SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ વનમાં રાધા સાથે રમતાં રાધાને વાંકું પડ્યું અને રીસાઈને એ ગઈ, પ્રેમદા તે લઈ ગઈ પ્રાણ.' કિહાં જાઉં, લલિતા? કમ કરું ? કિમ ધરું ધીરજ મન્ન? તાહરા સમ, તારુણી વિના ત્રિલોક લાગે સુંન... માનનીને મળવા તણો કરો કોઈ ઉપાઈ. નરસિંહ મહેતા ૧૩૯ આધીન અનુચર તાહરો, તું જસ લે રે યુવતી'- એમ કહેવાની હદે એ જાય છે. ત્રીજા પદમાં ‘હું મનાવું નિમેખમાં’ કહી લલિતા અંબર લેઈ આંસુ લુડે' છે. દૂતી તરીકે એ જાય છે ને જુએ છે તો રાધા ‘ત્રિલોકસુંદર તારુણી સોકસાગર પડી શ્યામા લલિતાઈ દીઠી અણમણી'. ચોથા પદમાં તે રાધાને સમજાવે છે : શ્રી નંદનંદન તાહેર કાજે વૈકુંઠ આવ્યો પરહરી.' માટે પીઉ સાથે પ્રેમદા, કહું છું, તું અધિક મ તાણઃ જોવન આપી નાથને માણી શકે તે માણ'. પાંચમા પદમાં રાધા શણગાર સજે છે. મધ્યકાલીન સુંદરીશણગારનું એ એક લાક્ષણિક વર્ણન છે. છઠ્ઠા પદમાં લલિતા રાધાનું માન વધારવા તેને યમુનાતીરે કદમ્બવૃક્ષ નીચે રાહ જોવા કહી કૃષ્ણ પાસે જાય છે મહા મંત્ર જેમ જપે જોગી ધરીને મનમાં ધી૨', તેમ રાધા રાધા કરે માધવ.’ સાતમા પદમાં કૃષ્ણ દૂતી લલિતાને કૌસ્તુભમણિનો હાર અર્પે છે. લલિતા કહે છે : સલૂણી સુકુમાર છે, કરજો તે ઘણી રે જતન્ન'. પછી એકાન્તવિહારનું વર્ણન છે. તે સમે રસ તે જ સ્થાનક ઊપનો રે અગધા.’ કવિ કહે છે, કર્મજડ પામે કિહાંથી, અન્ય-ઉપાસી જેહ?” અમૃત પણ એ રસની તોલે ન આવે. આઠમા પદમાં પણ વનક્રીડાનું વર્ણન છે. નવમામાં વિના આત્મચરિતનું પૃષ્ઠ ઊઘડે છે. પોતે ત્યાં હતો, પોતાને હાથમાં દીવી આપી (જેને લીધે એ દિવેટિયો કહેવાયો) અને પછી કરતાલ આપી, દૂતીકાર્ય સોંપ્યું. આ બધું મહાદેવે દિવ્યચક્ષુ દ્વારા અનુભવાવ્યું. અનુભવેલા રસનું પોતે ગાન કરી રહ્યો છે. દસમામાં સખીઓ પ્રિયતમ પાસેથી પાછી આવેલી વ્રજાંગનાને રસભર્યાં દીસે તારાં નેણ... કપોલ તાહરા હસી રહ્યા... પીતાંબર કિહાં પાલટ્યું, નીલાંબર તારું નોઈ,... ઊંચું તે જોની અંગના, કાં ઢાળે નીચાં નેણ?' વગેરે નર્મવચનોથી મૂંઝવે છે તેનું વર્ણન છે. - આમ દસ પદ સુધી એક સળંગ વૃત્તાન્ત આપવામાં આવ્યો છે. પછીનાં પદોમાં દાણલીલાના કે અન્ય નિમિત્તે ગોપી અને કૃષ્ણની ક્રીડાનાં વર્ણનો છે, જેમાં પુનરાવર્તન પણ ઘણું છે. ક્વચિત જ ઉક્તિવૈચિત્ર્ય જોવા મળે છે. અર્ધનિમીલિત નયન અને ખંડિત વચન પ્રેમાનંદની ઓખાની આખી ભાગી વાત')નું એક વર્ણન તે દસમી પછીની ચાતુરીઓમાં એકમાત્ર આશ્વાસન છે :
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy