SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સમુદ્રપાલ જયશેષ તથા વિજય નામના મુનિવરેની કથા, (૧૭) કે “અશુભ કૃત્યના આવા પાપકારી ફળને ધિક્કાર થાઓ” આ પ્રમાણે વિચાર કરતાં પ્રતિબંધ પામેલા અને ત્યાંને ત્યાંજ વૈરાગ્યવાસિત થએલા તેણે માતા પિતાની રજા લઈ તુરત દીક્ષા લીધી. કલેશકારી અને ભય આપનારો શંકા તથા મેહને ત્યજી ચારિત્ર, વ્રત, શીળ પાળતા અને પરિષહોને સહતા તે સમુદ્રપાલે અહિંસા, સત્ય, અચારી, બ્રહ્મચર્ય અને અપરિગ્રહરૂપ પાંચ મહાવ્રતને ગ્રહણ કરી ધર્મનું આચરણ કરવા માંડયું. અનુકંપા કરવા યોગ્ય જીવને વિષે દયા કરનારા, શાંત અને બ્રહ્મત્રતધારી તેમજ જિતેંદ્રિય એવા તે મુનિરાજ સાવધ કર્મને વઈ એક ધર્મનું આચરણ કરવા લાગ્યા. અવસરે ધર્મક્રિયા કરતા તેમજ પિતાનું બેલાબ જાણતા તે મહામુનિ સિંહની પેઠે નિર્ભયપણાથી દેશને વિષે વિહાર કરતા. ચારિત્રમાં અદીન એવા તે મુનિરાજ પ્રિય, અપ્રિય, માન, અપમાન, તેમજ પૂજા સત્કાર તથા નિંદા એ સર્વને સરખા જાણી તેને સહન કરતા. મેરૂ પર્વત સમાન સ્થિર ચિત્તવાળા તે સાધુએ દેવતા સંબંધી, મનુષ્ય સંબંધી અને તિર્યંચ સંબંધી અનેક ભયંકર ઉપસર્ગો સહન કર્યો. શીત, ઉષ્ણ તેમજ દંશ અને મત્સર વિગેરેના અનેક પરિષહાને આવતા જોઈ તે મુનિરાજ યુદ્ધમાં ગજેની પેઠે નાશી ન જતા હતા. ભવબંધનના કારણરૂપ રાગ દ્વેષ અને મેહને ત્યજી દઈ મેરૂ પર્વતની પેઠે સ્થિર આત્માવાળા તે મહામુનિ પરીષહોને સહન કરતા હતા. સરકાર તેમજ નિદાને પામી હર્ષ શોક નહિં પામનારા તે મુનિરાજ કેવલ સરલભાવને અંગીકાર કરી મેક્ષ માર્ગને સાધતા હતા. ગૃહસ્થાશ્રમીઓની સાથે રતિ, અરતિ, સ્તુતિ તથા નિંદાદિને ત્યજી દેનારા, આસક્તિરહિત, પિતાના હિતેચ્છું, શેકને છેદી નાખનારા અને નિરહંકારી એવા તે મુનિરાજ, પિતાના ધર્મનું આચરણ કરતા હતા. આ પ્રમાણે દીર્ઘકાલ પર્યંત નિર્મલ ચારિત્રને પાલી, સંસાર સમુદ્રને તરી તેમજ પોતાના સર્વ કર્મને ક્ષય કરી તે સમુદ્રપાલ મુનિ, અનંત સુખવાલા મુક્તિપદને પામ્યા. _ 'श्री समुद्रपाल' नामना मुनिवरनी कथा संपूर्ण जयघोसेणवि पडिबोहिउण, पन्नाविओ विजयघोसो ॥ कासवगुत्ता ते दोवि, समणसीहा गया सिद्धिं ॥ २० ॥ જ્યશેષ નામના મુનિએ પ્રતિબંધ કરીને વિશેષ નામના બ્રાહ્મણને સંયમ લેવરાવ્યું, પછી કાશ્યપ ગોત્રવાલા તે બન્ને મુનિરાજે મોક્ષ પામ્યા. ર૦ ? 8 ગયો અને “વિનોપ' નામના મુનિવરોની જાય - વાણારસી નગરીમાં જોડલે ઉત્પન્ન થએલા, સ્નેહવાળા અને બહુ શાસ્ત્રના જાણ એવા જયઘોષ અને વિજયશેષ એવા બે બંધુઓ રહેતા હતા.
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy