________________
૨૦ ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૨,ખંડ- ૧
વગેરે પણ ઉપયોગમાં લીધા છે. વળી અત્રતત્ર ગીત” “ધૂલ' વગેરે આપ્યાં છે તે ગેયતા” તેમજ “કાવ્યબંધ’ ની દૃષ્ટિએ ખાસ મહત્ત્વનાં કહી શકાય. શરૂમાં તો સંખ્યાબંધ સંસ્કૃત શ્લોકો ઉતારી એના પદ્યાનુવાદ આપ્યા છે, ઉપોદ્યાતના રૂપમાં ૨ એણે પદોને અંતે “ભીમ ભણઈ એવી છાપ “નામા હણે “ભણે નરસિંયો' જેવા પ્રકારે આપેલ છે. ૬ઠ્ઠી કલામાં ‘વેલાઉલિ વાણી ગીત'. (બિલાવલ રાગનું ગીત) અને આઠમી કલામાં પ્રહલાદે કરેલું સ્તવન “રાગ દેશાખ ગીત' એ બંને સવૈયાની દેશીનાં છે." એ જ ઢાળનું બારમી કલામાં રાસક્રીડા –પ્રસંગમાં આપેલું એક ગીતઃ
રાસ-વસંત-વિરડી ગીત આનંદ એક અભિનવુ રે વૃંદાવન મઝારિ. વંશ વજાઈ વિઠ્ઠલ રે, તેણઈ છંદઈ નાચિ નારિ. વૃદાંવનિ ગોપી નાચઈ રે, તેણઈ રગિ રાચિ રામ. વૃંદા. નાદ મધુર સ્વરિ આલઈ રે, ગાઈ હરિવિલાસ. સુંદરી સવિ નવયૌવન રે રંગભર ખેલઈ રાસ. વૃંદા. પાખલિ વૃંદ વનિતા તણું રે, માહિ સામલન. ભીમ ભણઈ : અંતર લય લાગુ, ધિન ધિન ગોપીજન વૃંદા.૧૫
ભીમે “મનામનામન્તરે માધવ:” એ લીલા શુકના કૃષ્ણકર્ણામૃતના પદ્યનો ભાવ આપતું એક ગીત રાસક્રીડાના પ્રસંગમાં આપ્યું છે, એનો ઢાળ પણ નવીન જણાય છે :
ગીત ધન્યાશ્રી માધવ અંતરિ નારી, અંગના અંતરિ હરિ, રાસક્રીડા વંદાવનિ રમઈ આનંદ-ભરિ... પરિણિ પીત પટુલી, હીર ચીર ચૂડી ફાલી, સોવર્ણ માણિક મોતી ભૂષણિ ભૂષિત બાલી. નંદા. વીણા મૃદંગ તાલ સુસ્વરિ વંશ વાસંતી, નાનાવિધ નૃત્ય કરઈ, મધુર ગીત ગાઅંતી. નંદા. પરમ ભગતિ–લીણી ધન્ય તે ગોલણી નારી, ભીમઈ-ચઈ સ્વામી શ્રીકૃષ્ણ સંસારસાગર તારી. નંદ'.'
ભીમે કારિકા અને “તૂટકાની પદ્ધતિનો ‘ફગુ–નો પ્રકાર થોડા ભેદે આપ્યો છે; જેવોકે