SearchBrowseAboutContactDonate
Page Preview
Page 304
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮૭ સમ્યત્ત્વનાં છઠ્ઠા સ્થાનનું વર્ણન મુનિનો આત્મસાધના કરવાનો જે માર્ગ છે તે રાજમાર્ગ છે. આડા-અવળા રસ્તે જતા કોઈ કોઈ કદાચ બચી ગયા છે તો પણ લોકોથી ભરેલો છે રાજમાર્ગ છે તે તજવો જોઈએ નહીં. /૧૧all રબો - ભરતવિર માવનારું યિા વિના મુવા પામ્યા, ते छींडीपंथ कहिइ, राजपंथ ते निग्रंथक्रिया ज कहिइं । कोइ उवटिं जातां उगर्यो-लूटायो नहीं, तो पणि भर्यो सेर न त्यजिइं, ए शुद्धव्यवहार छइ । रोग घणा, औषध घणां इम मार्ग भिन्न भिन्न જીરૂ, પપ રનના વ્યવહાર ન સહિહું ૨૨મી વિવેચન :- ભરત મહારાજા આદિ મહાત્માઓને બાહ્ય ધાર્મિક ક્રિયાના આચરણ વિના (બાહ્ય આલંબન વિના) પૂર્વભવના અભ્યાસના કારણે આરિણાભૂવનમાં ગૃહસ્થવેશમાં કેવલજ્ઞાન પ્રગટ થયું. આ માર્ગ અતિશય વિષમ છે, દુષ્કર છે, કેડીમાર્ગ છે, રાજમાર્ગ નથી. કારણ કે સાધુપણામાં આવેલા જીવને પણ તુરત કેવલજ્ઞાન થતું નથી. તો ગૃહસ્થપણામાં કેવલજ્ઞાન થવું ઘણું દુષ્કર છે, માટે કેડીમાર્ગ છે, વિષમમાર્ગ છે, ભયોથી ભરેલો માર્ગ છે. તેથી આ માર્ગે કેવળજ્ઞાન પ્રગટ થવું તે અતિશય દુષ્કર છે. છતાં પણ પૂર્વભવના અભ્યાસથી (સંસ્કારથી) બનેલી તીવ્ર ભાવનાના કારણે ભરત મહારાજા આદિ કેવલજ્ઞાન પામી શક્યા છે અને કોઈ કોઈ મહાત્મા પામી પણ શકે છે. પરંતુ આ રાજમાર્ગ નથી. પરંતુ રાજમાર્ગ તે છે કે નિગ્રંથ મુનિ બનવું અને મુનિપણાની આચરણામાં વર્તવું. કારણ કે આ રાજમાર્ગે ભૂતકાળમાં ઘણા જીવો કલ્યાણ પામ્યા છે. હાલ પણ મહાવિદેહાદિ ક્ષેત્રમાં કલ્યાણ પામે છે અને ભવિષ્યમાં આ જ માર્ગે ઘણા જીવો કલ્યાણ પામશે. ઘણા ખરા જીવો સાધુપણુ પામવા દ્વારા જ મોહને જીતીને નિર્લેપદશાને પામે છે. માટે સાધુપણું ગ્રહણ કરવું આ જ રાજમાર્ગ છે.
SR No.032118
Book TitleSamyaktva Shatsthan Chauppai
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2014
Total Pages388
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size24 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy