરી ત્યારે સમસ્ત એવાં ત્રણે ભૂવનમય પૃથિવી જ લાવીને આપવી જોઇએ (પણ એક લેખું ન આપવું જોઈએ. કારણ કે લેણુ એ પૃથ્વી નથી જ એમ જ તમે માન્યું છે માટે). પરંતુ તે સકલ એવી પૃથ્વી ઇન્દ્ર મહારાજા વડે પણ લાવવી શક્ય નથી. તો પછી કુત્રિકાપણના અધિષ્ઠાયક દેવાદિ માત્ર વડે તો સમસ્ત પૃથ્વી શું લવાય ? (માટે પૃથ્વી કહેવાથી પૃથ્વીનો એક ભાગ જ લેવો જોઈએ તેથી નોપૃથ્વી કહેવાથી લેણુંનો ટુકડો એ જ અર્થ કરવો જોઇએ તે દાખલા સાથે બીજી ગાથામાં સિદ્ધ કરવામાં આવે છે.) ર૪૯૮ |
અવતરણ પ્રેરક પ્રશ્ન કરનાર) કંઈક નજીક આવે છતે દાન આપવા દ્વારા સૂરિ મહારાજ પ્રસ્તુત અર્થના નિર્ણયને વધારે સ્પષ્ટતાથી સમજાવે છે :
जह घटमाणय भणिए, न हि सव्वाणयण संभवो किन्तु ॥ देसाईविसिटुं चिय, तमत्थवसओ समप्पेइ ॥ २४९९ ॥ पुढवित्ति तहा भणिए, तदेगदेसे वि पगरणवसाओ। लेझुम्मि जायइ मई, जहा तहा लेङदेसे वि ॥ २५०० ॥
ગાથાર્થ - જેમ “તું ઘટ લાવ” આમ કહે છતે સકલઘટ લાવવાનો સંભવ નથી. પરંતુ દેશાદિથી વિશિષ્ટ એવો કોઈ પણ એક ઘટ જ લાવવાનો હોય છે. આમ અર્થવશથી સાંભળનાર જેમ સમજે જ છે. તેવી જ રીતે “તું પૃથ્વી લાવ” આમ કહે છતે પણ પ્રકરણના વશથી તે પૃથ્વીનો એકદેશ એવો લેણું જ લાવવા માટેની લેણુમાં જ બુદ્ધિ થાય છે તે જ રીતે લેણુ દેશમાં પણ પૃથિવીનો અંશ માનવામાં આવે છે. ||૨૪૯૯-૨૫૦૦