________________
આદિશક્તિયુગના કવિઓ ૨૦૧
રાગ સીધુ કૃષ્ણ કહઈઃ મુઝ આપુ એ માગ એ, નાગ ન વાલઈ તેહા, હઠિ ચડ્યું એ ભણઈ કુંતારઃ અબુઝ ગોપાલ એ. હાલ પુહુતું હવઈ તમ તણું એ.
ત્રૌટક તહ્મતણ પુહુત હાલ, છૂટું નહી થઈ બાલ. કોપિ ચડ્યુ અંબઇ, મોડિલે ગજ અતિદુષ્ટ. આવતુ દેખી એહ, હરિ પૂછિ સાધુ તેહ, તાણિઉં કરતુ ચીસ, પાછુ ધનુષ પંચવીસ'.
ભીમે રુક્મિણીહરણના પ્રસંગે પાંચ ધુલ આપ્યાં છે. કર્મણમંત્રીની કૃતિમાં જે પ્રકારનાં ધૂલ મળે છે તેવાં આ નથી, પરંતુ નાકરથી લઈ પછીના આખ્યાનકારોમાં ધૂલ-ઢાલ-ઊથલો' એકમનાં મોટાં કડવાં મળે છે તેવો જ આ નાનો એકમ છે. પ્રબંધ' કહી પછી એને છેડે “વલણ આપે છે એ પ્રકાર ‘ફાગુ' કોટિનો જ કહી શકાય. રુકમૈયાના માનખંડના પ્રસંગમાં યોજાયેલું નીચેનું ધૂલ' કાવ્યબંધનો તેમજ ભીમની કવનશક્તિનો પણ ખ્યાલ આપશે :
ધવલ કયું રાગ શ્રી-રાગ રુક્ય રાઉત ભલુ, બલ બોલાઈ દિઈ ગાલિ : કિમ જાઈસિ રે તું જીવતુ મઝ આગલિ રે વનચર ગોવાલ? ચીતાઈ માટુ માઉલુ, હવઈ ખૂટુ રે કાન્હડ તુઝ કાલ. બહિનિ લઈ પાછુ વલું, દેખતાં સવિ ભૂપાલ. કરી પ્રતિજ્ઞા એ સાંચર્યું.
પ્રબંધ સાંચરઈ ગઈ ક્રોધભરી અક્ષૌહિણી દલ એક, સંગ્રામ માંડ્યું કૃષ્ણ-શું. મૂકઈ બાણ અનેક. શિર કૂચ મૂછિ કાપિમાં લીલયાં શ્રીજગનાથ. તે પશુની પરિ–બાંધિયુ, રથિ ઘાતિ લીધુ સાધિ. રુક્મણી માગઈ માન : માધવ, બંધ બાલક છોડ, અપરાધ ક્ષમિ સાલા તણા, તહ્મનઈ લાગઈ ખોડિ, બલભદ્ર આવ્યા, કૃષ્ણ વાસ્યા, વેગઈ કાપ્યા બંધ. કેશવ તણુ મહિમા જાણ્ય, ચરણિ નાડુ કંધ.
વલણ હરિચરણિ નામ્ય કંધ, વેગિ સંધિ કીધી રામિ. નિજ નૈયર દીધું તેહનઈ, ગણનાથ કીધું સ્વામિ.૧: