________________
૧૯૮
૫ આદિભક્તિયુગના કવિઓ
કેશવરામ કા. શાસ્ત્રી
ભીમ ઈ.૧૫મી સદી ઉત્તરાર્ધ સુધીમાં
ભીમ એની “હરિલીલા–ષોડશકલા' (ભાગવત-સારાનુવાદ, વિ. સં. ૧૫૪૧ -ઈ.સ. ૧૪૮૫) અને સંસ્કૃત ભાષાના પ્રબોધચન્દ્રોદય' નાટકના “ચોપાઈ-પૂર્વછાયુ માં કરેલા ગુજરાતી પદ્યાનુવાદ (વિ. સં. ૧૫૪૬ ઈ. સ. ૧૪૯૦) થી જાણવામાં આવ્યો છે. આ બંને કૃતિ છપાઈ ગઈ છે. આમાંની હરિલીલાષોડશકલા' એણે “સિદ્ધક્ષેત્ર માધવ સરસ્વતી રદ્રદેવ શ્રીકર્દમ યતિ વગેરેથી કહી શકાતા ઉત્તર ગુજરાતના તીર્થધામ “સિદ્ધપુરમાં રહીને રચી હોવાનું પકડાય છે, જ્યારે પ્રબોધ-પ્રકાશની તો -
ભવભવભંજન શ્રીભારતી, પંચ પ્રવાહ વહિ સરસ્વતી, શ્રી સોમેશ્વર નિજ આવાસ, ભુવિ માંહિ બીજુ કૈલાસ. ૭૩ તીરથતિલક ક્ષેત્ર-પ્રભાસ, ત્યાં વસઈ દ્વિજ નરસિંહ વ્યાસ તે ઘરિ સેવક વૈષ્ણવદાસ કીધું એહિ પ્રબોધપ્રકાશ. ૭૪"
- એમ જ્યાં સોમેશ્વરનો પોતાનો આવાસ છે તેવા પ્રભાસક્ષેત્રમાં નરસિંહ વ્યાસ નામના બાહ્મણના ઘેર રહીને રચના કરી સ્પષ્ટ સમજાય છે.
એનું વતન આ બેમાંથી કયું એ કહી શકાય નહિ, પણ બંને તીર્થોમાં એ રહેલો છે. નરસિંહ વ્યાસ એનો આશ્રયદાતા હશે, કારણ કે પ્રબોધપ્રકાશ'ના આરંભમાં એણે પોતે રચેલા બે સંસ્કૃત શ્લોકોમાં ગુરુપુરુષોત્તમને નમન કરી શ્રી નૃસિંહના પ્રસાદ (અનુગ્રહ)થી રચના કર્યાની એ પ્રતિજ્ઞા કરે છે. ૬ઠ્ઠા અંકને અંતે શ્રી પુરુષોત્તમ તણા પ્રસાદનો પણ ઉલ્લેખ કરી લે છે." વેદાંત-પારગ’ પુરષોત્તમ અને બીજા આશ્રયદાતા નરસિંહ વ્યાસની કૃપાનું ઋણ એ સ્વીકારે છે. હરિલીલા