________________
૪૧૯ સ્વારથી સહુકો મિલ્યા રે, સગો ન કીસકે કેય; સ્વારથ વિણ વેડે સહુ, સુત પણ વેરી હોય. સુ. ૮ છે આથિ અથિર જિનવરે કહી રે, સુણ સુણ મરી શિખ, જે શિર છત્ર ધરાવતા, તે ફરી માંગે ભીખ. એ સુ છે ૯ ક્રોધ માન મદ પરિહરો રે, પરહરીઈ પરમાદ; પાંચે ઈદ્રિ વશ કરે રે, જિમ ફલે જસ નાદ.
| | સુ છે ૧૦ છે માનવ ભવ દોહિલે લહ્યો રે, નિત્ય નિત્ય કીજે ધરમ; શ્રી પૂજય કેશવ ઈમ ભણે, ધરમ તણે એ મરમ.
સુ છે ૧૧ છે
| ધર્મપિતા શ્રી. તીર્થંકરદેવ ઉપર ધમ પુત્રીનો પત્ર. છે વહાલા ધર્મપિતા !
આપનાથી વિખુટા પડ્યાને અહે હે ! કેટલાય જન્મ-જન્માક્તર વીતી ગયા. આપ તે મને સાવ વીસરી જ ગયા લાગે છે. મને સાસરે વળાવ્યા પછી આપશ્રીએ તે આજ સુધી કેઈદી મારી ખબર પણ કઢાવી નથી !
હું આપની પુત્રી નથી? આપના ખોળો ખૂંદીને મોટી થયેલી હું છું. વહાલ ભરેલા આપના હૈયાની કમળ, મધુર લાગણીઓ મારા હૈયાના ખૂણે હજી પણ અણુવિસરાયેલી પડી છે.