SearchBrowseAboutContactDonate
Page Preview
Page 321
Loading...
Download File
Download File
Page Text
________________ ( 3 ) શ્રીઋષિમ’ડલવૃત્તિ-ઉત્તરા તાપસી આ પ્રમાણે કહી ફરી ગિલા પાસે જઈ અમૃત સમાન મધુર વચનથી કહેવા લાગી. “ હે મૃગનયને ! પોતાના સમાન રૂપવંત તે યુવાન પુરૂષની સાથે તુ ક્રીડા કર. કારણ તેજ પોતાની યુવાવસ્થાનું સાર ફૂલ છે. ” તાપસીનાં આવાં વચન સાંભળી જાણે ક્રોધાતુર થએલી હાયની ? એવી ગિલાએ તે વાપ શ્રીને ગળે પકડી ધિક્કાર કરવા પૂર્વક પોતાની અશેાકવાડીના પાછલા બારણેથી કાઢી મૂકી, તાપસી પણ લજ્જાને લીધે પોતાના મુખ ઉપર વસ્ત્ર ઢાંકી તે કામી પુરૂષ પાસે જઈ ખેદ કરતી છતી કહેવા લાગી. “ તેણે પ્રથમની પેઠે મ્હારા તિર કાર કરીને પછી મને ગળે પકડી અશોકવનના પાછલા દ્વારથી કાઢી મૂકી છે, જ બુદ્ધિમ'ત એવા કામી પુરૂષે વિચાર્યું કે “ તે સ્ત્રીએ મને અશેાવાડીમાં થઇને આવવાના સ ંકેત કર્યો છે. “ પછી તેણે તાપસીને કહ્યુ, ” હું પૂજ્યું ! તેણીએ તમારા જે તિરસ્કાર રૂપ અપરાધ કર્યો છે તે ક્ષમા કરવા અને આ વાત તમારે કાંઇ ન કહેવી. " પછી કૃષ્ણ પચમીની રાત્રીએ તે યુવાન પુરૂષ અશેાકવાડીમાં થઇ પાછલા દ્વાર તરફ ગયા. ત્યાં તેણે માર્ગમાં ઉમેલી ગિલાને દીઠી. ગિલાએ પશુ દૂરથી આવતા એવા તે પુરૂષને દી. આ વખતે તેમના પરસ્પર પ્રતિમધરહિત મેલાપ થયેા, પરસ્પર નેત્રની પેઠે હાથને લાંબા કરી રોમાંચિત થએલા સ અંગવાળા તે અન્ને જણા સામસામા દોડયા. જો કે તે પ્રથમથી એક ચિત્તવાળા હતા અને આ વખતે નદી અને સમુદ્રની પેઠે તેઓનાં શરીર એકઠાં થયાં. આલિ ગનથી અને પ્રેમયુક્ત પરસ્પર વાર્તાલાપથી તેઓએ ત્યાં એક મુહૂત્તની પેઠે એ પ્રહર શાહ્યા. પછી સુરત ( કામ ) સુખ રૂપ સમુદ્રમાં મગ્ન થએલાં અને પ્રસન્ન ચિત્તવાળા તે અન્ને જણાઓને ત્યાંજ નયન કમલને રાત્રી રૂપ નિદ્રા આવી. હવે દેવદત્ત સાની શરીરની ચિંતાને અર્થે ઉડી અશેાકવાડીમાં ગયા તા તેણે તે અન્ને સૂતેલાં જોયાં તેથી તે વિચાર કરવા લાગ્યા. “ ધિક્કાર છે આ દ્વાચારિણી પુત્રવધુને, કે જે પર પુરૂષની સાથે ક્રીડા કરી થાકી જવાથી જાર પુરૂષની સાથે ભરનિદ્રામાં સૂતી છે. ” આમ ધારી તે વૃદ્ધ સાની “ આ જાર પુરૂષજ છે” એમ નિશ્ચય કરવાને પાતાના ઘર પ્રત્યે ગયા તે તેણે ત્યાં પોતાના પુત્રને એક્લા સૂતેલા જોયા. તેથી તે વિચારવા લાગ્યા કે “ હું ધીમે રહીને તે દુરાચારિણીના પગમાંથી ઝાંઝર કાઢી લઉં કે જેથી મ્હારા પુત્ર, એ નિશાનીથી મ્હારા કહેવા પ્રમાણે “ તે વ્યભિચારિણી છે ” એવા વિશ્વાસ પામે. ” પછી દેવદત્ત સાનીએ ચારની પેઠે ધીમેથી તેના પગમાંથી ઝટ ઝાંઝર કાઢી લઇ તેજ માર્ગે થઇ પાતાના ઘરમાં પ્રવેશ કર્યો. ક્રુસિઁલા પણુ ઝાંઝરને કાઢી લેવા માત્રમાં તુરત જાગી ગઇ. કહ્યું છે કે પ્રાય: ભયસહિત સૂતેલા માણસને નિદ્રા થોડી હેાય છે. પોતાના પગનું ઝાંઝર સસરાએજ કાઢી લીધુ છે એમ જાણી ભયથી કંપતી એવી ગિલાએ જાર પુરૂષને ,,
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy