SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૩૦ ) શ્રી ઋષિમડલવૃત્તિ ઉત્તરાદ્ધ મનમાં વિશ્વાસ ઉત્પન્ન કર્યો. પછી આ કુમારે ગુપ્ત રીતે પોતાના વિશ્વાસુ પુરૂષષ પાસે જિનપ્રતિમાસહિત અહુ રત્નાદિ વસ્તુઓથી ભરપુર એવું એક વહાણુ તૈયાર કરાવ્યું. અને પોતે અશ્વ ખેલાવવાના મીષથી નાસી જઇ તુરત વહાણ ઉપર ચડી વિદાય થયા. કેટલાક દિવસે તે આર્ય દેશ પ્રત્યે આવી પહેોંચ્યા. પછી તે આ કકુમાર તુરત અભયકુમાર તરફ જિનપ્રતિમા મોકલી, સાત ક્ષેત્રમાં રત્નાદિ સર્વ દ્રવ્યના વ્યય કરી અને જેટલામાં વ્રત લેવા માટે પંચમુષ્ટી લેાચ કરે છે તેટલામાં આકાશમાં રહેલી શાસનદેવીએ તેને કહ્યુ કે “ હું આર્દ્ર કુમાર ! હજી ત્યારે ઉગ્ર એવું ભાગાવલી કર્મ ખાકી છે માટે તું હમણાં મુક્તિને પ્રતિબંધ કરનારૂ વ્રત ન અંગીકાર કર, કારણ કે વ્રતની વિરાધના કરતાં વ્રત ન લેવું તે વધારે સારૂં છે. ” દેવતાનુ કહેવું સાંભળી આર્દ્ર કુમારે વિચાર્યું જે “ શું મ્હારૂ` ભાગાવલી કમ એવુ સમર્થ છે કે તે મ્હારા તપની આગળ ટકી શકે ? આમ ધારી જાતિસ્મરણ જ્ઞાનથી જાણ્યા છે પૂર્વ ભવના સાધુના આચાર જેણે એવા તે આર્દ્ર કુમાર, તુરત વ્રત અંગીકાર કરી ચાલી નિકળ્યો. રાજગૃહ નગર તરફ જતા એવા તે સાધુના આચારવાળા મહામુનિને રસ્તામાં વસંતપુર નગર આવ્યું. પછી તે નગરની બહારના દેવમંદિરમાં આર્દ્ર કુમાર સુનિ જેટલામાં મેરૂ પર્વતની પેઠે નિશ્ચલપણે કાયાત્સગે રહ્યા, તેટલામાં શ્રેષ્ઠીપુત્રી ધનશ્રી કે જે તેમના પૂર્વ ભવની સ્ત્રી થતી હતી તે ખાલિકા બીજી કેટલીક કન્યાઓની સાથે ત્યાં ક્રીડા કરવા આવી. પછી તે કન્યાએ પરસ્પર “ હું ખિએ ! આપણે સારા વરને વરીએ ” એમ કહીને તેણીએએ દેવમંદીરની અંદર રહેલા સ્તèાને “આ મ્હારા પતિ, આ મ્હારા પતિ ” એમ કહીને વર્યા, અધકારને લીધે ધનશ્રીને એકે સ્ત ંભ મલ્યા નહીં તેથી તેણીએ તુરત આકકુમારને પકડી “ આ મ્હારા પતિ એમ કહી જેટલામાં અંગીકાર કયો તેટલામાં આકાશમાં ઉભેલા દેખતાએ કહ્યું “ આ સર્વે કન્યાઓએ મુગ્ધપણાથી વેગવર્ડ સ્ત ંભાનેજ વો પણ ધનશ્રીએ તે ત્રણભુવનમાં શ્રેષ્ઠ એવા વર વધે. ” એમ કહીને દેવતાઓએ આકાશમાં દેવદુંદુભિના શબ્દ કરી સાડી ખાર ક્રોડ સાનૈયાની વૃષ્ટિ કરી. દેવત્તું ભિના શબ્દ સાંભલી ધનશ્રી આ કુમાર મુનિના ચરણમાં પડી અને તે મહામુનિના પગને મજદ્યુત પકડી સ્થિર થઈ. ઉત્તમ બુદ્ધિવાળા આ કુમાર મુનિ પણ મહા ઉપસર્ગ પ્રાપ્ત થયા જાણી કષ્ટથી ધનશ્રીના હાથમાંથી પેાતાના ચરણને છેાડાવી તુરત અન્યત્ર વિહાર કરી ગયા. ,, ,, હવે વસતપુર ભૂપાલ રત્નાદિની વૃષ્ટિ સાંભલી તુરત તે લેવા માટે ત્યાં આભ્યા. પણ શાસનદેવીએ નિવાર્યો અને કહ્યુ કે “ હું ભૂપતિ ! મેં એ ધનશ્રી સુકન્યાને પાણિગ્રહણમાં તે સુવર્ણ રત્નાદિ સર્વ આપ્યું છે માટે તે લેવાના ખીજાને અધિકાર નથી. ” શાસનદેવીનાં આવાં વચન સાંભલી વસતપુર ભૂપતિ પાછો ચાલ્યા ગયે.. ધનશ્રીએ પણ રત્નાદિ સર્વ દ્રવ્ય લઇ ઘરે આવી પોતાના પિતાને સોંપ્યું. પુછી અનેક ધનવંત શ્રેષ્ઠીઓ પાતાના પુત્રને અર્થે તે ભાગ્યવતી કન્યાનું માગુ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy