SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ નરસિંહ મહેતા ૧૫૫ લો કૃષ્ણ' કહી બેસે છે. ભાગવતમાં નિરૂપિત ભક્તિપ્રતીકોમાંનું આ એક રોમહર્ષણ પ્રતીક છે. શ્રીમદ્ રાજચંદ્ર જેવા આધ્યાત્મિક પુરુષના હૃદયમાં વસી જઈને એમની પ્રસન્નતાના બે શબ્દો એ પામ્યું છે : આજના પ્રભાતથી નિરંજનદેવની અદ્ભુત અનુગ્રહતા પ્રકાશી છે; આજે ઘણા દિવસ થયાં ઈચ્છેલી પરાભક્તિ કોઈ અનુપમ રૂપમાં ઉદય પામી છે. ગોપીઓ ભગવાન વાસુદેવ (કૃષ્ણચંદ્ર) ને મહીની મટુકીમાં નાંખી વેચવા નીકળી હતી; એવી એક શ્રીમદ્ ભાગવતમાં કથા છે; તે પ્રસંગ આજે બહુ સ્મરણમાં રહ્યો છે. અમૃત પ્રવહે છે. ત્યાં સહસ્ત્રદલ કમળ છે, એ મહીની મટુકી છે; અને આદિ પુરુષ તેમાં વિરાજમાન છે તે ભગવંત વાસુદેવ છે. તેની પ્રાપ્તિ સત્ પુરુષની ચિત્તવૃત્તિરૂપ ગોપીને થતાં તે ઉલ્લાસમાં આવી જઈ બીજા કોઈ મુમુક્ષુ આત્મા પ્રત્યે, કોઈ માધવ લ્યો, હાં રે કોઈ માધવ લ્યો,' એમ કહે છે, અર્થાત્ તે વૃત્તિ કહે છે કે આદિપુરુષની અમને પ્રાપ્તિ થઈ અને એ એક જ પ્રાપ્ત કરવા યોગ્ય છે; બીજું કશુંય પ્રાપ્ત કરવા યોગ્ય નથી; માટે તમે પ્રાપ્ત કરો. ઉલ્લાસમાં ફરીફરી કહે છે કે તમે તે પુરાણપુરુષને પ્રાપ્ત કરો; અને જો તે પ્રાપ્તિને અચળ પ્રેમથી ઈચ્છો તો અમે તમને એ આદિપુરુષ આપી દઈએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાં છીએ, ગ્રાહક દેખી આપી દઈએ છીએ. કોઈ ગ્રાહક થાઓ, અચળ પ્રેમે કોઈ ગ્રાહક થાઓ, વાસુદેવની પ્રાપ્તિ કરાવીએ. મટુકીમાં નાખીને વેચવા નીકળ્યાનો અર્થ સહસ્રદળકમળમાં અમને વાસુદેવ ભગવાન મળ્યા છે. મહીનું નામ માત્ર છે; આખી સૃષ્ટિને મથીને જો મહી કાઢીએ તો માત્ર એક અમૃત રૂપ વાસુદેવ ભગવાન જ મહી નીકળે છે. એવું સૂક્ષ્મ સ્વરૂપ તે સ્થૂળ કરી વ્યાસજીએ અદ્ભુત ભક્તિને ગાઈ છે. આ વાત અને આખું ભાગવત એ એકને જ પ્રાપ્ત કરાવવા માટે અક્ષરેઅક્ષર ભરપૂર છે; અને તે અમને ઘણા કાળ થયા પહેલાં સમજાયું છે. આજે અતિસ્મરણમાં છે. કારણકે સાક્ષાત્ અનુભવપ્રાપ્તિ છે. અને એને લીધે આજની પરમ અદ્ભુત દશા છે. એની દશાથી જીવ ઉન્મત્ત થઈ ગયા વિના રહેશે નહીં; અને વાસુદેવ હિર ચાહીને કેટલોક વખત વળી અંતર્ધ્યાન પણ થઈ જાય એવા લક્ષણના ધારક છે; માટે અમે અસંગતાને ઇચ્છીએ છીએ.’૪૨ ‘શૃંગારમાળા’ના એક પદ (૮૧)માં ધરણીધરશું લાગ્યું મહારું ધ્યાન રે, મહીડું વીસરી ગયું, લો કોઈ કહાન રે' એ ચિત્ર આપી અંતે યોગ્ય રીતે જ નરસિંહ કહે છે -આપ સરીખડી વહાલે કીધી આહીર રે.' લેલીનતાથી ગોપી સાયુજ્યભાવ સહેજે પામી શકી છે. નરસિંહ જે ગોપી-કૃષ્ણના ભાવની વાત કરે છે તે મુખ્યત્વે આ આત્મા
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy