SearchBrowseAboutContactDonate
Page Preview
Page 291
Loading...
Download File
Download File
Page Text
________________ [ ૨૪૫ ] હવે બાદશાહજાદા સુહમ્મદ ઓર્ગજેમને પણ પેાતાના પિતાને જોવાનું બહાનું અને કેટલાંએક કામા (કે જેનું વર્ણન અત્રે કરવુ’મુનાસખ નથી) હતાં તેથી તે દક્ષિણથી પોતાની શણગારેલી સેનાને લઇ હજીરમાં આવવા માટે રવાને થયા. બન્ને શાહજાદા (મુરાદબક્ષ તથા ઔર ગજેબ)ને પાછા ફેરવવા માટેના હુકમે વારવાર દારાસિકેાહઉપર આવવા લાગ્યા. સને ૧૦૬૮ હિજરીના રીઉલઅવ્વલમાસની ત્રેવીસમી તારીખે જોધપુરના જમીનદાર મહારાજા જસવતસિહુને માળવાની સુએગીરી આપી તે તરફ રાતે કર્યાં. તેવીજ રીતે કાસીમખાનને પણુ મજકુર સનના જમાદીઉલ અવ્વલમાસની છેલ્લી તારીખે અહમદાબાદની સુખેગીરી ઉપર નિમી તે તરફ વિદાય કર્યાં; અને એવા ઠરાવ કર્યાં કે, બન્ને સુખાએએ ઉજ્જૈનમાં થાભી સાવચેતી રાખવી. જો મુરાદબક્ષ હુકમને માન્ય કરી અહમદાબાદ ખાલી કરી આપે તેા ઠીક, નહિતા મહારાજાની મદ લઈ તેની સાથે અહમદાબાદ જઈ તેને કહાડી મુકવા. આ હકીકતની ખાર મળવાથી મુહમ્મદ મુરાદબક્ષે રાજ્યના દાવેદારતરીકે ઘણું ધન ભેગું કરેલું હતું (ગુજરાતના લોકો કહે છે કે અમદાવાદીએ પાસેથી તેણે પચાસ લાખ રૂપિયા લીધા હતા) તે વડે પેાતાની તૈયારી કરી, સુખાના દીવાન રહેમતખાન અને સુખાની તેહનાતમાં રહેલા ફેાજદારોને લઇ રવાને થયા. જ્યારે બાદશાહજાદો મુહમ્મદ ઔર ગજેબ પેાતાના પિતાને જોવા માટે રવાને થએલ હતા ત્યારે તેણે શાહજાદા મુહમ્મદ મુરાદબક્ષને લખી જણાવ્યું કે, નર્મદા નદી ઉતર્યા પછી મને આવી મળવું. હવે રસ્તામાં અન્ને ભેગા મળી જ્યારે ઉજ્જૈન પહોંચ્યા ત્યારે, રસ્તામાં નડતા કાંટારૂપી મહારાજા જસવતસિંહ તથા કાસીમખાનને હરાવી નસાડી મુકયા અને બન્ને બાદશાહજાદાએ આગ્રા રાજધાની તરફે વધવા માંડયું. અહમદાબાદના સુભાવિષેની બીજી હકીકત આ જગ્યાએ સંબધ ધરાવતી નહિ હાવાથી આલમગીરનામાના હવાલામાં મુકી દીધી છે. અહમદાબાદના રહેવાસીઓ પાસેથી જે નાણાં મુહમ્મદ મુરાદબક્ષે લીધાં હતાં તે પૈકી પાંચ લાખ, પચાસ હજાર રૂપિયા દરબારમાં જાણીતા અને શાહજાદાની પણ પિશ્રાનવાળા સતીઢાસના દીકરાઓના હતા. તે વખતે સતીદાસ હવ્વુરમાં હતા મુહમ્મદ દારાસિકાહની હાર થયા પછી પોતે (મુરાદબક્ષે)કેદમાં જતાં પહેલાં ચાર દીવસ અગાઉ ખાજાસરા માતમીદખાનના નામ ઉપર મજ કુર રૂપિયાની ભલામણુ કરી હતી. આ ખાજાસરાને પેાતાનાં બાળબચ્ચાંના રક્ષણાર્થે નાયબતરીકે અહમદાબાદમાં મુકીને ગયેા હતેા. ક્રૂરમાન તથા
SR No.032077
Book TitleMirate Ahemadi Athva Gujaratno Itihas
Original Sutra AuthorN/A
AuthorPathan Nizamkhan Nurkhan Vakil
PublisherPathan Nizamkhan Nurkhan Vakil
Publication Year1963
Total Pages486
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size32 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy