________________
૨૪૬ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ-૧
ખાવું પીવું અતિ ઘણું રે, ફોકટ પર-ઘેર જઈને ખાયે ગાળ હો. જાઓ. ૩
શીખામણ મારી તો માને નહિ રે, નહિતર તે જાયે શાને કાજ હો; દહીં ને દૂધ માખણ છે ઘણું રે, જાણે તો નાનું સરખું રાજ હો. જાઓ. ૪ મોંનાં મીઠાં, મેલાં છે. મનમાં રે, જાણું છું જે પ્રેમ છે અપાર હો; સ્વારથ વાહાલો સહુને આપણો રે, પરદુ:ખ લાગે નહિ લગાર હો. જાઓ. ૫ સાચા એ સમ ખાશો તો છોડશું રે, શીખામણ ત્યાં લાગે જો એક વાર હો; ભાલણ-પ્રભુની કળા કોહો જાણે નહિ રે, જો આવે બ્રહ્મને ત્રિપુરાર હો જાઓ. ૬' (૧
અહીં ગોપીઓની અનેક રાવોથી બાંધેલા કૃષ્ણને સપાડું લઈ છોડાવવા આવેલી ગોપીઓને કવિ જશોદાના મુખમાં ઉપાલંભ અપાવે છે. એમાંથી બાલુડા પ્રત્યેના વાત્સલ્યની ચડતી માત્રા, જુઓ જસોદાના વચનમાં :
આવ આતા, હું દૂધ પાઉં, પાલણડે પોઢો મનમોહન; હરિ, હરખે હાલરું ગાઉં. આવ૦ ૧ માખણ ચોર્ય કો કહે આવી, શયામસુંદર, હું ઝાંખી થાઉં; નવલક્ષ ધનુ દૂઝે માહારે, લોક માંહે, કેમ સમાઉં? આવો રે ઓલંભે આવે આહીરડી, સહુ આગળ શા શા સમ ખાઉં?
ભાલણ--પ્રભુ રઘુનાથ રમો ઘેર, પ્રાણજીવન હું વરણે જાઉં. આવ. ૩' ૨ અને માતૃહૃદયની ઘેરી છાપ :
“તારાં ભામણાં લઉં, મનમોહન, વાહાલા, વાળુ કીજે રે; માખણ રોટી દૂધ દૂર છે, જે ભાવે તે ખીજે રે. ૧. દૂબળો દેખી તુજને કંથ ઘણું ઘર કીજે રે; એટલું માગું છું , માહાવા, ઘેર ઘેર ન જઈએ બીજે રે. ૨.