________________
નિવેદન
ગુજરાત વિધાસભાના ભો. જે. અધ્યયન-સંશાધન વિધાભવનમાં જે સંશોધન ગ્રંથો તૈયાર કરી પ્રકટ કરવામાં આવે છે તે કાર્યનું એક અંગ જુદા જુદા ધર્મો અને સંપ્રદાયનું સાહિત્ય સંશોધનની શાસ્ત્રીય દૃષ્ટિએ તૈયાર કરાવવાનું છે. આ કાર્યમાં શેઠ પૂનમચંદ કરમચંદ કટાવાળા ટ્રસ્ટના વહીવટદારે શેઠ શ્રી. પ્રેમચંદ ક. કેટાવાળા અને શેઠ શ્રી. ભોળાભાઈ જેસિંગભાઈએ આ સંસ્થાને નીચે જણાવેલી શરતે જૈન સાહિત્યના . ગ્રંથ તૈયાર કરી પ્રકટ કરવા દાન કર્યું છે, એ માટે બે. જે. વિદ્યાભવન ટ્રસ્ટ એમનું આભારી છે.
શરત
“જેને સંસ્કૃતિનાં તમામ અંગોનું- જેમકે દ્રવ્યાનુયોગ આદિ ચાર અનુગાનું, તેમજ કાવ્ય, શિલ્પકલા, ઈતિહાસ આદિનું સાહિત્ય તૈયાર કરાવી પ્રકટ કરવું. આમાં મૂળ સંસ્કૃત પ્રાકૃતાદિ ગ્રંથને, શિલ્પ આદિના સચિત્ર ઈતિહાસ વગેરેનો સમાવેશ કરશે.”
આ માળા ખાતે અત્યાર સુધીમાં નીચેનાં પ્રકાશને બહાર પડયાં છે: નામ
કિંમત ૧. ઉત્તરાધ્યયનસૂત્ર
૩-૦-૦ ૨. ત્રણ પ્રાચીન ગુજરાતી કૃતિઓ
૩-૦-૦ ૩. જૈન આગમ સાહિત્યમાં ગુજરાત
૫–૦-૦ ૪. ગણધરવાદ
૧૦-૦૦