________________
નરસિંહ મહેતા ૧૫૭
ઓ જાયે, ઓ જાયે, કો પાછો વાળો. –નહિ મેલું નંદના લાલ, છેડલો નહિ મેલું. –મને રોકે છે કાનવર દાણી રે, નહિ જાઉ જમના પાણી રે. એકવાર જમના પાણી રે ગ્યાં'તાં વહાલા, મારી સાથે સૈયર સમાણી રે. –તારી મોરલીએ મન મોહ્યાં રે, વૃંદાવન મોરલીવાલા. -વહાલા મારા વૃંદાવન રે ચોક કે વહેલા પધારજો રે લોલ. –સખી આજની ઘડી રળિયામણી રે, મારો વહાલોજી આવ્યાની વધામણી. –ગોકુળ વહેલા પધારજો, મથુરા જાઓ તો મારા સમ રે લાલ, ગોકુળ૦ -શે ન સરજી તારા વદનની વાંસળી, જે અધરઅમૃતરસ પાન કરતે, -ખમ ખેમ રે ચાંદલા, મ કરીશ વહાણલું. -ઇંદુ ઉતાવળો થા રખે આકળો, આજની રાત્ય કર પ્રાત મોડું. -કાનજી કાનજી કરતી હીંડે વૃંદાવનમાં ગોપી રે. -શ્યા માટે, શામલિયા વાલા, શાન કરી વન્ય તેડી રે? -અમ સામું શે જુઓ મારા વહાલા? –આણી વેળા શે આવ્યા મારા વહાલા, મંદિર નહિ ઉઘાડું રે. -નાનકડી નાનકડી ગોપી ઠમઠમતી ઠમકાળી રે. -હીડોળે હીંચે મારો વહાલો, હીંચતાં રંગ લાગ્યો રે. –ટલતા ને ટલતા શું હીંડો મારા વાલા ? -મથુરાં સંઘાતે તેડગ્ર મારા વાલાજી, મથુરાં સંઘાતે તેડ્ય; નહિ રે જાવા દઉં, રાખું રે પ્રાણે, અમ ઉપર રથ ખેડય. –નહિ જાઉં સરોવર પાણીડાં, મારગડે નંદલાલ મળે. -પ્રીતડી બંધાણી તે મેં જાણી, આંખડી અમીએ ભરાણી. -કૃષ્ણ કૃષ્ણ સૌ કહેશો, પણ અમો ગોવાળીડો સહુ કહેશાં રે. -હળવે હળવે હળવે હરજી, મારે મંદિર આવ્યા રે. –આજ મારાં નયણાં સફળ થયાં, જોયા નાથને નરખી. -ફરું છું માથે નાખી છેડો. લાગ્યો રે મને નટવરશું નેડો. –વાયે વાયે રે દક્ષણ કેરા વાયરા, અબળા લહેરે જાય. -મારા મનગમતા મહારાજ, મારે ઘેર આવોને. -કરનખ રાતા કામિનીના રે રાતા અધર સુદત. -ધન્ય ધન્ય ગોકુળિયું ગામ રે, મારે વહાલે કર્યો વિશ્રામ રે. –મારું વૃંદાવન છે રૂડું, વૈકુંઠ નહિ આવું. –નહીં આવું નંદજીના લાલ, નહીં આવું.