SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ vvvvvvvv (૫૬). શ્રી ઋષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ. મુનિને જોઈ બહુ હર્ષ પામે. પછી શ્રેણિક રાજા રાજર્ષિના અભૂત તપના પ્રાગ૯ભ્યપણાને વિચાર કરતે છતે શ્રીદ્ધમાન સ્વામી પાસે ગયો. ત્યાં તે પંચાંગથી પૃથ્વીને સ્પર્શ કરી શ્રીજિનેશ્વરને નમસ્કાર કરી હાથ જોડીને એગ્ય સ્થાનકે બેઠે. પછી અવસર આવ્યું હર્ષથી શ્રીજિનેશ્વર પ્રભુને નમસ્કાર કરી હાથ જોડી શ્રેણિક રાજાએ પૂછયું “હે પ્રભો ! મહા ધ્યાનમાં બેઠેલા પ્રસન્નચંદ્ર રાજર્ષિને મેં જ્યારે જોયા હતા તે વખતે તેઓ જે મૃત્યુ પામે છે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “જે તે વખતે કાળ કરે છે તે રાજર્ષિ નિચે મહાદુઃખદાયી સાતમી નરક પ્રત્યે જાય.” પ્રભુનાં આવાં વચન સાંભળી શ્રદ્ધાવાન સરળ બુદ્ધિવાળા શ્રેણિક રાજાએ વિચાર્યું કે “હા, હા ! મહાતીવ્રતાવાળા એ મહામુનિને આવી ભયંકર ગતિ કેમ હોય ?” આમ ધારી ફરી તેણે પ્રભુને પૂછયું, “હે નાથ ! જે તે મહામુનિ અત્યારે કાળ કરે તે કઈ ગતિ પામે?” પ્રભુએ કહ્યું. “હે નરેશ્વર! હમણાં તે તપરૂપ દ્રવ્યવાળા રાજર્ષિ સર્વાર્થસિદ્ધને પામવા યોગ્ય છે.” ભૂપતિએ કહ્યું. “હે પ્રભે ! આપની વાણી આમ જુદી જુદી કેમ થઈ ? શ્રીજિનેશ્વરની વાણી મૃષા હોતી નથી માટે અજ્ઞાની એવા મને તે યથાર્થ રીતે સમજાવો ?” અરિહંત પ્રભુએ કહ્યું. “હે રાજન ! જ્યારે તે એ રાજર્ષિને નમસ્કાર કર્યા ત્યારે તેમને શૈદ્રધ્યાન હતું પણ હમણાં તે શુક્લધ્યાની થયા. છે એજ કારણથી જે તે તે વખતે મૃત્યુ પામ્યા હતા તે વૈદ્રધ્યાનના વશપણાને લીધે નરકને યોગ્ય હતા. અને હમણાં શુકલ ધ્યાનના વેગથી સર્વાર્થસિદ્ધિપદને ગ્ય થયા છે. ” શ્રેણિક રાજાએ કેવળજ્ઞાનથી સૂર્યરૂપ શ્રી પ્રભુને પૂછયું કે?” એમને દ્રિધ્યાન અને શુક્લધ્યાન શાથી થયું? શ્રીવર્તમાન પ્રભુએ કહ્યું. કે તેમણે લ્હારા સુભટના મુખથી એવી વાર્તા સાંભળી જે પિતાના પુત્રને પરાભવ થવાને છે. એ કારણથી પુત્રસ્નેહને લીધે ક્રોધવડે આકુળ વ્યાકુળ થએલો તે પ્રસન્નચંદ્ર રાજર્ષિ પિતાના સુભટે સહિત પ્રધાનની સાથે વૈરથી યુદ્ધ કરવા લાગ્યો. જાણે પ્રત્યક્ષ યુદ્ધ કરતે હેયની? એમ પ્રધાનની સાથે માનસિક યુદ્ધ કરતાં તેનાં સર્વ શસ્ત્રો ખુટી પડ્યાં. તેથી તે બહુ ખેદાતુર થયા. પછી પિતાના આત્માને સંનદ્ધમાની ક્રોધથી આકુળ વ્યાકુળ થએલે તે વિચારવા લાગે કે “હું મહારા મસ્તક ઉપર રહેલા મુકુટવડે તે સર્વે દુશમનના આયુધને તોડી નાખી મારી નાખું.” આમ ધારી જે તે મુકુટ લેવાની ઈચ્છાથી હાથ મસ્તક ઉપર મૂકવા ગમે તેટલામાં તેને પિતાના લોચ કરેલા મસ્તકને સ્પર્શ થવાથી પોતાનું વ્રત સાંભ ન્યું. પછી તે રાજા વિચારવા લાગ્યું. જે રદ્ર ધ્યાન કરનારા મને ધિક્કાર થાઓ ધિક્કાર થાઓ. હવે મમતારહિત એવા મહારે પ્રધાનો વડે અને પુત્રવડે શું કામ છે ?” આ પ્રમાણે વિચાર કરતા એવા તે રાજાને સર્વ મેહધકાર નાશ પામ્યો એટલે ફરી તેના ચિત્તમાં વિવેકરૂપ નિર્મળ સૂર્ય ઉદય પામ્યો. પછી તે જાણે પિતાની આગળજ હાયની ? એમ અમને ભક્તિથી વંદના કરી, પ્રતિક્રમણ કરી તથા આલોચના લઈ ફરી શુક્લધ્યાન ધ્યાવા લાગ્યા. (શ્રી મહાવીર પ્રભુ શ્રેણિક રાજાને કહે છે કે )
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy