________________
૨૦ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧
સર્વ સિણિગાર માં પહિરીઆ ચંદન ચરચ્યઉ મઈ અંગિ પહિરણ લાલ પટોલડી ઊઢણિ દક્ષિણ ચીરિ. કંઠ નિગોદર કંઠલી રવિ તપઈ રાડિયાદ, ભાવ કરઈ ભલા સેજડી નચાવઈ અંષડીયાઈ. ૪૪ હરષદની હરષી મૃગનયણી અધિરબંધ જસી ભોયંગ વેણી, ચંદલાસું, મુષ હંસગપણી સીહબાલી જિસી લંક ઝીણી.... ૪૫
એમ કરતાં પ્રિયતમ આવી રહ્યા. નાયિકાએ એને અંગની તળાઈ ઉપર ઉરના ઓશિકે સ્થાપ્યા, અને વેલી જેમ વૃક્ષને વીંટાય તેમ એ પ્રિયને કંઠે વળગી રહી
બાહ ઊસેઇ રે અપણી વાલંભનઈ સુષ દેઈ, અંગતલાઈ પાથરી સાથરો કુંભ ભરેહ. હાર તણી પરિ હીડલઈ પ્રીયડલા કંઠ રહેસિ, રમણ મણ સાત માતઉ લઉ રીતડી રંગ કરેસિ. ૪૮ હરષ અંગ મુઝ અંગિ અંગિ ચંદન વીંટીયો જાણે ભૂયંગ, કૃષ્ણ તરૂઅર અમ વેલ વાધી વીઠલા વિલંબતાં જનમકોડિ સાંઘી’ ૪૯
માધવે રુકિમણીના મનોરથ પૂર્યા એમ સહુ નરનારીની મનઃકામનાઓ ફળો એવા આશીર્વચન સાથે કાવ્યનું સમાપન થાય છે.
કેશવદાસકૃત વસંતવિલાસ'- અત્યાર સુધીમાં મળેલા જૈનેતર ફાગુકાવ્યોમાં છેલ્લો નોંધપાત્ર ફાગુ એ કાયસ્થ કવિ કેશવદાસનો ‘વસંતવિલાસ છે.૧૯ એનો રચનાકાળ ઈ.સ. ૧૫૩૬ (સં.૧૫૯૨) સંભવે છે. ભાગવતના દશમસ્કંધ ઉપરથી રચેલા. કૃષ્ણલીલા' કાવ્યના ૧૫મા સર્ગમાં પ્રારંભે ‘વસંતવિલાસ' નામનો આ ફાગુસ્વરૂપનો કાવ્યખંડ કવિએ આપ્યો છે. એમાં પ્રારંભે આવતું મંગળાચરણ અને અંતમાં આવતી ફલશ્રુતિ એ એક સ્વતંત્ર રચના છે એમ સૂચવે છે.
એમાં બધા મળીને છવ્વીસ દુહા છે, જેમાંથી ઘણામાં અંતર્યમક સાધવામાં આવ્યો છે. ગોપાંગનાઓ કૃષ્ણ સાથે વસંત ખેલે છે એનું સુંદર વર્ણન કવિએ કર્યું છે:
લીધાં કનક-કચોઅલાં, ઘોલ્યાં ચંદન સાર; મૃગમદ સુંદર કેસર, છાંટે એક ઉદારઃ ઊડે લાલ ગુલાબ વલી, માંહો માંહ વસંત; એણિપરિ છક્કમ છોલ્યુશું. રોલ્ય કરે બહુ સંત.