SearchBrowseAboutContactDonate
Page Preview
Page 147
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૪ ઐરાશિકમત નિહ્નવવાદ બનાવવાની સામે સિંહ વિકુર્વણાની વિદ્યા, (૬) કાગડા બનાવવાની વિદ્યા સામે ઉલૂકી (ઘુવડ બનાવવાની) કળા, અને (૭) પોતાકી નામનું પક્ષી બનાવવાની કળાની સામે ઉલાબક નામનું તેનું વિરોધીપક્ષી બનાવવાની કલા. પરિવ્રાજકની શક્તિઓનું મંથન કરનારી. તેને શક્તિઓનો પરાભવ કરનારી તેની વિદ્યાઓની વિરોધી એવી આ સાત વિદ્યાઓ તું ગ્રહણ કર. આ પ્રમાણે ગુરુજી વડે કહેવાયે છતે રોગુપ્તમુનિ તે સાત પ્રતિસ્પર્ધી વિદ્યાઓને ગુરુજી પાસેથી ગ્રહણ કરે છે. તથા રોહરણ વિશેષ મંત્રીને આચાર્ય વડે તેને અપાયો. અને કહેવાયું કે આ ઉપર કહેલી સાત મેલી વિદ્યાઓ વિના કોઇ પણ તેના વડે ક્ષુદ્ર વિદ્યાઓ દ્વારા કરાયેલા ઉપસર્ગનો બીજોકોઈ સમૂહ આવી પડે. તો તે ઉપસર્ગોના નિવારણ માટે તેના મસ્તક ઉપર આ રજોહરણ ફેરવવું. તે રજોહરણના પ્રતાપે તું ઇન્દ્ર જેવા દેવો વડે પણ ન જીતાય તેવો થઇશ. તો માનવમાત્ર એવા પરિવ્રાજકની તો શું તાકાત છે કે તને તે જીતી શકે ? અર્થાત્ તું અજેય થઇશ. ત્યારબાદ તે રોગુપ્ત મુનિ રાજ્યસભામાં ગયા. ત્યાં જઇને તેનાવડે કહેવાયું કે અરે ભિખારી એવો આ પરિવ્રાજક શું જાણે છે ? આ જ પરિવ્રાજક તેને જે ઠીક લાગે તેવો પૂર્વપક્ષ ભલે કરે. હું તેને બરાબર નિરૂત્તર કરીશ. તેથી પરિવ્રાજકે મનમાં વિચાર્યું કે આ (જૈન સાધુઓ) ઘણા નિપુણ (હોંશિયાર- ચકોર) હોય છે તેથી તેઓને માન્ય એવો જે પક્ષ છે તે હું સ્વીકારૂં કે જેથી તેનું ખંડન કરવાને આ રોહગુપ્તમુનિ શક્તિમાન ન થાય. આમ વિચારીને આ પદ્વ્રિાજક વડે કહેવાયું કે “આ સંસારમાં જીવ અને અજીવ આમ બે જ રાશિ છે તેમ જ સર્વને દેખાય છે શુભ અને અશુભ રાશિની જેમ બે જ પ્રકારની રાશિ છે. ત્યારબાદ તે રોગુપ્ત મુનિ વડે તે પરિવ્રાજકની બુદ્ધિનો પરાભવ કરવા માટે પોતાને માન્ય હતો એવો પણ આ બે રાશિનો પક્ષ ન સ્વીકારાયો અને તેનું ખંડન કરાયુ. કેવી રીતે ખંડન કરાયું ? તો કહેવાય છે કે હે પવ્રિાજક ! તારો આ હેતુ અસિદ્ધહેત્વાભાસ છે. તું કહે છે તેનાથી ઉલટું સંસારમાં દેખાય છે. તે માટે તારી વાત મિથ્યા છે (૧) જીવ. (૨) અજીવ અને (૩) નોજીવ આમ ત્રણ પ્રકારની રાશિ આ સંસારમાં દેખાય છે. ત્યાં નરક-તિર્યંચ વિગેરે જે દેખાય છે તે જીવરાશિ છે. અને પરમાણુ તથા ઘટપટ વિગેરે જે પદાર્થો દેખાય છે તે અજીવરાશિ છે તથા ગિરોળીનાં પુછડાં વિગેરે જે પદાર્થો દેખાય છે તે નોજીવ છે આ કારણે જીવ અજીવ અને નોજીવ એમ ત્રણ રાશિ
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy