SearchBrowseAboutContactDonate
Page Preview
Page 111
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ગુજરાતી સાહિત્યનો ઈતિહાસ ગ્રંથઃ ૨, ખંડ - ૧ છે. આ અદ્ભુતરસિક કથામાં માધવ અને કામકંડલાના પ્રેમ અને વિરહના પ્રસંગોમાં કવિએ શૃંગારરસનું પણ સારું નિરૂપણ કર્યું છે. કવિની આ કૃતિને એમના પુરોગામી કાયસ્થ કવિ ગણપતિએ ઈ.સ. ૧૫૧૮માં આઠ સર્ગમાં દુહાની ર૫૦૦ કડીમાં રચેલ માધવાનલકામકંડલાદોમ્પક સાથે સરખાવવા જેવી છે. “મારૂ ઢોલાની ચોપાઈ'-ની રચના પણ કવિએ જેસલમેરમાં ઈ.સ. ૧૫૬ ૧માં હરિરાજની વિનંતીથી કરી હતી. માધવાનલ ચોપાઈની કથાની જેમ આ કથા પણ કવિએ લોકકથામાંથી લીધેલી છે. રાજસ્થાનમાં મારૂઢોલાની કથા એ સમયે વિશેષ લોકપ્રિય હતી. દુહા અને ચોપાઈની કડીઓમાં રચાયેલી આ કૃતિમાં વચ્ચે વચ્ચે “વાત'માં, ગદ્યકંડિકાઓ આપવામાં આવી છે, જે પૂર્વકાલીન રાસાઓમાંના “વસ્તુની કંડિકાઓ કરતાં મોટી છે. મારુવણીનો ઢોલા માટેનો ઝુરાપો ને એના સંદેશા વિપ્રલંભશૃંગારની આ કૃતિનું મુખ્ય કેન્દ્ર છે. કવિએ સાતસો ગાથા પ્રમાણ આ કૃતિમાં શૃંગાર અને અદ્ભુત રસથી સભર કથાનું નિરૂપણ કર્યું છે. કવિએ કથાનું સમાપન લોકકથામાં આવે છે તે જ રીતે કર્યું છે, એટલે કે ધર્મોપદેશની દૃષ્ટિથી એને લંબાવી નથી અને ઢોલા-મારૂને દીક્ષા લેતાં બતાવ્યાં નથી. હીરકલશ ખરતર ગચ્છના દેવતિલક ઉપાધ્યાયના શિષ્ય હર્ષપ્રભના શિષ્ય હીરકલશ ઈ.સ. ના સોળમા શતકના ઉત્તરાર્ધ અને સત્તરમા શતકના પૂર્વાર્ધમાં વિદ્યમાન હતા. તેઓનો વિહાર ઘણું ખરું રાજસ્થાન તરફ રહેલો હતો એમ એમની કૃતિઓનાં રચનાસ્થળ જોતાં જણાય છે. એમણે ઈ.સ. ૧૫૫૮માં નાગોર નગરમાં, ‘આરાધના ચોપાઈ', ઈ.સ. ૧૫૬૦માં “અઢાર નાતરાંની સઝાય', ઈ.સ. ૧૫૬ ૧માં કનકપુરીમાં, કુમતિવિધ્વંસન ચોપાઈ', ઈ.સ. ૧૫૬ રમાં બિકાનેરમાં “મુનિપતિચરિત્ર ચોપાઈ', ઈ.સ. ૧૫૬ ૬માં રાજલદેસરમાં ‘સુપન સઝાય', ઈ.સ. ૧૫૬૮માં સવાલખ દેશમાં “સમ્યકત્વ કૌમુદી રાસ', ઈ.સ. ૧૫૭૬માં વાસડે નગરમાં “જબૂચોપાઈ', ઈ.સ. ૧૫૮૭માં બિકાનેરમાં જીભદાંત સંવાદ એટલી કૃતિઓની રચના કરેલી મળે છે, જે હજુ અપ્રકાશિત છે. કવિ હીરકલશ જ્યોતિષના પણ સારા જાણકાર હતા અને એમની જ્યોતિષસાર' નામની પદ્યમાં રચેલી એક કૃતિ પણ મળે છે. એમની રાસ સઝાય ઈત્યાદિ કૃતિઓમાં ક્યારેક કૃતિની રચના સાલ ઉપરાંત માસ-તિથિની સાથે નક્ષત્રનો પણ ઉલ્લેખ થયેલો હોય છે. વળી કવિ પોતાની કેટલીક કૃતિઓમાં પોતાની ગુરુપરંપરા સુપ્રસિદ્ધ દાદાગુરુ શ્રી જિનચંદ્રસૂરિના નામોલ્લેખ સાથે દર્શાવે છે. કવિની કૃતિઓમાં ૬૯૩ કડીમાં રચાયેલી “સમ્યકત્વ કૌમુદી રાસ', ૮૩ કડીમાં રચાયેલી “આરાધના ચોપાઈ' તથા કુમતિવિધ્વંસે ચોપાઈ'માં કથાનિરૂપણ કરતાં
SR No.032073
Book TitleGujarati Sahityano Itihas Part 02 Khand 01
Original Sutra AuthorN/A
AuthorUmashankar Joshi & Others
PublisherGujarati Sahitya Parishad
Publication Year2003
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy