SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૮ ] વાતા—આ રાજ્યાસન તળે સાબરમતી નદી વહે છે. તેમાં એક દિવસ સુલતાન પેાતાના મેહેલની એક ખારીમાંથી ખેડા ખેડા જુએ છે. તે એ કે પાણીના ચઢાવ છે તેમાં કંઇ કાળી કાળી વસ્તુ પાણીઉપર વહેતી દીઠી તેથી હુકમ કરી તેને કાઢી પેાતાની રૂબરૂ મગાવી. તે એક કાઠી હતી જેમાં કોઇ મડદાંને ઘાલી પાણીમાં વહેતી મુકી હતી, સુલતાને હુકમ કરી શહેરના સઘળા કુંભારાને હાજર કરાવ્યા અને પૂછ્યું કે આ કાડી કોણે કરી છે? તેમાંથી એક ખેલ્યેા કે એતા મારી ધડેલી છે અને અમદાવાદ તાબાના ક્લાા પરગણાના એક ગામના મુખીને વેચાતી આપી હતા. સુલતાને મજકુર પટેલને હાજર કરવા હુકમ આપ્યા. તે આવ્યે ને તજવીજ કરતાં માલુમ પડયું' કે તે પટેલે એક વાણીઆને મારી નાખ્યા હતેા અને કાઠીમાં ધાલી પાણીમાં વહેતી મુકી હતી. સુલતાને હુકમ્ આપ્યા કે મરનારના ખુનના બદલામાં તે પટેલને મારી નાખેા.-આ એજ ગેરવ્યાજખી ખુન સુલતાનની આખી રાજકિર્દીમાં થયાં હતાં. સુલતાન એહમદની તશક્તિનું, કવિતતરમ્ પણ ત્રણ હતું. એ ખેત ( દોહરા ) બુરહાનુદીન કુતુ. આલમ બિન સૈયદ મેહમુદ્ર નાસીરૂદદીન બિન સૈયદ જલાલ મપ્રદુમ જહાંની જેમના આત્માને મુદ્દા પવિત્રતા આપે. જે સુલતાનના વખતમાં હતા તેમ । વખાણમાં લખેલ છે. ખેત ( દાહ. ) ૧ કુતબે ઝમાન એમા, બુરહાં ખસસ્ત મારા, બુરહાન એ હંમેશા, ચું નામ થા આશકારા, —અમારા વખતના જગાંધાર, બુરહાન જોએ અમને કે જેના તર્કો તેમના નામ પ્રમાણે પ્રકાશિત છે. અર્થ સુલતાન મુહંમદશાહે, ( સુલતાન અહમદના કુંવર )નુ રાજ્ય સને ૮૪૫ હિજરીમાં સુલતાન એહમદના મૃત્યુ પછી સુલતાન મુહમ્મદશાહ તખ્તઉપર બિરાજમાન થયા અને એશઆરામ તરફ્ પેાતાનું લક્ષ આપ્યું. તે પોતે રાજ કરવાની કંઇ પણ દરકાર કરતા નહાતા, જો ખરૂં કહીએ તે તેના ૮૪૫ હીન્દ્રરી. ૧ શહે આલમના મેટા દાદ્દા થાય.
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy