SearchBrowseAboutContactDonate
Page Preview
Page 310
Loading...
Download File
Download File
Page Text
________________ સમ્યક્તનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન ૨૯૩ જીવને જે માર્ગનું સેવન કરવાથી મોહરાજા જિતાય તે જીવ માટે તે માર્ગ ઉપકારી છે. આમ સમજીને રાજમાર્ગ જ સ્વીકારવો જોઈએ. અપવાદમાર્ગ બધાંને માટે કામનો નથી અને આવા પ્રકારનો રાજમાર્ગ શુભ વ્યવહાર સ્વરૂપ છે. માટે ગુરુસેવા આદિ શુભ વ્યવહાર આદરવો જોઈએ. /૧૧oiા. અવતરણ :- ગાથા ૧૦૧માં પૂર્વપક્ષકારે આવું કહ્યું છે કે જે જીવની જેવી નિયતિ (ભવિતવ્યતા) હશે તે જીવની તેવી રીતે અર્થાત્ તે કાલે જ મુક્તિ થશે. એટલે કે જીવની મુક્તિપ્રાપ્તિ નિયત છે. તે નિયતકાલ કરતાં વહેલી કે મોડી આપણાથી કરી શકાતી નથી. માટે મુક્તિપ્રાપ્તિ માટે નિગ્રંથપણાની અને ઘણી ઘણી ધર્મક્રિયા કરવાની આવશ્યકતા નથી. જે કાલે જે થવાનું છે તે બધું નિયત જ છે અને તે કાળે તે થશે જ. તો પછી આવી ધર્મક્રિયાઓ શા માટે કરવી જોઈએ ? આવો પ્રશ્ન જો કોઈ કરે તો તેનું ખંડન કરતાં ગ્રંથકારશ્રી જણાવે છે કે તીરથસિદ્ધાદિકનો ભેદ, નિયતિ તિહાં નવિ ક્રિચાઉજીંદા જાણી કષ્ટ સહિત તપ હોય, કરમનિમિત્ત ન કહિઈ સોચ II૧૧TI ગાથાર્થ - તીર્થસિદ્ધાદિકનો ભેદ નિયતિ પ્રમાણે જ થાય છે તો પણ ત્યાં (નિયતિપ્રમાણે તીર્થસિદ્ધાદિ છે તેમાં પણ) કિયાનો ઉચ્છેદ થતો નથી. જાણીબુઝીને કર્મ અપાવવા માટે જે સહન કરવામાં આવે તેને તપ કહેવાય છે. આવા પ્રકારનો તપ કર્મબંધનું નિમિત્ત થતો નથી. //૧ ૨૧// | રબો - તીર્થસિદ્ધ-તીર્થસિદ્ધારમે નિતિપ્રમાણું છે, પણ क्रियाच्छेद न हुइ, तत्कालइ तत्सामग्री ज तत्कार्यजनक हुइ । जे इम
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy