SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીણિમહલ રિ-ઉત્તરાદ્ધ, એકદા જયેષ, તીર્થયાત્રા માટે ગંગા પ્રત્યે ગયા. ત્યાં તેણે દેડકાએ પકડેલા સપને અને તેજ સપને પકડેલા એક ગીધ પક્ષીને દીઠે. આવા સંસારના નાટકના વરૂપને વિચાર કરતા તુરત ત્યાં જ પ્રતિબોધ પામેલા તે જયઘોષે ગંગાને ઉતરી ગુરૂ પાસે ચારિત્ર સ્વીકાર્યું. પાંચ ઇન્દ્રિયને દમન કરવામાં તત્પર, ત્રણ ગુણિથી રામ અને પવિત્ર ચારિત્રવાળા તે મુનિ, પૃથ્વી ઉપર વિહાર કરતા બહુ વર્ષે વાણરમી નગરી પ્રત્યે આવ્યા. નગરી બહાર કાસુક શય્યા સંથારાવાલા મનહર ઉદ્યાનને વિશે તે સુનિરાજ ચાતુર્માસ રહ્યા. હવે આ અવસરે તે નગરીમાં વેદને જાણ અને ઉત્તમ કાર્ય કરનાર વિજયછેષ નામને બ્રાહ્મણ યજ્ઞ કરતો હતો, પછી જયેષ મુનિ માસક્ષમણને પારણે તે વિજયષ વિના યજ્ઞને વિષે ભિક્ષાર્થે આવ્યા. મુનિને ભિક્ષાર્થે આવેલા જોઈ યજ્ઞ કતાર ગોર તેમને ધિકઢારવા લાગ્યો અને કહેવા લાગ્યો કે હે ભિક્ષુક ! અમે તને ભિક્ષા નહિ આપીએ. કારણ વેદના જાણ, યજ્ઞકાર્ય કરનાર, જોતિષશાસ્ત્રના જાણુ, ધર્મના પાર પામેલા અને પરમાત્માને ઉદ્ધાર કરવા સમર્થ જે બ્રાહ્મણે છે તેઓના માટેજ આ અન્ન છે.” આ પ્રમાણે ગેરે નિષેધ કર્યો છતાં રૂટ નહિ થએલા પણ બક્ષમાર્ગના વેષક એવા તે ઘોષમુનિ, ભક્ત પાન તેમજ વસ્ત્રને અર્થે નહિ કિંતુ તે શેરને પ્રતિબંધ કરવા માટે આવી રીતે કહેવા લાગ્યા. હે વિપ્ર! તુ વેદના મુખને, યજ્ઞના મુખને, નક્ષત્રના મુખને, ધર્મના મુખને નથી જાણતે. એટલું જ નહિ પણ જેઓ આત્માને તેમજ પરલોકને ઉદ્ધરવા સમર્થ છે તેઓને પણ નથી જાણતો. કદાપી જે તે જાણતે હોય તે તે મને કહે મુનિનાં આવાં વચન સાંભળી તેના ભાવાર્થને નહિ જાણનારે તે યાચક બહુ વિસ્મય પામતો છતે હાથ જોડીને કહેવા લાગ્યો. “હે મુનિ! વેદનું મુખ, યજ્ઞનું મુખ, નક્ષત્રનું મુખ અને ધર્મનું મુખ મને કહે. વળી જેઓ આત્માને ઉદ્ધરવા સમર્થ હોય તે પણ મને કહો. આ હાર હદયના સંશને તમે ગઢ દૂર કરો.” મુનિએ કહ્યું. “અગ્નિ ક્ષેત્રનું મુખ વેદ, વેદનું મુખ યજ્ઞ, નક્ષત્રનું મુખ ચંદ્ર અને ધર્મનું મુખ કાશ્યપ છે.” બ્રાહ્મણે કહ્યું: “આપ અગ્નિહોત્રને શબ્દાર્થ શું કહે છે? - જ્ઞને અર્થ શું છે? તેમજ કાશ્યપ કોને કહે છે?” મુનિએ કહ્યું. “હે દ્વિજાધિપતિ ! આ અગ્નિહોત્રના અને સાંભળ. અગ્નિહોત્રને અગ્નિકા કહી છે. અને તેનું સ્વરૂપ શાસામાં આ પ્રમાણે છે. દીક્ષાધારી (સાધુ) પુરૂષે ધર્મધ્યાન રૂપ અગ્નિમાં કર્મ પ ઇધન (હોમવાના પદાર્થ)ની સદ્ભાવના રૂપ આહુતિ દેવી એ અગ્નિા કહી છે. ઇત્યાદિ રૂપ વેદનું મુખ અગ્નિહોત્ર કહ્યું છે. જેમ દહીંને સારા માખણ છે, ચંદનમાં મલયાળ ચંદન જારરૂપ છે અને ઓષધમાં અમૃત સાર છે. તેમજ વેદમાં આરણ્યક સાર છે. આરયકમાં દશ પ્રકારના મુનિ ધર્મને સાર જાણો. વળી વેદને સાર આવશ્યકજ છે કહ્યું છે કે –
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy