SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ ગ્રન્થોનું મહત્ત્વ કલ્પી ન શકાય એવું હોવાનું એક ખાસ કારણ છે, અસારમાંથી સાર કાઢવાનું કામ સહેલું છે પણ સારમાથી જ જ્યારે સાર કાઢવાનો હોય તો? ખૂબ અધરું છે, એ કામ. આપણા અમૂલ્ય વારસા જેવા આગમગ્રન્થો અને પ્રકરણ ગ્રન્થોમાંથી ચૂંટી ચૂંટીને વેધક શ્લોકો આ ગ્રન્થોમાં એકત્રિત કરવામાં આવ્યા છે. એક અદ્ભુત ખજાનો છે આ, જેમાં લાખેણાં રત્નો ગોઠવાયેલા છે. કરબદ્ધ વિનંતિ : શ્રીસંધના કોઈ પણ વ્યક્તિ માટે આ ત્રણ ગ્રન્થો ખૂબ ખૂબ ઉપયોગી છે. જેમ પાંચ પ્રતિક્રમણ, ચાર પ્રકરણ અને ત્રણ ભાષ્ય જેવા ગ્રન્થો આપણે ત્યાં અભ્યાસક્રમમાં રૂઢ થયા છે તે જ રીતે આ ત્રણ ગ્રન્થો સૌએ કંઠસ્થ કરવા - રાખવા જોઈએ. રોજ આમાંના એકાદ શ્લોકને અર્થ સાથે યાદ કરી માત્ર બે ત્રણ ક્ષણ – અંતર્મુખ બનીને વિચાર કરાય તો ચોક્કસ જ ‘આત્મા’ ની અનુભૂતિ થઈ શકે. પ્રસ્તુત સંપાદન : ૧) ટીકાના આધારે છાયા ૨) ટીકાના આધારે જ શબ્દાર્થ ૩) ગુજરાતી ભાષાના બંધારણને ધ્યાનમાં લઈને અન્વય મુજબનો ગાથાર્થ. વિગેરે બાબતોની કાળજી પ્રસ્તુત સંપાદનમાં રાખવામાં આવી છે. આ ત્રણે’ય સંગ્રહ ગ્રન્થોના શ્લોકો કયા કયા ગ્રન્થોમાં આવે છે. તેનું સૂચન પણ આમાં કરાયું છે. પણ તેનો પૂરેપૂરો
SR No.032115
Book TitleAatmbodhak Granthtrai
Original Sutra AuthorN/A
AuthorYogtilaksuri
PublisherSanyam Suvas
Publication Year2010
Total Pages292
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size11 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy