________________
ભાલણ ૨૪૭
તું તો સર્વસ્વ છે મારા રે, તું દીઠે મન ભીંજે રે, ભાલણ-પ્રભુ રઘુનાથ, એટલું સંસાર તણું સુખ દીજે રે. ૩. ૮૩
જેમ માતાના હૃદયનું કવિ ચિત્રણ આપે છે તેવું જ ગોપાંગનાઓના કૃષ્ણ તરફના સ્નેહનું પણ ચિત્રણ ખડું કરી આપે છે. આમાં પણ માતૃસ્નેહનાં-વત્સલતાયુક્ત સ્નેહનાં દર્શન થાય છે, જેમકે –
જશોદા, છોડો કહાનને, હું આપું ગોરસ ગોળી રે, એવડી રીસ ઘટે નહિ તમને, હું જાણું છું ભોળી રે. જસોદા. ૧ આગળ ઊભા દુઃખ ધરે છે, બાળક સઘળી ટોળી રે; આંખડી અતિ અણિયાળી એટેની થઈ છે રાતી ચોળી રે. જસોદા૨ હઠ કીધે કાંઈ નહિ આવે જે મહી નાખ્યું છે ઢોળી રે. તમને તો દુઃખ નથી લાગતું, ભાલણ–પ્રભુના મનમાં હોળી રે. જસોદા. ૩૪
કવિએ ક્વચિત ગોપાંગનાઓનો કામુક ભાવ પણ ગાયો છે; એમાં “પ્રેમસાગર માંહે અમને બોળો, એટલું રાખજો ચિત્તઃ બાપ” ૮૫ ભાલણ પ્રભુ રઘુનાથજી, આપણે રમીએ રૂડી પર. આ૦ ૪૮૬ વગેરેની રીતે જાર-ભાવનાં પણ દર્શન થાય છે, પણ શ્રીકૃષ્ણના સ્વરૂપનું માહભ્યજ્ઞાન હોઈ એ શૃંગારને બદલે ભક્તિમાં પરિણત થતું જોવા મળે છે :
“મુઝને શું કરશે શું કરશે વેરીડાં હેરી? હું દાસી તો થઈ રહી છું નંદકુંવર કેરી. મુ૦ ૧ જાણું રમતા રમતા આવે હરિ આણી શેરી, મારગ માંહે વણવા બેસું હું મોતીડાં વેરી. મુ૦ ૨ સાસુ નણદી મોક્ષ થયાં છે પિયુને ભંભેરી; હું તો કોઈનું કહ્યું ન માનું, વાત તેહ અનેરી. મુo ૩ નિત્યે વૃંદાવન માંહે જાઉં મન્મથની હું પ્રેરી; ભાલણપ્રભુ રામ વશ કીધા, નવ જાઉં ફેરી. મુ) ૪ ૮૭
દાણલીલાનાં પદોમાં કેટલીક મજાક પણ ઉડાવવામાં આવેલી અનુભવાય છે; વળી રાધા તરફના કૃષ્ણના વિશેષ અનુરાગનાં પણ દર્શન થાય છે. માનલીલા પણ ભાલણે ગાઈ છે, નાયિકાના વિરહનાં પણ પદ ગાયાં છે. આવાં પદોમાં જયદેવના